અરૂણ જેટલીનું ગુજરાત કનેકશન, ગુજરાતમાંથી રાજ્યસભાના હતા સાંસદ

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલી હવે નથી રહ્યા. 9 ઓગસ્ટે તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ આજે તેમનું નિધન થયું છે. જેટલી હંમેશાં તેમના શ્રેષ્ઠ કાર્યો માટે જાણીતા રહેશે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં અરુણ જેટલીની મોટી ભૂમિકા હતી. અરૂણ જેટલીનો ગુજરાત અને મોદી સાથે બે દાયકાથી ગાઢ સંબંધ […]

અરૂણ જેટલીનું ગુજરાત કનેકશન, ગુજરાતમાંથી રાજ્યસભાના હતા સાંસદ
Follow Us:
| Updated on: Aug 24, 2019 | 8:49 AM

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલી હવે નથી રહ્યા. 9 ઓગસ્ટે તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ આજે તેમનું નિધન થયું છે. જેટલી હંમેશાં તેમના શ્રેષ્ઠ કાર્યો માટે જાણીતા રહેશે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં અરુણ જેટલીની મોટી ભૂમિકા હતી. અરૂણ જેટલીનો ગુજરાત અને મોદી સાથે બે દાયકાથી ગાઢ સંબંધ રહ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
અરૂણ જેટલી પહેલી રાજ્યસભાની ચૂંટણી ગુજરાતમાંથી લડ્યા હતા અને રાજ્યસભાના સાંસદ બન્યા. તેઓએ 2006 થી 2012 અને 2012 થી 2018 સુધી રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષ 2002માં થયેલા ગોધરાકાંડ બાદ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવવાની યોજના બની હતી પરંતુ આ સમયે અડવાણીની સાથે અરૂણ જેટલી પણ તેમના સમર્થનમાં મજબૂતાઈથી ઉભા રહ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વર્ષ-2002 થી 2013 સુધીમાં ગુજરાતમાં સોહરાબુદ્દીન અને ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં પણ જેટલી અમિત શાહ અને મોદીની પડખે રહ્યાં. મીડિયામાં પણ તેઓ અનેકવાર મોદી-શાહનો બચાવ કરતા જોવા મળ્યા. તેની સાથે કાયદાકીય મદદ પણ કરી હતી. વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે દિલ્હી માટે તેઓ નવા હતા. આ સમયે જેટલી એક માત્ર એવા વ્યક્તિ હતા જેઓ અમિત શાહ બાદ મોદીના સૌથી વધુ વિશ્વાસુ હતા.

આ પણ વાંચો: દેશની મહત્વની 6 યોજનાઓની વાત કરવામાં આવશે ત્યારે અરુણ જેટલીને યાદ કરાશે

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">