દિલ્હી ચૂંટણી : કેજરીવાલને ‘આતંકવાદી’ કહ્યાં તો ચૂંટણી પંચે ભાજપના નેતા પર કરી કાર્યવાહી
દિલ્હીમાં ચૂંટણી પંચ વિવાદાસ્પદ નિવેદન આપનારા નેતાઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે. ભાજપના સાંસદ પ્રવેશ વર્મા પર બીજી વખત ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને આતંકવાદી કહેવા પર ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. જેમાં 24 કલાક સુધી પ્રતિબંધ ભાજપના આ નેતા પર લગાવવામાં આવ્યો છે. ચૂંટણી આચાર સંહિતાના નિયમોને લઈને કાર્યવાહી કરવામાં […]
દિલ્હીમાં ચૂંટણી પંચ વિવાદાસ્પદ નિવેદન આપનારા નેતાઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે. ભાજપના સાંસદ પ્રવેશ વર્મા પર બીજી વખત ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને આતંકવાદી કહેવા પર ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. જેમાં 24 કલાક સુધી પ્રતિબંધ ભાજપના આ નેતા પર લગાવવામાં આવ્યો છે. ચૂંટણી આચાર સંહિતાના નિયમોને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. પ્રવેશ વર્માએ આ પહેલાં શાહીનબાગ વિરોધ પ્રદર્શનને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેના લીધે ચૂંટણી પંચે કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો : PM મોદીના સુરક્ષા ઘેરામાં ઘૂસવાની યુવાન દ્વારા કોશિશ, ઉત્તર પ્રદેશમાં સભા બાદની ઘટના
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
દિલ્હીમાં કેજરીવાલને આતંકવાદી કહ્યાં બાદ રાજનીતિ ગરમાયી હતી. આમ આદમી પાર્ટીના નેતાઓએ ચેલેન્જ આપી હતી કે જો કેજરીવાલ આતંકવાદી હોય તો ભાજપની સરકાર તેની ધરપકડ કરી બતાવે. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે અને દિલ્હીની જનતા સરકાર કોની બનશે તેની પર પોતાના જનાદેશ આપશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]