મતદાન પૂર્વે અમિત ચાવડાનો ભાજપ પર વધુ એક ગંભીર આક્ષેપ, કોર્ટે કેસમાં સમાધાન કરાવવા લાલચ આપી હોવાનો લગાવ્યો આરોપ
મંગળવારે જયારે 8 વિધાનસભા બેઠકો માટે મતદાન થવાનું છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર વધુ એક ગંભીર આક્ષેપ કર્યો છે. કોર્ટ કેસમાં સમાધાન કરાવવા લાલચ આપી હોવાનો અમિત ચાવડાએ આરોપ લગાવ્યો છે. કોર્ટ કેસમાં નિર્દોષ છોડાવવાની ભાજપના પૂર્વ ધારાસભ્યએ લેખિતમાં ખાતરી આપી હોવાનું ચાવડાએ જણાવ્યું છે. આ મામલે કોંગ્રેસ ચૂંટણી પંચ […]
મંગળવારે જયારે 8 વિધાનસભા બેઠકો માટે મતદાન થવાનું છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર વધુ એક ગંભીર આક્ષેપ કર્યો છે. કોર્ટ કેસમાં સમાધાન કરાવવા લાલચ આપી હોવાનો અમિત ચાવડાએ આરોપ લગાવ્યો છે. કોર્ટ કેસમાં નિર્દોષ છોડાવવાની ભાજપના પૂર્વ ધારાસભ્યએ લેખિતમાં ખાતરી આપી હોવાનું ચાવડાએ જણાવ્યું છે. આ મામલે કોંગ્રેસ ચૂંટણી પંચ અને હાઇકોર્ટમાં રજુઆત કરશે તેમ પણ ઉમેર્યું છે. આ અંગે કોંગ્રેસે પત્રકાર પરિષદમાં એક પત્ર પણ રજુ કર્યો હતો. સાંસરોદના પૂર્વ સરપંચને સંબોધીને આ પત્ર લખાયો છે. દિનેશ પટેલના લેટર પેડ પર લેખિત બાહેંધરી આપી હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો