મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા રાજ્યપાલની ભલામણ, શિવસેના સુપ્રીમ કોર્ટના શરણે
મહારાષ્ટ્રમાં મહામહિમનું શાસન લાગુ કરવા રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ ભલામણ કરી છે. જે બાદ શિવસેના સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં શિવસેનાના વકીલ તરીકે કપિલ સિબ્બલ ઉભા રહેશે. કોર્ટમાં શિવસેનાની એક દલિલ એવી હશે કે, રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો. જે બાદ શિવસેનાને માત્ર 24 કલાકનો જ સમય આપવામાં […]
મહારાષ્ટ્રમાં મહામહિમનું શાસન લાગુ કરવા રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ ભલામણ કરી છે. જે બાદ શિવસેના સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં શિવસેનાના વકીલ તરીકે કપિલ સિબ્બલ ઉભા રહેશે. કોર્ટમાં શિવસેનાની એક દલિલ એવી હશે કે, રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો. જે બાદ શિવસેનાને માત્ર 24 કલાકનો જ સમય આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં કોઈ પણ સમયે રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે! જુઓ VIDEO
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વનું છે કે, પોતાને આપેલા સમય દરમિયાન શિવસેનાના નેતાઓ રાજ્યપાલ પાસે પહોંચ્યા હતા. અને વધુ સમયની માગણી કરી હતી. પરંતુ રાજ્યપાલે શિવસેનાને વધુ સમય આપવાની મનાઈ કરી દીધી હતી. જે બાદ NCPને આમંત્રણ આપ્યું હતું. પરંતુ કોંગ્રેસ હજુ એ વાત પર સમીક્ષા કરી રહી છે કે, શિવસેનાને સમર્થન આપવું કે નહીં. જેને લઈને કોઈપણ પાર્ટી સરકાર બનાવવા માટે દાવો રજૂ કરી શકી નથી.