ગુજરાતમાં પેટાચૂંટણી: થરાદમાં ભાજપના અનુભવી અને કોંગ્રેસના યુવાન નેતા…જાણો જાતિગત રાજનીતિમાં કોની થશે જીત?

|

Oct 12, 2019 | 12:12 PM

થરાદ બેઠક પરથી MLA પર પરબત પટેલ સાંસદ બનતા બેઠક ખાલી પડી અને પેટાચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે આ બેઠક પર ફરી એક વખત ભાજપે પાટીદાર કાર્ડ ખેલ્યું છે. તો કોંગ્રેસ જાતિગત સમીકરણથી અલગ જઈને યુવા ચહેરાને મેદાને ઉતાર્યા છે. આ પણ વાંચોઃ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને વડાપ્રધાન મોદીની ભેટ, ભારતે ચીનની e-Visa ડિમાન્ડ પૂરી કરી […]

ગુજરાતમાં પેટાચૂંટણી: થરાદમાં ભાજપના અનુભવી અને કોંગ્રેસના યુવાન નેતા...જાણો જાતિગત રાજનીતિમાં કોની થશે જીત?

Follow us on

થરાદ બેઠક પરથી MLA પર પરબત પટેલ સાંસદ બનતા બેઠક ખાલી પડી અને પેટાચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે આ બેઠક પર ફરી એક વખત ભાજપે પાટીદાર કાર્ડ ખેલ્યું છે. તો કોંગ્રેસ જાતિગત સમીકરણથી અલગ જઈને યુવા ચહેરાને મેદાને ઉતાર્યા છે.

આ પણ વાંચોઃ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને વડાપ્રધાન મોદીની ભેટ, ભારતે ચીનની e-Visa ડિમાન્ડ પૂરી કરી

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

અન્ય બેઠકોની જેમ થરાદ બેઠક પર પણ આગામી 21મી ઓક્ટોબરના રોજ મતદાન થશે. જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે. આમ તો આ બેઠક પર છેલ્લી 3 ટર્મથી ભાજપનું શાસન રહ્યું છે. જો કે અહીં પણ મહત્વના 2 પ્રશ્નો વણ ઉકેલાયા છે. જેમા એક પ્રશ્ન થરાદમાં GIDCની સ્થાપના તથા બીજો પ્રશ્ન થરાદને જિલ્લો જાહેર કરવાનો છે. સાથે જ પીવાના પાણીની પણ આ વિસ્તારમાં સમસ્યા જોવા મળી છે. 2019માં ભાજપ દ્વારા સંસદ સભ્ય હરિભાઇ ચૌધરીને રિપીટ ન કરી થરાદના ધારસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી પરબતભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જેમાં પરબતભાઇ પટેલનો લોકસભાની ચૂંટણીમાં વિજય થતાં થરાદ વિધાનસભાની બેઠક ખાલી થતાં થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે.

જેમાં થરાદ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2,09,183 મતદાતાઓ છે. જેમાં 1,15,684 પુરુષ અને 1,02,119 સ્ત્રી મતદાતાઓ છે. થરાદ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ તરફથી જીવરાજ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. જેવો થરાદ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન છે. તો કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે. જે પ્રદેશમાં યુથ કોંગ્રેસના પ્રમુખ છે અને થરાદના ભૂતપૂર્વ ધારસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે. તો એનસીપીએ પુંજાભાઈ દેસાઈને મેદાને ઉતર્યા છે. તો આ સિવાય અન્ય 4 અપક્ષ ઉમેદવારે થરાદમાં ઉમેદવારી નોંધાવતા 7 ઉમેદવારો મેદાનમાં છે

થરાદ બેઠકમાં જાતિ પ્રમાણે મતદાતાઓ..

દેશી ચૌધરી પટેલ-33000
મારવાડી ચૌધરી પટેલ -21000
ઠાકોર -30000
દલિત-32000
મુસ્લિમ -12000
રબારી-9000
બ્રાહ્મણ -8000
પ્રજાપતિ-7000
માજીરાણા-7000
રાજપૂત-6000
જાગીરદાર દરબાર-5000
નાઈ-4500
માળી -3000
ઇતરકોમ-40,000

થરાદમાં મુખ્યત્વે ચૌધરી પટેલોના વોટ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જો કે આ બેઠક પર શંકર ચૌધરીને ટિકિટ ન મળતા સમાજમાં એક નારાજગી છે. જેની અસર થરાદ અને રાધનપુર બેઠક પર થાય એવી સંભાવના છે. જો કે હાલમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો પોતાની જીતમાં દાવા કરી રહ્યા છે.

આમ તો થરાદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. જેમાં હાલ કાંટાની ટક્કર છે પરંતુ કોંગ્રેસના મારવાડી ચૌધરી એવા પટેલ માવજીભાઈનો ઝુકાવ જે તરફ હશે તે તરફ મારવાડી પટેલોના વોટ પડશે. 2017માં માવજીભાઈને કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતાં તેવો કોંગ્રેસ પક્ષ છોડીને અપક્ષ ચૂંટણી લડ્યા હતા. જેના કારણે કોંગ્રેસે નુકસાન ભોગવવું પડ્યું હતું. અને ભાજપના પરબત પટેલનો વિજય થયો હતો તેથી માવજીભાઈને કોંગ્રેસ પક્ષે સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે 2019ની લોકસભાની ચૂંટણી વખતે માવજીભાઈને કોંગ્રેસે પાછા પક્ષમાં લઈ લીધા હતા. જોકે આ વખતે માવજીભાઈ પટેલ પણ ટિકિટના દાવેદાર હતા. પણ કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જો કે હાલ માવજીભાઈએ અંદરખાને પરબત પટેલ જોડે સમાધાન કરી લીધું છે તેવી વાતોએ જોર પકડ્યું છે. જોકે તેવું હોય તો કોંગ્રેસે થરાદની સીટ ખોવાનો વખત આવશે.

થરાદ વિધાનસભાના ભૂતકાળ ઉપર એક નજર…


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 7 ઉમેદવારો અલગ અલગ પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા. ભાજપમાંથી પરબતભાઇ, કોંગ્રેસમાંથી ડીડી રાજપુત અને અપક્ષ માવજીભાઈ ચૂંટણી લડ્યા હતા. ચૂંટણીમાં પરબતભાઇ પટેલને કુલ 69,789 વોટ મળ્યા હતા. ડીડી રાજપૂતને કુલ 58,056 વોટ મળ્યા હતા. જ્યારે અપક્ષ ઉમેદવાર માવજીભાઈને કુલ 42,982 વોટ મળ્યા હતા. 2017ની થરાદ વિધાનસભાની ચૂંટણી પરબતભાઇ પટેલ કુલ 11,733 વોટથી જીત્યા હતા. 2007 સુધી વાવ અને થરાદ સંયુક્ત મત વિસ્તાર હતો. જ્યારે 2009થી વાવ અને થરાદનું અલગ અલગ વિધાનસભા મત વિસ્તારોમાં વિભાજન કરાયું હતું. આ સીટ પર 1985મા પરબતભાઇ કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. 1995માં પરબતભાઇ પટેલ આ સીટ પરથી અપક્ષ ચૂંટાયા હતા. જયારે 2007, 2012 અને 2017મા ભાજપમાંથી ચૂંટાયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 11:02 am, Sat, 12 October 19

Next Article