મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બચાવવા કમલનાથ મેદાને, જાણો શું ઘડ્યો પ્લાન?
મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે તો આ બાજુ ભાજપ મધ્યપ્રદેશમાં પોતાની સરકાર બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યું છે. સિંધિયા બુધવારના રોજ ભાજપ જોઈન કરી શકે છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે તો ધારાસભ્યોના રાજીનામાને સ્વીકારવામાં આવ્યા નથી. આમ જ્યાં સુધી રાજીનામાનો સ્વીકાર ના થાય ત્યાં સુધી કમલનાથની સરકાર યથાવત છે. […]
મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે તો આ બાજુ ભાજપ મધ્યપ્રદેશમાં પોતાની સરકાર બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યું છે. સિંધિયા બુધવારના રોજ ભાજપ જોઈન કરી શકે છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે તો ધારાસભ્યોના રાજીનામાને સ્વીકારવામાં આવ્યા નથી. આમ જ્યાં સુધી રાજીનામાનો સ્વીકાર ના થાય ત્યાં સુધી કમલનાથની સરકાર યથાવત છે.
આ પણ વાંચો : સિંધિયા બુધવારે જોડાય શકે છે ભાજપમાં, જાણો કયું મોટું પદ મળી શકે છે?
સરકાર બચાવવા માટે 3 મંત્રીઓને ઉતાર્યા મેદાનમાં કમલનાથની નારાજગી હોય અને સિંધિયાના સમર્થકો એવા 22 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. જો કે કોંગ્રેસ અંતિમ પ્રયાસ કરી લેવા ઈચ્છે છે. આ માટે જવાબદારી સજ્જન સિંહ વર્માને સોંપવામાં આવી છે. સજ્જન સિંહની સાથે અન્ય 2 મંત્રીઓ પણ બેંગ્લુરું જવાના રવાના થઈ શકે છે. આમ જે પણ નારાજગી છે તેને લઈને ચર્ચા કરવાનું કોંગ્રેસે નક્કી કર્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કોંગ્રેસ પણ લડી લેવા માટે તૈયાર જો કે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે કોઈપણ અમારા વિશ્વાસને ડગાવી શકે તેમ નથી. અમારી પાસે 94 ધારાસભ્યો છે અને અમે ટક્કર આપીશું. આમ કમલનાથ સરકાર અંતિમ તમામ વિકલ્પ પર વિચાર કરી રહી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]