AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહાગઠબંધનમાં તિરાડ ! ગોરખપુરના સપાના સાંસદ પ્રવીણ નિષાદ ભાજપમાં જોડાયા

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ગઢ ગોરખપુરમાં ભારતીય જનતા પાર્ટીએ જોડતોડ કરતા સમાજવાદી પાર્ટીની ટિકીટ પર લોકસભાની પેટા ચૂંટણી જીતનાર પ્રવીણ નિષાદને પોતાની પાર્ટીમાં સામેલ કરી લીધા છે.  પ્રવીણ નિષાદ ભાજપમાં જોડાયા બાદ કેન્દ્રિય મંત્રી અને પાર્ટી નેતા જેપી નડ્ડાએ કહ્યું કે, નિષાદ પાર્ટીએ પીએમ મોદીની નીતિઓથી પ્રભાવિત થઈને ભાજપ સાથે ગઠબંધન કર્યું છે અને હું […]

મહાગઠબંધનમાં તિરાડ ! ગોરખપુરના સપાના સાંસદ પ્રવીણ નિષાદ ભાજપમાં જોડાયા
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Apr 04, 2019 | 12:33 PM

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ગઢ ગોરખપુરમાં ભારતીય જનતા પાર્ટીએ જોડતોડ કરતા સમાજવાદી પાર્ટીની ટિકીટ પર લોકસભાની પેટા ચૂંટણી જીતનાર પ્રવીણ નિષાદને પોતાની પાર્ટીમાં સામેલ કરી લીધા છે. 

પ્રવીણ નિષાદ ભાજપમાં જોડાયા બાદ કેન્દ્રિય મંત્રી અને પાર્ટી નેતા જેપી નડ્ડાએ કહ્યું કે, નિષાદ પાર્ટીએ પીએમ મોદીની નીતિઓથી પ્રભાવિત થઈને ભાજપ સાથે ગઠબંધન કર્યું છે અને હું તેમનુ સ્વાગત કરુ છું. જેપી નડ્ડાએ વધુમાં કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં એક તરફ લોકો મતનો સુનામી ભાજપ અને પીએમ મોદી તરફ છે. ઉત્તર પ્રદેશમાં તમામ જાતીય સમીકરણ તૂટશે.

2017માં ઉત્તરપ્રદેશની સત્તા સંભાળનાર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ગોરખપુર લોકસભા સીટ પરથી રાજીનામુ આપી દીધુ હતું. ત્યાર બાદ થયેલી પેટા ચૂંટણીમા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ નિષાદે ઐતિહાસિક જીત મેળવી હતી. તેમણે ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર શુકલાને માત આપી હતી.

57 વર્ષની ઉંમરે બીજી વખત લગ્ન કરનાર આશિષ વિદ્યાર્થીનો આવો છે પરિવાર
વસ્તી ગણતરી 2027: આ 6 સવાલો માટે થઈ જજો તૈયાર!
તમારી ઉંમર પ્રમાણે તમારે રોજ કેટલું ચાલવું?
કેલ્શિયમની ખામી દૂર થશે, રોજ ખાવાનું ચાલુ કરો આ વસ્તુઓ
રુપાણીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
રાહુલ ગાંધીના પરિવાર વિશે જાણો

પ્રવિણ નિષાદના ભાજપમાં જોડાઈ જવાથી એક વાત સ્પષ્ટ છે કે, તે ગોરખપુર સીટ પર ઉમેદવાર હોઈ શકે છે. મહત્વની વાત એ છે કે, થોડા સમય પહેલા જ પ્રવીણ નિષાદના પિતા અને નિષાદ પાર્ટીના પ્રમુખ સંજય નિષાદે લખનૌઉમાં સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. બન્ને વચ્ચે થયેલી મુલાકાત પછી એ વાત સામે આવી હતી કે બન્ને પાર્ટી સાથે ચૂંટણી લડી શકે છે.

ગોરખપુર સીટ નથી છોડવા માંગતા યોગી આદિત્યનાથ

મુખ્યમંત્રી યોદી આદિત્યનાથ કોઈપણ ભોગે ગોરખપુર સીટને ખોવા માંગતા નથી. પહેલા તેમના ગુરૂ અવૈધનાથ આ સીટીથી સાંસદ રહી ચુક્યા છે. ત્યાર બાદ 1998થી યોગી આદિત્યનાથ આ સીટ પરથી સાંસદ રહ્યા છે અને 2017માં સીએમ બન્યા બાદ તેમણે રાજીનામુ આપી દીધું હતું. જેથી પેટા ચૂંટણીમાં સપાએ આ સીટ પર જીત મેળવી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">