PM Modi 16 દિવસમાં બીજી વખત અસમ અને બંગાળના પ્રવાસે, ટ્વીટ કરીને જણાવ્યું શું ભેટ આપશે

PM Modi રવિવારે 7 ફેબ્રુઆરીના રોજ  અસમ અને બંગાળના પ્રવાસ પર જઈ રહ્યા છે. બંને રાજ્યોમાં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીઓની તારીખની જાહેરાત થઈ શકે છે.

PM Modi 16 દિવસમાં બીજી વખત અસમ અને બંગાળના પ્રવાસે, ટ્વીટ કરીને જણાવ્યું શું ભેટ આપશે
PM Modi (File Photo)
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 06, 2021 | 10:03 PM

PM Modi રવિવારે 7 ફેબ્રુઆરીના રોજ  અસમ અને બંગાળના પ્રવાસ પર જઈ રહ્યા છે. બંને રાજ્યોમાં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીઓની તારીખની જાહેરાત થઈ શકે છે. PM Modi છેલ્લા 16 દિવસમાં બીજી વખત અસમ અને બંગાળ જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. તેમજ PM Modiની આ મુલાકાતથી ભાજપના મિશનને વધુ બળ મળશે. પીએમ  મોદીએ શનિવારે સાંજે એક પછી એક ટ્વીટ કરીને તેમની મુલાકાત વિશે માહિતી આપી છે. તેમણે અંગ્રેજી સિવાય બાંગ્લા ભાષામાં પણ ટ્વીટ કરીને કહ્યું છે કે તેઓ રાજ્ય અને રાષ્ટ્રને કંઈ ભેટો આપવા આવી રહ્યા છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

PM Modi ટ્વીટ કર્યું હતું કે, આવતીકાલે સાંજે હું પશ્ચિમ બંગાળના હલ્દિયામાં રહીશ. હું બીપીસીએલ દ્વારા બનાવવામાં આવેલ એલપીજી આયાત ટર્મિનલ દેશને સમર્પિત કરીશ. આ સિવાય વડાપ્રધાન ઉર્જા ગંગા પ્રોજેક્ટ હેઠળ દોભી-દુર્ગાપુર નેચરલ ગેસ પાઈપલાઈન સેકશનને રાષ્ટ્રને પણ સમર્પિત કરશે. તેમણે અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું કે તેઓ હલ્દીયા રિફાઈનરી બીજા કેટેલિટીક-ઈસોડેવેક્સિંગ યુનિટનો શિલાન્યાસ કરશે, આ ઉપરાંત એનએચ 41 પર રાનીચક, દલદિયા રેલ ઓવર બ્રિજ કમ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન પણ કરશે.

અસમ માટે શું ઉપહાર 

અસમના કાર્યક્રમની વિગતો આપતાં પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે, આવતીકાલે હું આસામના લોકો વચ્ચે રહીશ. સોનીતપુર જિલ્લાના ધેકિયાજુલીમાં ‘અસોમ માલા’ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવશે. જે રાજ્યના રોડ માળખાને મજબૂત બનાવશે. જેના લીધે અસમની આર્થિક પ્રગતિમાં યોગદાન મળશે અને કનેક્ટિવિટીમાં સુધારો થશે. એક અન્ય ટ્વીટમાં વડાપ્રધાને કહ્યું વિશ્વનાથ અને છારાઈડ ‘મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવશે. આનાથી અસમમાં આરોગ્યનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે. છેલ્લા કેટલાક વર્ષોમાં અસમએ આરોગ્ય સંભાળમાં ઝડપી વૃદ્ધિ કરી છે. આનાથી માત્ર અસમ જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર પૂર્વને ફાયદો થયો છે.

આ પણ વાંચો: ગુજરાત માટે ગર્વની વાત, મહેસાણાના આ શિક્ષકની વિશ્વભરમાં થઈ ‘વાહવાહી’

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">