બજેટમાં નોકરિયાતા વર્ગ માટે GRATUITYને લઈને થઈ મોટી જાહેરાત; સરળ શબ્દોમાં જાણો GRATUITYનું આખું ગણિત

કાર્યવાહક નાણા પ્રધાન પીયૂષ ગોયલે આજે GRATUITYને લઈને મોટી જાહેરાત કરી છે. અમે આપને સરળ શબ્દોમાંસમજાવીશું કે આ જાહેરાતનો હિતાર્થો શું છે ? ગ્રેચ્યુઇટીને લઈને શું થઈ જાહેરાત ? સૌપ્રથમ તો જોઇએ કે નાણા પ્રધાને જાહેરાત શું કરી છે. બજેટમાં કરાયેલી આ જાહેરાત મુજબ કર્મચારીઓની ગ્રેચ્યુઇટીની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારી 30 લાખ રૂપિયા કરવાનો […]

બજેટમાં નોકરિયાતા વર્ગ માટે GRATUITYને લઈને થઈ મોટી જાહેરાત; સરળ શબ્દોમાં જાણો GRATUITYનું આખું ગણિત
Follow Us:
| Updated on: Feb 01, 2019 | 10:05 AM

કાર્યવાહક નાણા પ્રધાન પીયૂષ ગોયલે આજે GRATUITYને લઈને મોટી જાહેરાત કરી છે. અમે આપને સરળ શબ્દોમાંસમજાવીશું કે આ જાહેરાતનો હિતાર્થો શું છે ?

ગ્રેચ્યુઇટીને લઈને શું થઈ જાહેરાત ?

સૌપ્રથમ તો જોઇએ કે નાણા પ્રધાને જાહેરાત શું કરી છે. બજેટમાં કરાયેલી આ જાહેરાત મુજબ કર્મચારીઓની ગ્રેચ્યુઇટીની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારી 30 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

અત્યાર સુધીના કાયદા મુજબ સરકારી કર્મચારીઓને મહત્તમ 10 લાખ રૂપિયા સુધીની જ ગ્રેચ્યુઇટી મળતી હતી, પરંતુ નાણા પ્રધાનની જોગવાઈ મુજબ હવે સરકારી કર્મચારીઓને 30 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

નાણા પ્રધાનની ડબલ ગિફ્ટ

નાણા પ્રધાને ગ્રેચ્યુઇટી લિમિટ વધારવાની સાથે-સાથે 30 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઇટીને ટૅક્સ ફ્રી કરી નાખી છે. આનો અર્થ એ થયો કે સરકારી કર્મચારીઓએ હવે ગ્રેચ્યુઇટી પર કોઈ ટૅક્સ નહીં ચુકવવો પડે, તો ખાનગી સંસ્થાઓમાં જે કર્મચારીઓ કામ કરે છે, જો તેમની ગ્રેચ્યુઇટી 30 લાખ રૂપિયા કરતા વધુ હશે, તો તેમને પણ માત્ર વધારાની રકમ પર જ 5 ટકા ટકા ટૅક્સ ચુકવવો પડશે.

શું છે ગ્રેચ્યુઇટી ?

ગ્રેચ્યુઇટી એ સંસ્થામાં લાગુ થાય છે કે જ્યાં 10થી વધુ કર્મચારીઓ કામ કરે છે. ગ્રેચ્યુઇટી કર્મચારીના પગાર એટલે કે સૅલેરીનો ભાગ છે કે જે કંપની અથવા આપનો એમ્પ્લૉયર આપની વર્ષોની સેવાઓમાં બદલામાં આપે છે. ગ્રેચ્યુઇટી તે ફાયદાકારક યોજના છે કે જે નિવૃત્તિના લાભોનો ભાગ છે. નોકરી છોડવા કે ખતમ થવા પર કર્મચારીને ગ્રેચ્યુઇટી આપવામાં આવે છે.

ક્યારે થવાય ગ્રેચ્યુઇટીના હકદાર ?

ગ્રેચ્યુઇટી કોઈ પણ એવા કર્મચારીને આપવામાં આવે છે કે જેણે સંસ્થામાં સતત 4 વર્ષ 10 મહિના 11 દિવસ સુધી કામ કર્યું હોય. આવા કર્મચારીની સેવાને પાંચ વર્ષની અવિરત સેવા ગણવામાં આવે છે. સામાન્ય રીતે પાંચ વર્ષની સેવા બાદ જ કોઈ કર્મચારી ગ્રેચ્યુઇટીનો હકદાર બને છે.

શું છે ગ્રેચ્યુઇટીનું ગણિત ?

ગ્રેચ્યુઇટીનું મૅથેમેટિકલ સૂત્ર : (છેલ્લા મહિનાની બેસિક સૅલેરી+મોંઘવારી ભથ્થું) X 15 X સેવામાં આપવામાં આવેલા વર્ષો) / 26

દાખલા તરીકે :

કોઈ સંસ્થામાં કોઈ કર્મચારીની 35 વર્ષથી કામ કરે છે. જ્યારે તે નિવૃત્ત થવાનો હતો, ત્યારે છેલ્લા માસની તેની ડીએ + બેસિક સૅલેરી સાથે કુલ માસિક આવક 70,000 રૂપિયા હતી. ગ્રેચ્યુઇટીના ફૉર્મ્યુલા મુજબ ગણતરી કરીએ, તો છેલ્લા માસની બેસિક સૅલેરી+ડીએ એટલે કે 70 હજાર રૂપિયાને 15થી ગુણી દેવામાં આવે, તો 10,50,000 રૂપિયા થાય. હવે આ રકમને તેણે આપેલી સેવાના વર્ષ એટલે કે 35 સાથે ગુણવામાં આવે, તો 3,67,50,000 રૂપિયા થાય અને હવે આ રકમને 26 વડે ભાગવામાં આવે, તો 14,13,461 રૂપિયા થશે. આ રકમ જ આ કર્મચારીની ગ્રેચ્યુઇટી ગણાશે.

[yop_poll id=”962″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">