Karnataka: બાસવરાજ બોમ્માઇ આજે મુખ્ય પ્રધાન પદના શપથ લેશે, જાણો ભાજપે શા માટે કરી બાસવરાજ બોમ્માઇની પસંદગી

|

Jul 28, 2021 | 9:04 AM

રાજ્યના કાર્યકારી મુખ્યમંત્રી બી.એસ. યેદીયુરપ્પાનો બે વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ તેમણે પદ પરથી રાજીનામું આપ્યું હતું.ત્યારે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન પદ માટે બાસવરાજ બોમ્માઇની પસંંદગી કરવામાં આવી છે. સુત્રોનું માનીએ તો,આજે 28 જુલાઈએ સવારે 11 કલાકે તેઓ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે.

Karnataka: બાસવરાજ બોમ્માઇ આજે મુખ્ય પ્રધાન પદના શપથ લેશે, જાણો ભાજપે શા માટે કરી બાસવરાજ બોમ્માઇની પસંદગી
Basavaraj Bommai (File Photo)

Follow us on

Karnataka: રાજ્યના કાર્યકારી મુખ્યમંત્રી બી.એસ. યેદીયુરપ્પાએ સોમવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેના એક દિવસ બાદ નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવી. કર્ણાટકના નવા મુખ્ય પ્રધાન માટે બાસવરાજ બોમ્માઇની (Basavaraj bommai)જાહેરાત કરવામાં આવી છે. મંગળવારે ધારાસભ્ય પક્ષની બેઠકમાં તેમના નામ પર મહોર લાગી હતી. અહેવાલોનું માનીએ તો,આજે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી પદના તેઓ શપથ લેશે. જણાવવું રહ્યું કે,હાલમાં તેઓ કર્ણાટકના ગૃહ પ્રધાન તરીકોનો કાર્યભાર સંભાળી રહ્યા છે.

રાજ્યના કાર્યકારી મુખ્યમંત્રી બી.એસ. યેદીયુરપ્પાનો( B S Yeddyurappa)બે વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ તેમણે પદ પરથી રાજીનામું આપ્યું હતું.ત્યારે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન પદ માટે બાસવરાજ બોમ્માઇની પસંંદગી કરવામાં આવી છે. સુત્રોનું માનીએ તો,આજે 28 જુલાઈએ સવારે 11 કલાકે તેઓ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે.બાસવરાજએ લિંગાયત સમુદાયમાંથી આવે છે અને તે યેદિયુરપ્પાના નજીકના માનવામાં આવી રહ્યા છે.

ભાજપે બસાવરાજ બોમ્માઇની શા માટે કરી પસંદગી

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

યેદિયુરપ્પા બાદ ભાજપે (BJP) ફરી એકવાર લિંગાયત સમુદાયને નવા મુખ્ય પ્રધાન(Chief Minister) તરીકે પસંદ કર્યા છે. આપને જણાવવું રહ્યું કે, બાસવરાજ બોમ્માઇ પણ લિંગાયત સમુદાયમાંથી(Lingayat community)આવે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે,ભાજપ નેતૃત્વમાં પરિવર્તન લાવવા માટે તેના મુખ્ય વોટ બેંક લિંગાયત સમુદાયને બાજુ પર રાખી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં(Karnataka) આ સમુદાયની વસ્તી લગભગ 17 ટકા જેટલી છે. આપને જણાવવું રહ્યું કે, યેદિયુરપ્પાને હટાવ્યા બાદ લિંગાયત સમુદાય દ્વારા મોટા પાયે પક્ષના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો.

નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ, બાસવરાજે જણાવ્યું હતું કે,” મુખ્ય પ્રધાન પદની મોટી જવાબદારી છે. હું ગરીબોના કલ્યાણ માટે કામ કરવાનો પ્રયત્ન કરીશ.”અને વધુમાં જણાવ્યું હતું કે, આ સરકાર લોકો તરફી અને ગરીબ તરફી સરકાર હશે.જ્યારે કર્ણાટકના કાર્યકારી સીએમ બીએસ યેદીયુરપ્પાએ કહ્યું કે, અમે બસાવરાજને સર્વાનુમતે ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટ્યા છે. હું વડાપ્રધાન મોદીના સમર્થન બદલ તેમનો આભાર માનું છું.

બસાવરાજે યેદીયુરપ્પાની સરકારમાં ગૃહ, કાયદો, સંસદીય બાબતો અને કાયદાકીય બાબતોના વિભાગોનો કાર્યભાળ સંભાળી રહ્યા હતા.ઉપરાંત યેદિયુરપ્પાની સરકારમાં બોમ્માઈને શરૂઆતમાં ગૃહ મંત્રાલયનો (Home Minister) હવાલો પણ સોંપવામાં આવ્યો હતો અને બાદમાં કેટલાક મહિના પહેલા કેબિનેટ (Cabinet) ફેરબદલમાં તેમને કાયદા, સંસદીય બાબતો અને વિધાનસભા(Assembly) બાબતોના મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી હતી.

 

આ પણ વાંચો: Parliament Monsoon Session: પેગાસસ પર આજે ફરી હંગામાનાં અણસાર, 10 વિરોધી પાર્ટી આપશે લોકસભા સ્થગિતનો પ્રસ્તાવ

આ પણ વાંચો: Karnataka CM બસવરાજ બોમ્મઈ બનશે કર્ણાટકના નવા મુખ્ય પ્રધાન

Next Article