જમ્મુ-કાશ્મીરની સરકારી કચેરી પર હવે તિરંગો લહેરાયો, અગાઉ એક સાથે બે ધ્વજ રાખવામાં આવતા હતા
જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 દૂર કર્યા બાદ શ્રીનગરના સચિવાલય પરથી જૂનો ધ્વજ હટાવી તિરંગો લહેરાવવામાં આવ્યો છે. ગત અઠવાડિયે સચિવાલય પર એક સાથે બે ધ્વજ ફરકતા હતા. પરંતુ હવે સરકારી ઓફિસો પર માત્ર એક જ ધ્વજ લહેરાતો જોવા મળશે અને તે પણ તિરંગો. 370 દૂર થતાની સાથે જમ્મુ -કાશ્મીરના વિશેષ અધિકાર ખતમ થયાની સાથે અલગ રાષ્ટ્રધ્વજનો […]
જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 દૂર કર્યા બાદ શ્રીનગરના સચિવાલય પરથી જૂનો ધ્વજ હટાવી તિરંગો લહેરાવવામાં આવ્યો છે. ગત અઠવાડિયે સચિવાલય પર એક સાથે બે ધ્વજ ફરકતા હતા. પરંતુ હવે સરકારી ઓફિસો પર માત્ર એક જ ધ્વજ લહેરાતો જોવા મળશે અને તે પણ તિરંગો. 370 દૂર થતાની સાથે જમ્મુ -કાશ્મીરના વિશેષ અધિકાર ખતમ થયાની સાથે અલગ રાષ્ટ્રધ્વજનો નિયમ પણ દૂર થઈ ગયો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જમ્મુ-કાશ્મીરનું પોતાનું સંવિધાન, ઝંડો અને કાનૂન સંહિતા હતી. પરંતુ 370 દૂર થયા બાદ હવે એક સંવિધાન એક નિશાન અને એક કાનૂન લાગુ થયા છે. સરકારી કચેરીઓ પર પણ તિરંગો જ લહેરતો જોવા મળશે. અન્ય રાજ્યના લોકો કાશ્મીરમાં જમીન ખરીદી કરી શકતા નહોતા. પરંતુ હવે તે પણ સંભવ બનશે. તો સાથે રાજ્યપાલનો નવો દરજ્જો કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ તરીકે રહેશે.
[yop_poll id=”1″]