Gujarati NewsPoliticsBalakot air strike rajnath singh attacks congress can go to pakistan for head count of terrorists killed
ઍર સ્ટ્રાઈકના આરોપ પર રાજનાથ સિંહે વિરોધીઓને આપ્યો જવાબ, કેટલા આતંકી મર્યા તે પાકિસ્તાનમાં જઈને ગણી લો
POK અને પાકિસ્તાનમાં થયેલી ઍર સ્ટ્રાઈક બાદ કેટલા આતંકી માર્યા ગયા, તેની સંખ્યાને લઈ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષીઓ સવાલ ઉઠાવી રહ્યાં છે. જે અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, કેટલા આતંકી માર્યા ગયા તેની માહિતી આજે નહીં તો કાલે સામે આવશે. કોંગ્રેસ આ મામલે રાજનીતિ કરી રહી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ઉપરાંત […]
POK અને પાકિસ્તાનમાં થયેલી ઍર સ્ટ્રાઈક બાદ કેટલા આતંકી માર્યા ગયા, તેની સંખ્યાને લઈ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષીઓ સવાલ ઉઠાવી રહ્યાં છે.
જે અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, કેટલા આતંકી માર્યા ગયા તેની માહિતી આજે નહીં તો કાલે સામે આવશે. કોંગ્રેસ આ મામલે રાજનીતિ કરી રહી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ઉપરાંત રાજનાથે વધુમાં કહ્યું કે, કોંગ્રેસને જાણવાની ઈચ્છા હોય તો પાકિસ્તાન જાય અને લાશો ગણીને આવે.
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
બોર્ડર પ્રોજેક્ટના લોકાર્પણ બાદ રાજનાથ સિંહે કહ્યું કે, કેટલીક પાર્ટીઓના નેતાઓ વારંવાર પૂછી રહ્યાં છે કે, ઍર સ્ટ્રાઈક કેટલી સફળ રહી. કેટલા આતંકી માર્યા ગયા છે. રાજનાથે વધુમાં કહ્યું કે, પાકિસ્તાની સૈન્ય અને નેતાઓના મન જાણે છે કે, કેટલા આતંકીઓના મોત થયા છે. કારણ કે નેશનલ ટેક્નિકલ રીસર્ચ ઑર્ગેનાઝેશનની ટીમે ઍર સ્ટ્રાઈક પહેલા હુમલાની જગ્યા પર 300 મોબાઈલ અક્ટિવ હોવાની પુષ્ટિ કરી હતી.
નેશનલ ટેક્નિકલ રીસર્ચ ઑર્ગેનાઝેશન એક પ્રમાણિક સિસ્ટમ છે. તો શું આ મોબાઈલ ત્યાનાં વૃક્ષો વાપરી રહ્યાં હતા ? આ સવાલ સાથે રાજનાથ સિંહે કહ્યું કે, હવે નેશનલ ટેક્નિકલ રીસર્ચ ઑર્ગેનાઝેશન પર પણ વિશ્વાસ નહીં રાખે ?