લોક્સભા ચૂંટણીના પરિણામો પહેલા જ મુલાયમ-અખિલેશના આવી ગયા ‘અચ્છે દિન’!

23મેના રોજ લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે અને તેના એક દિવસ પહેલા UPના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવ અને તેમના પુત્ર અખિલેશ યાદવને CBIએ ક્લીન ચીટ આપી છે. CBI તરફથી આ કેસને લઇને સુપ્રીમ કોર્ટમાં એક સોગંધનામું રજૂ કરવામાં આવ્યું હતુ જેમાં કોઇ પ્રકારના નક્કર પૂરાવા ન મળવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વર્ષ-2005માં કોંગ્રેસની સરકાર […]

લોક્સભા ચૂંટણીના પરિણામો પહેલા જ મુલાયમ-અખિલેશના આવી ગયા 'અચ્છે દિન'!
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: May 21, 2019 | 8:51 AM

23મેના રોજ લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે અને તેના એક દિવસ પહેલા UPના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવ અને તેમના પુત્ર અખિલેશ યાદવને CBIએ ક્લીન ચીટ આપી છે. CBI તરફથી આ કેસને લઇને સુપ્રીમ કોર્ટમાં એક સોગંધનામું રજૂ કરવામાં આવ્યું હતુ જેમાં કોઇ પ્રકારના નક્કર પૂરાવા ન મળવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વર્ષ-2005માં કોંગ્રેસની સરકાર હતી તે દરમિયાન મુલાયમસિંહ યાદવ, અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવ સામે કોંગ્રેસ નેતા વિશ્વનાથ ચતુર્વેદીએ આવકથી વધારે સંપતિનો કેસ કર્યો હતો. આ કેસ અંગે વિશ્વનાથ ચતુર્વેદીએ એક PIL દાખલ કરી CBI તપાસની માંગ કરી હતી ત્યારબાદ વર્ષ-2007માં સુપ્રીમ કોર્ટે CBIને તપાસના આદેશ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે CBIને આ કેસ અંગેના તપાસના રિપોર્ટ વર્ષ-2019માં રજૂ કરવાનું કહ્યુ હતું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અખિલેશ યાદવ CBI તપાસને લઇને ઘણી વખત કોંગ્રેસ પર હુમલાઓ કરી ચૂક્યા છે. તેમણે કોંગ્રેસ પર તેની વિરોધી પાર્ટીઓ સામે ષડયંત્ર રચવાનો પણ આરોપ લગાવ્યા હતો. અખિલેશ યાદવે થોડા સમય પહેલા જ કહ્યુ હતું કે કોંગ્રેસનું કામ દગો દેવાનું છે, ભાજપની જેમ જ કોંગ્રેસ પણ તેની વિરોધી પાર્ટીઓને ડરાવે છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 સીટોનું એગ્ઝિટ પોલ, કોની થશે જીત અને કોની થશે હાર

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર CBIની એક અન્ય કેસની પણ તપાસ ચાલી રહી છે. UPમાં ગેરકાયદેસર માઇનિંગ કેસમાં કરેલા ગોટાળાને લઇને તેમના પર કેસ દાખલ કરવામાં આવ્યો અને CBIએ તેમની પૂછપરછ કરી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">