AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mann Ki Baat : રવિવારે દેશને સંબોધિત કરશે પીએમ મોદી, કોરોના સંકટ અને વેકસિનેશન પર કરી શકે છે ચર્ચા

PM Modi રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધન કરશે. દેશ કોરોનો(Corona)  વાયરસ રોગચાળાની બીજી લહેરમાંથી પસાર થઇ રહ્યો છે.ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ પીએમ મોદીને મન કી બાત કાર્યક્રમમાં વેક્સિનના લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા રસીકરણના મહત્વ વિશે વાત કરવા અપીલ કરી છે.

Mann Ki Baat : રવિવારે દેશને સંબોધિત કરશે પીએમ મોદી, કોરોના સંકટ અને વેકસિનેશન પર કરી શકે છે ચર્ચા
મન કી બાત કાર્યક્રમમાં રવિવારે દેશને સંબોધિત કરશે પીએમ મોદી
| Updated on: May 29, 2021 | 8:39 PM
Share

PM Modi રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધન કરશે. દેશ કોરોનો(Corona)  વાયરસ રોગચાળાની બીજી લહેરમાંથી પસાર થઇ રહ્યો છે. PM Modi  ના મન કી બાત કાર્યક્રમનો આ 77 મો એપિસોડ હશે અને તે પીએમ મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ તેમજ સવારે 11 વાગ્યે પીએમઓ પરથી લાઇવ સ્ટ્રીમ થશે. ઓલ ઈન્ડિયા રેડિયો પર હિન્દી ટેલિકાસ્ટ પછી ટૂંક સમયમાં તે પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારિત કરવામાં આવશે. પ્રાદેશિક ભાષાનું પ્રસારણ રાત્રે 8 વાગ્યે રિટેલીકાસ્ટ થશે.

ભારત હાલમાં કોરોના(Corona) સંકટ ચાલી રહ્યું છે અને રોગચાળાને નિયંત્રિત અને કોરોના રસીના અભાવને લઈને કેન્દ્ર સરકારને  વિપક્ષો દ્વારા ભારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોએ 18 થી 44 વર્ષની વય જૂથના લોકો માટે રસીના અભાવનું કારણ આગળ ધરીને રસીકરણ અભિયાન બંધ કર્યું છે.

આઇએમએ PM Modi ને અપીલ કરી

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ પીએમ મોદીને મન કી બાત કાર્યક્રમમાં વેક્સિનના લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા રસીકરણના મહત્વ વિશે વાત કરવા અપીલ કરી છે. મન કી બાતના છેલ્લા એપિસોડમાં પીએમ મોદીએ કોવિડ -19 સામેની લડતમાં મોખરે હેલ્થ કેર કર્મચારીઓ સાથે વાત કરી હતી અને રસી લેવામાં મૂંઝવણ સહિતના વિષયો અંગે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ એમ્બ્યુલન્સ ડ્રાઈવર પ્રેમ વર્મા સાથે પણ વાત કરી હતી કારણ કે તેમણે લેબ ટેક્નિશિયન જેવા અન્ય ફ્રન્ટલાઈન કામદારોના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.

રસી લીધા પછી પણ લોકોને કોરોના વાયરસથી ચેપ લાગવાના અહેવાલ પર પીએમ મોદીએ કહ્યું કે જો કોઈને રસી આપવામાં આવે તો તે ચેપ લાગી શકે છે. પરંતુ રોગની ગંભીરતા એટલી વધારે નહીં હોય.તેમણે એમ પણ કહ્યું કે કોરોનાની બીજી લહેર આપણા ધૈર્ય અને પીડા સહન કરવાની ક્ષમતાનું પરીક્ષણ કરી રહી છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">