AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શત્રુઘ્ન સિન્હા 28મી માર્ચે કોંગ્રેસમાં જોડાશે, જાણો કયા ભાજપના દિગ્ગજ નેતાને આપશે ટક્કર?

કોંગ્રેસ ચૂંટણી અભિયાન સમિતિના ચેરમેન અખિલેશ પ્રસાદ સિંહના મુજબ શત્રુઘ્ન સિન્હા 28 માર્ચના રોજ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાશે. સૂત્રોનું કહેવુ માનીએ તો, શત્રુઘ્ન સિન્હાની ટિકિટ કપાયા બાદ તે કોંગ્રેસમાં જોડાવાની રાહ જોઈ રહ્યા હતાં.  કોંગ્રેસના નેતાઓ પણ સતત સંપર્કમાં હતાં. ભાજપના અસંતુષ્ટ નેતા અને બિહારની પટના સાહિબના સાસંદ શત્રુઘ્ન સિન્હા 28 માર્ચના રોજ કોંગ્રેસના પંજા […]

શત્રુઘ્ન સિન્હા 28મી માર્ચે કોંગ્રેસમાં જોડાશે, જાણો કયા ભાજપના દિગ્ગજ નેતાને આપશે ટક્કર?
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Mar 26, 2019 | 1:52 PM

કોંગ્રેસ ચૂંટણી અભિયાન સમિતિના ચેરમેન અખિલેશ પ્રસાદ સિંહના મુજબ શત્રુઘ્ન સિન્હા 28 માર્ચના રોજ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાશે. સૂત્રોનું કહેવુ માનીએ તો, શત્રુઘ્ન સિન્હાની ટિકિટ કપાયા બાદ તે કોંગ્રેસમાં જોડાવાની રાહ જોઈ રહ્યા હતાં.  કોંગ્રેસના નેતાઓ પણ સતત સંપર્કમાં હતાં.

ભાજપના અસંતુષ્ટ નેતા અને બિહારની પટના સાહિબના સાસંદ શત્રુઘ્ન સિન્હા 28 માર્ચના રોજ કોંગ્રેસના પંજા સાથે જોડાશે. તેમને લોકસભા ચૂંટણીની ટિકિટ કપાયા પહેલા જ ભાજપ છોડવાનો ઈશારો આપ્યો હતો. શત્રુઘ્ન સિન્હાના કોંગ્રેસમાં જોડાવાની પુષ્ટી કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને ચૂંટણી અભિયાન સમિતિના ચેરમેન અખિલેશ પ્રસાદ સિંહે કરી હતી. શત્રુઘ્ન સિન્હાને પટના સાહિબ સીટ પર રવિશંકર પ્રસાદની વિરૂધ્ધ મેદાનમાં ઉતારવામાં આવશે.

તમે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવો છો? તો આ ભૂલો ક્યારેય ના કરો
Vastu Tips: સવારે મોરનો અવાજ સંભળાવો કઈ વાતનો સંકેત આપે છે?
ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘરે બેઠા કરે છે લાખોની કમાણી, જાણો સિક્રેટ રીત
સચિનની લાડલી સારા તેંડુલકરને થયો પ્રેમ, કહ્યું- તમે મારું દિલ જીતી લીધું...
17 વર્ષની અભિનેત્રીના પરિવાર વિશે જાણો
મોંઘી ગાડીઓ, લક્ઝરી બેગ, નાની ઉંમરે કરોડોની માલિક છે અનુષ્કા સેન

2014માં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા પછી. શત્રુઘ્ન સિન્હા સતત પાર્ટીની વિરુધ્ધમાં નિવેદન કરી રહ્યા છે. મહત્વનું છે કે, રાફેલ મુદ્દે પણ PM મોદી પર સવાલો ઉભા કર્યા હતા.

પૂર્વ કેન્દ્રિય મંત્રી શત્રુઘ્ન સિન્હાએ વડપ્રધાન નરેન્દ્ર મોદી તરફ ઈશારો કરતા એક ટ્વિટ કર્યું હતુ કે, “સર, રાષ્ટ્ર તમારુ સન્માન કરે છે, પરંતુ નેતૃત્વમાં વિશ્વસનીયતા અને વિશ્વાસની ઉણપ દેખાઈ રહી છે. નેતૃત્વ જે કરી રહ્યા છે, અને કહી રહ્યાં છે. શું લોકો તેના પર ભરોસો કરી રહ્યા છે ? કદાચ નહી, જો કે હવે મોડુ થઈ ગયુ છે.” શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, નાગરીકોને આપેલા વચનો હજી પુરા નથી થયા. અને જે હવે પુરા થશે પણ નહી. આશા, ઈચ્છા અને પ્રાથના, પરંતુ હું આપની સાથે નહી રહી શકુ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">