AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Expansion of Modi Cabinet : મોદી કેબીનેટના વિસ્તરણ અંગે NDAમાં અટકળો તેજ, JDU અને LJP ને મળી શકે છે મંત્રીપદ

Expansion of Modi Cabinet : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળને બે વર્ષ પૂરા થયા છે અને આજ સુધીમાં મોદી કેબીનેટનું એક પણ વખત વિસ્તરણ થયું નથી. મોદી કેબીનેટના સંભવિત વિસ્તરણમાં ભાજપ તેના સાથી પક્ષોને પહેલા કરતાં વધુ જગ્યા આપી શકે છે.

Expansion of Modi Cabinet : મોદી કેબીનેટના વિસ્તરણ અંગે NDAમાં અટકળો તેજ, JDU અને LJP ને મળી શકે છે મંત્રીપદ
FILE PHOTO
| Updated on: Jun 14, 2021 | 11:34 PM
Share

Expansion of Modi Cabinet : કેન્દ્રની મોદી સરકારના સંભવિત કેબિનેટ વિસ્તરણ માટે NDAમાં અટકળો તેજ થઇ છે. સંભવિત વિસ્તરણમાં JDU, AIADMK, અપના દલ અને LJP ના નવા જૂથને સ્થાન મળી શકે છે. આ ફેરબદલની અસર હાલના 6 જેટલા પ્રધાનો પર પણ પડી શકે છે, જેમના કામકાજને થોડું ઓછું કરવામાં આવશે.

મોદી કેબીનેટ પર ભાજપનો દબદબો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળને બે વર્ષ પૂરા થયા છે અને આજ સુધીમાં મોદી કેબીનેટનું એક પણ વખત વિસ્તરણ થયું નથી. કોરોના સમયગાળાને કારણે છેલ્લા એક વર્ષથી આવી કવાયત પણ થઈ શકી ન હતી, પરંતુ હવે સરકારમાં મોદી કેબીનેટના વિસ્તરણ (Expansion of Modi Cabinet) ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

મોદી સરકારમાં NDA નું પ્રતિનિધિત્વ નામ માત્રનું રહી ગયું છે. મોદી કેબીનેટ પર ભાજપનો દબદબો છે અને સાથી પક્ષોમાંથી રિપબ્લિકન પાર્ટીના રામદાસ આઠવલે એક માત્ર મંત્રી છે. આઠાવલે પણ રાજ્યસ્તરના મંત્રી અને કેબિનેટ પર ભાજપનું સંપૂર્ણ પ્રભુત્વ છે.

સહયોગી દળોને મળશે સ્થાન મોદી કેબીનેટના સંભવિત વિસ્તરણ (Expansion of Modi Cabinet) માં ભાવિ ગણિતોને ધ્યાનમાં રાખીને ભાજપ તેના સાથી પક્ષોને પહેલા કરતાં વધુ જગ્યા આપી શકે છે. ભૂતકાળમાં સરકારમાં જોડાવાની ના પાડી ચૂકેલી JDU હવે તેમાં ભાગ લઈ શકે છે. આ ઉપરાંત તમિળનાડુમાં સત્તાની બહાર આવ્યા પછી AIADMK પણ કેન્દ્રમાં સરકારમાં જોડાવાની તૈયારી કરી રહી છે.ઉત્તર પ્રદેશમાં ભાવિ ચૂંટણીના સમીકરણો જોતા અપના દળને પણ સ્થાન કેબીનેટમાં સ્થાન મળી શકે છે.

LJP ના નવા સમૂહને થઇ શકે છે લાભ તાજેતરના મોટા ઘટનાક્રમમાં લોક જનશક્તિ પાર્ટીના ભંગાણની અસર પણ મોદી કેબિનેટના વિસ્તરણ (Expansion of Modi Cabinet) પર પડી શકે છે. બિહારની ચૂંટણી સમયે NDA સામે લડેલી LJP માં ભાગલા પડ્યા છે અને તેના નેતા ચિરાગ પાસવાનને અલગ કરી દેવામાં આવ્યા છે. પક્ષના લોકસભાના છ સાંસદોમાંથી પાંચ સાંસદોએ પોતાનું જૂથ બનાવ્યું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ જૂથને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન મળી શકે છે.

કેટલાક મંત્રીઓનો ભાર ઓછો થશે સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદી કેબીનેટના સંભવિત વિસ્તરણમાં હાલના કેન્દ્રીય પ્રધાનોમાં અડધો ડઝનનું ભારણ ઘટાડી શકે તેવી શકયતા છે. આ મંત્રીઓ પાસે બેથી ત્રણ મંત્રાલયોનું કામ છે. મોદી કેબીનેટના વિસ્તરણ અને ફેરબદલમાં લગભગ દોઢ ડઝન નવા મંત્રીઓન સામેલ થવાની સંભાવના છે.

મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
g clip-path="url(#clip0_868_265)">