ભાજપમાં સામેલ થયેલાં સિંધિયાની મુશ્કેલીમાં થયો વધારો, જાણો કેવી રીતે?
મધ્યપ્રદેશમાં રાજનીતિક ઉથલપાથલ હજુ ખતમ થઈ નથી. આ બાજુ સિંધિયાએ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે. જો કે સિંધિયાની સામે એક કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તેમાં કથિત રીતે એક જમીન વારંવાર વેચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સિંધિયાના સમર્થકોનું કહેવું છે કમલનાથ સરકાર બદલાની ભાવનાથી આ કરી રહી છે. Facebook પર તમામ […]
મધ્યપ્રદેશમાં રાજનીતિક ઉથલપાથલ હજુ ખતમ થઈ નથી. આ બાજુ સિંધિયાએ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે. જો કે સિંધિયાની સામે એક કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તેમાં કથિત રીતે એક જમીન વારંવાર વેચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સિંધિયાના સમર્થકોનું કહેવું છે કમલનાથ સરકાર બદલાની ભાવનાથી આ કરી રહી છે.
આ પણ વાંચો : ખુશખબર! સરકારના નિર્ણયથી 1 કરોડ કેન્દ્રીય કર્મચારીને મળશે આ લાભ, જાણો વિગત
મધ્યપ્રદેશની આર્થિક અપરાધ શાખાએ ગુરુવારના રોજ પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની સામે દાખલ થયેલી ફરિયાદ અંગે ફરીથી તપાસ કરવાનો નિર્ણય લીધો છે. ગ્વાલિયરમાં અરજીકર્તાએ આરોપ લગાવ્યો છે કે સિંધિયાએ દસ્તાવેજમાં હેરફેર કરીને 6000 ફૂટની જમીનનો હિસ્સો ફરિયાદીને વેચ્યો હતો. આ ઘટના બાદ મધ્યપ્રદેશની રાજનીતિ ફરીથી ગરમાઈ ગયી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ઉલ્લેખનીય છે કે સિંધિયા સમર્થક ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું છે. જે બાદ સરકાર અલ્પમતમાં આવી ગયી છે. આ ઉપરાંત સિંધિયા સમર્થક 6 કેબિનેટ મંત્રીને પણ મધ્યપ્રદેશની સરકારે હટાવી દીધા છે. આ કાર્યવાહી સીએમ દ્વારા પત્ર લખ્યા બાદ કરવામાં આવી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]