અયોધ્યામાં રામ મંદિર બનાવવાની જાહેરાત ! સુપ્રીમ કોર્ટમાં કેસ પડતર હોવા છતાં મોદી સરકારના એક દિગ્ગજ CABINET MINISTERએ કેમ અને કઈ રીતે કરી જાહેરાત ? જાણવા માટે ક્લિક કરો ! VIDEO
અયોધ્યાનું નામ સાંભળતા જ લોકોના મનમાં ભવ્ય રામ મંદિરનો ફોટો અચાનક ઉપસી આવે છે. ઘણાં દાયકાથી રામ મંદિરનો મુદ્દો કોર્ટમાં ચાલે છે. ત્યારે તેની વચ્ચે લોકસભા ચૂંટણી 2019ના પહેલા મોદી સરકારે અયોધ્યા રેલ્વે સ્ટેશનને રિનોવેશન કરવાનો વિચાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે અયોધ્યા રેલ્વે સ્ટેશનને સુશોભનની સાથે તેને આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવા માટે એક વીડિયો […]
અયોધ્યાનું નામ સાંભળતા જ લોકોના મનમાં ભવ્ય રામ મંદિરનો ફોટો અચાનક ઉપસી આવે છે. ઘણાં દાયકાથી રામ મંદિરનો મુદ્દો કોર્ટમાં ચાલે છે.
ત્યારે તેની વચ્ચે લોકસભા ચૂંટણી 2019ના પહેલા મોદી સરકારે અયોધ્યા રેલ્વે સ્ટેશનને રિનોવેશન કરવાનો વિચાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે અયોધ્યા રેલ્વે સ્ટેશનને સુશોભનની સાથે તેને આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવા માટે એક વીડિયો ટવીટ કર્યો છે.
अयोध्या आस्था और संस्कृति का नगर है, यहाँ के रेलवे स्टेशन को मंदिर की परिकल्पना से संजोया जा रहा है। यह स्टेशन प्रभु श्रीराम से जुड़े इस प्राचीन नगर की विरासत का विश्व को परिचय करायेगा। pic.twitter.com/xXnIc3KcQn
— Piyush Goyal (@PiyushGoyal) February 3, 2019
પીયૂષ ગોયલે ટવીટ કરતા કહ્યું કે અયોધ્યા શ્રધ્ધા અને સંસ્કૃતિનું નગર છે, આ રેલ્વે સ્ટેશનને અયોધ્યા મંદિરની પરિકલ્પનાથી સજાવવામાં આવી રહ્યું છે. આ સ્ટેશન પ્રભુ શ્રીરામથી જોડાયેલ આ પ્રાચીન નગરના વારસાનો વિશ્વમાં પરિચય કરાવશે. ભગવાન રામનું જન્મસ્થળ વિશ્વ ભરમાં પ્રસિધ્ધ એવા અયોધ્યામાં રેલ્વે સ્ટેશનના સુશોભનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.
એન્જિનીયર રવિ વિક્રમ સિંહે જણાવ્યું કે રામ મંદિરની રીત થી જ રેલ્વે સ્ટેશનની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. મુખ્યપ્રવેશ દ્વારની ઉપર મુગટની પ્રતિમા બનાવવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે નવા રેલ્વે સ્ટેશનમાં ચારે ખુણામાં મંદિરોના મોટા ગુંબજ અને વચ્ચે નાના ગુંબજ બનાવવામાં આવશે. રેલ્વે સ્ટેશનનું નિર્માણકાર્ય ફેબ્રુઆરી 2018થી શરૂ થઈ ગયું છે. તેમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ રકમમાંથી 80 કરોડ રૂપિયા રેલ્વે સ્ટેશનની નવી રચના કરવામાં ઉપયોગ થશે.
રેલ્વે સ્ટેશનના આગળના ભાગમાં 27 ફુટ ઊંચી અને 30 ફુટ પહોળી ઓસરી તૈયાર કરવામાં આવશે. આ ઓસરીના પિલર અને છત પર લોકો પ્રાચીન સ્થાપત્ય કળાને જોઈ શકશે, અયોધ્યાના સાંસ્કૃતિક વારસા પ્રમાણે રેલ્વે સ્ટેશનમાં સ્થાપત્ય કળા અને ટેકનોલોજીનું મિશ્રણ જોવા મળશે. રેલ્વે સ્ટેશનમાં મુખ્ય દરવાજા સિવાય અન્ય દરવાજા પણ બનાવવમાં આવશે. સ્ટેશન પર આવવા-જવા માટે એક ઓવરબ્રિજ પણ બનાવવામાં આવશે. અયોધ્યા રેલ્વે સ્ટેશનનો આંતરિક અને બાહરના દેખાવમાં લોકોને અયોધ્યાની સુવર્ણ સંસ્કૃતિની ઝલક જોવા મળશે.
[yop_poll id=1093]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]