Gujarati NewsPoliticsLok sabha election 2019 congress announces that rahul gandhi to contest from 2 seats
BreakingNews : આખરે પહેલી વખત રાહુલ ગાંધી બે બેઠકો પરથી ચૂંટણી લડવાનું કર્યું નક્કી, શા માટે અમેઠી ઉપરાંત દક્ષિણ ભારતની આ બેઠક કોંગ્રેસ અધ્યક્ષે કરી પસંદ ?
લોકસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે સવાલ ઊભા થયા હતા. જેમાં રાહુલ ગાંધી અંગે ઉત્તર પ્રદેશની અમેઠી સીટ ઉપરાંત કેરળની વાયનાડ સીટ પરથી પણ ચૂંટણી લડશે. #Congress President @RahulGandhi will contest from both Amethi and Wayanad seats.#LokSabhaElections2019 Web Stories View more […]
લોકસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે સવાલ ઊભા થયા હતા. જેમાં રાહુલ ગાંધી અંગે ઉત્તર પ્રદેશની અમેઠી સીટ ઉપરાંત કેરળની વાયનાડ સીટ પરથી પણ ચૂંટણી લડશે.
આ અંગે આજે કોંગ્રેસે કહ્યું કે દક્ષિણ ભારતના પાર્ટી કાર્યકર્તા રાહુલ ગાંધીને સતત વાયનાડ સીટ પરથી ચૂંટણી લડવાની માંગ કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ કાયકર્તાઓની માગને સ્વીકારી લીધી છે. હવે તેઓ અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ સીટ પરથી પણ ચૂંટણી લડશે. વાયનાડ સીટ, ત્રણ રાજ્યો તમિલનાડુ, કેરળ અને કર્ણાટકથી ઘેરાયેલી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, અંતે રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓની ભાવનાઓને ધ્યાનમાં લઈને પોતાની સ્વીકૃતિ આપી દીધી છે અને તેઓ વાયનાડ લોકસભા સીટથી પણ ચૂંટણી લડશે. એન્ટનીએ કહ્યું કે કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાંથી અનેક વિનંતીઓ આવી હતી કે રાહુલ ત્યાંથી ચૂંટણી લડે.
શુું છે આ પાછળનું ગણિત ?
જો કે રાજકીય રીતે જોવામાં આવે તો રાહુલ ગાંધીનું અહીંથી ચૂંટણી લડવાનું વધુ એક કારણ એ હતું કે ત્રણ દક્ષિણી રાજ્યોનું ત્રિકોણ છે. આ તે કેરળમાં આવેલું છે, પરંતુ તમિલનાડુ અને કર્ણાટકથી ઘેરાયેલું છે. એક પ્રકારે તે ત્રણ રાજ્યોની માંગને પૂરી કરશે. તેમજ કોંગ્રેસના અનુસાર ઉત્તર અને દક્ષિણ ભારતની સંસ્કૃતિઓના સંગમ તરીકે પાર્ટી અને રાહુલે કેરળની વાયનાડ સીટથી પણ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.