Madhavsinh Solankiના નિધન પર બોલ્યા પીએમ મોદી, કહ્યું તેમની વાતો કદી નહીં ભૂલું
દેશના પૂર્વ વિદેશ મંત્રી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું શનિવારે 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. કોંગ્રેસ પક્ષના કદાવર નેતામાં સામેલ થનારા માધવસિંહ સોલંકી સતત ચાર વાર રાજયના મુખ્યમંત્રી બન્યા હતા.
દેશના પૂર્વ વિદેશ મંત્રી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી Madhavsinh Solankiનું શનિવારે 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. કોંગ્રેસ પક્ષના કદાવર નેતામાં સામેલ થનારા માધવસિંહ સોલંકી સતત ચાર વાર રાજયના મુખ્યમંત્રી બન્યા હતા. તેમના નિધન પર પીએમ મોદી અને કોંગ્રેસે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો.
પીએમ મોદીએ ટવીટ કરીને માધવસિંહ સોલંકીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ” રાજનીતિ પર રહેલા માધવસિંહ સોલંકીજીએ વાંચવામા મજા આવે છે અને સંસ્કૃતિ અંગે ભારે ઉત્સાહિત રહે છે. જ્યારે પણ હું તેમને મળતો અથવા તેમની સાથે વાત કરતો ત્યારે અમે પુસ્તકો વિષે ચર્ચા કરતા હતા અને મને હાલમાં જ તેમણે વાંચેલા એક પુસ્તક વિશે જણાવ્યું હતું. હું હંમેશા અમારી વચ્ચેની વાતચીતને શેર કરતો રહું છું.
Shri Madhavsinh Solanki Ji was a formidable leader, playing a key role in Gujarat politics for decades. He will be remembered for his rich service to society. Saddened by his demise. Spoke to his son, Bharat Solanki Ji and expressed condolences. Om Shanti.
— Narendra Modi (@narendramodi) January 9, 2021
પીએમ મોદીએ એક ટવીટ કરીને કહ્યું કે ” માધવસિંહ સોલંકી એક પ્રચંડ નેતા હતા. તેમણે દાયકાઓ સુધી ગુજરાતની રાજનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. સમાજ પ્રત્યે તેમની નિસ્વાર્થ સેવા માટે યાદ કરવામા આવે છે. હું તેમના નિધનથી દુ:ખી છું, તેમના પુત્ર ભરતસિંહ સોલંકી સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી