Gujarati NewsPoliticsLalu prasad is in tension with defeat of rjd in lok sabha chunav 2019 lead by tejashwi
નરેન્દ્ર મોદી ફરી એક વખત સત્તામાં આવતાની સાથે લાલુ પ્રસાદ યાદવની હાલત ખરાબ, ડૉક્ટરોએ કહ્યું મુશ્કેલી વધી શકે છે
બિહારમાં મહાગઠબંધનની આગેવાની કરતા RJDને પહેલી વખત લાલૂ પ્રસાદ યાદવની ગેરહાજરીમાં મોટું નુકસાન થયું છે. ઈતિહાસમાં પહેલી વખત ચૂંટણી દરમિયાન લાલૂની ગેરહાજરી રહી હતી. અને તમામ વિપક્ષી પાર્ટીઓની કોશિશ બાદ પણ સફાયો થઈ ગયો છે. જેને લઈને લાલુ પ્રસાદ ઘણી ચિંતામાં જોવા મળી રહ્યા છે. સાથે એવા સમાચાર પણ સામે આવ્યા કે તેમણે ભોજનનો પણ […]
બિહારમાં મહાગઠબંધનની આગેવાની કરતા RJDને પહેલી વખત લાલૂ પ્રસાદ યાદવની ગેરહાજરીમાં મોટું નુકસાન થયું છે. ઈતિહાસમાં પહેલી વખત ચૂંટણી દરમિયાન લાલૂની ગેરહાજરી રહી હતી. અને તમામ વિપક્ષી પાર્ટીઓની કોશિશ બાદ પણ સફાયો થઈ ગયો છે. જેને લઈને લાલુ પ્રસાદ ઘણી ચિંતામાં જોવા મળી રહ્યા છે. સાથે એવા સમાચાર પણ સામે આવ્યા કે તેમણે ભોજનનો પણ ત્યાગ કરી દીધો છે.
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
ઘાસચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા લાલુ યાદવ રાંચીની રિમ્સ હોસ્પિટલમાં છે. જ્યાં ચૂંટણીના પરિણામ બાદ તેમની દિનચર્યાને મોટી અસર પડી હોવાનું સામે આવ્યું છે. લાલુ ન તો વ્યવસ્થિત નિંદર કરી શકે છે ન તો ભોજન લઈ રહ્યા છે. જેને લઈને ડોક્ટરો પણ હેરાન છે. છેલ્લા 3 વર્ષથી લાલુએ બપોરના સમયે ભોજન જ નથી લીધું. ડોક્ટરે કહ્યું કે આ પરિસ્થિતિના કારણે તેમને દવા આપવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તણાવના કારણે તેમની આવી હાલત સર્જાઈ છે.
ડોક્ટરોએ એવુ પણ કહ્યું કે લાલુ યાદવ પહેલા જ અનેક બીમારી સાથે ચાલી રહ્યા છે. સાથે તેમની ઉંમર પણ મોટી છે. તો સાથે તેમને હાઈબ્લડ પ્રેસર અને ડાયાબિટીસ છે. જેને લઈને ડોક્ટરોએ કહ્યું કે જો લાલુ પોતાની સ્થિતિ સુધારશે નહીં તો મુશ્કેલી વધી શકી છે.