‘કોંગ્રેસનો ઝંડો ભૂતકાળ બની જશે’, જાણો CM યોગીએ ગુજરાત આવીને અન્ય ક્યાં મુદ્દા પર વાત કરી?

આજે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અમદાવાદ ખાતે જનસભા કરવા આવ્યા હતા. ભાજપે ઉમેદવારો જાહેર કર્યા બાદ બહારના કોઈ મોટા નેતા તરીકે પહેલી સભા  યોગી આદિત્યનાથે કરી છે.  યોગી આદિત્યનાથે સભાને સંબોધન કરીને કાશી નગરીનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના આવ્યા પછી કાશીની સુરત જ બદલાઈ જવા પામી છે અને તેેને […]

'કોંગ્રેસનો ઝંડો ભૂતકાળ બની જશે', જાણો CM યોગીએ ગુજરાત આવીને અન્ય ક્યાં મુદ્દા પર વાત કરી?
Follow Us:
| Updated on: Mar 26, 2019 | 3:41 PM

આજે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અમદાવાદ ખાતે જનસભા કરવા આવ્યા હતા. ભાજપે ઉમેદવારો જાહેર કર્યા બાદ બહારના કોઈ મોટા નેતા તરીકે પહેલી સભા  યોગી આદિત્યનાથે કરી છે. 

યોગી આદિત્યનાથે સભાને સંબોધન કરીને કાશી નગરીનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના આવ્યા પછી કાશીની સુરત જ બદલાઈ જવા પામી છે અને તેેને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે. તેમણે અમિત શાહની કારકિર્દી વિશેની માહિતી આપતા લોકોને ક્હ્યું કે અમિત શાહ એક સામાન્ય કાર્યકરમાંથી ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષના પદ સુધી પહોંચ્યા છે. આ વાતને લઈને તેેમણે કોંગ્રેસ પર પ્રહાર પણ કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટીમાં આવી રીતે એક સામાન્ય કાર્યકરની પ્રગતિ શક્ય નથી.

TV9 Gujarati

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

તેમણે અમિત શાહની ઉમેદવારીને ગૌરવપૂર્ણ ગણાવી હતી. વધુમાં તેમણે વંશવાદની રાજનીતીને દેશને નુકસાન કરનારી રાજનીતિ ગણાવી હતી. ગરીબીને લઈને યોગીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને કહ્યું કે તેમની આટલી લાંબી સરકારમાં ગરીબી કેમ ન હટી?  વડા પ્રધાન મોદીની જનધન યોજનાનો ઉલ્લેખ પણ યોગી આદિત્યનાથે કર્યો હતો અને અન્ય સરકારની યોજનાની સિદ્ધીઓ યોગી આદિત્યનાથે મંચ પરથી ગણાવી હતી.

યોગી આદિત્યનાથે સરદાર પટેલને સન્માન આપવાની બાબતને લઈને પણ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી અને કહ્યું કે કોંગ્રેસે ક્યારેય સરદાર પટેલને સન્માન આપ્યું નથી. આ બાબતે વડા પ્રધાને મોદીનું ઉદાહરણ ટાંકીને ભાજપે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને સરદારને સન્માન આપ્યું તેમ પણ કહ્યું હતું.  કોંગ્રેસની સરકારને આતંકવાદની સામે ઝૂકી જનારી સરકાર યોગીએ ગણાવી હતી અને 2004થી 2014 સુધીના કોંગ્રેસના કાળમાં થયેલાં આતંકવાદી હુમલાઓ વિશે પણ યોગી આદિત્યનાથે સભામાં વાત ઉચ્ચારી હતી.

ભાજપે કેવી રીતે આતંકવાદની વિરુદ્ધમાં જંગ છેડી તેને લઈને યોગીએ સર્જિકલ સ્ટ્રાઈકનું ઉદાહરણ આપ્યું હતું.  રાહુલ ગાંધીના મંદિરોની યાત્રાને લઈને યોગી આદિત્યનાથે સવાલ ઉઠાવતા પુછ્યું કે કેમ ચૂંટણીના સમયે જ રાહુલ ગાંધીને મંદિર યાદ આવે છે?. તેમણે એક એવી વાતનો ઉલ્લેખ કરીને કહ્યું કે જ્યારે રાહુલ ગાંધી સોમનાથ મંદિરે દર્શન કરવા આવ્યા ત્યારે નમાજ પઢતા હોય તેવી રીતે બેઠા હતા.

કોંગ્રેસને જુઠ્ઠી ગણાવીને યોગી આદિત્યનાથે પ્રહાર કર્યા કે કોંગ્રેસને ખોટું બોલવાની એવી આદત પડી છે કે જો તે ખોટું ના બોલે તો તેને ઊંઘ પણ ન આવે. સામ પિત્રોડા પર પણ યોગી આદિત્યનાથે પ્રહાર કરીને કહ્યું કે સામ પિત્રોડા દેશ માટે ‘શેમ’ બન્યા છે.  2019ની ચૂંટણીને યોગી આદિત્યનાથે ભારતની ચૂંટણી ગણાવી હતી અને કોઈ જાતિવાદ વિના ભાજપે વિકાસની યોજનાઓ મુકી છે તેવું પણ તેમણે કહ્યું હતું.

ભાજપ જાતિવાદની ઉપર જઈને તમામ લોકો માટે વિચારી રહી છે.  છેલ્લે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરીને કહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસનો ઝંડો માત્ર ભૂતકાળ બનીને રહી જશે અને તે કોઈ મ્યૂઝિયમમાં પણ જોવા નહીં મળે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">