અસમમાં નાગરિકતા સંશોધન બિલનો વિરોધ: ઈન્ટરનેટ બંધ, 5 હજાર જવાન તૈનાત
નાગરિકતા સંશોધન વિધેયકનો ભારે વિરોધ નોર્થ ઈસ્ટ રાજ્યોમાં જોવા મળી રહ્યો છે. સરકારે ઈન્ટરનેટ બંધ કરવાની ફરજ પડી છે. પર્યટકોને પરત આવવું પડી રહ્યું છે અને એરપોર્ટના પરિચાલન પર પણ અસર પડી રહી છે. બુધવારનો રોજ ભારે વિરોધ પ્રદર્શન થયું હતું અને હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. સચિવાલયની પાસે પણ સુરક્ષા અધિકારીઓ અને […]
નાગરિકતા સંશોધન વિધેયકનો ભારે વિરોધ નોર્થ ઈસ્ટ રાજ્યોમાં જોવા મળી રહ્યો છે. સરકારે ઈન્ટરનેટ બંધ કરવાની ફરજ પડી છે. પર્યટકોને પરત આવવું પડી રહ્યું છે અને એરપોર્ટના પરિચાલન પર પણ અસર પડી રહી છે. બુધવારનો રોજ ભારે વિરોધ પ્રદર્શન થયું હતું અને હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. સચિવાલયની પાસે પણ સુરક્ષા અધિકારીઓ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ આ વિરોધના લીધે એરપોર્ટ પર ફસાઈ ગયા હતા. અંદાજે 20 મિનિટ સુધી તેમને એરપોર્ટ રહેવાની ફરજ પડી છે.
આ પણ વાંચો : અભિજીત બેનર્જીએ ભારતીય પોશાકમાં સ્વીકાર્યું નોબેલ પ્રાઈઝ, જુઓ તસવીરો
નાગરિકતા સંશોધન વિધેયકનો વિરોધ મેઘાલય, અસમ અને ત્રિપુરામાં થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે સુરક્ષાની સ્થિતિ જળવાઈ રહે તે માટે 5 હજાર જવાનોને નોર્થ ઈસ્ટમાં મોકલ્યા છે. ભારે વિરોધ પ્રદર્શનના લીધે ઈન્ટરનેટ બંધ કરવું પડ્યું હતું. અસમના 10 જિલ્લામાં 24 કલાક સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ લાદી દેવાયો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ગુવાહાટી વિરોધ પ્રદર્શન કરનારાને હટાવવા માટે ભારે લાઠીચાર્જ સુરક્ષા અધિકારીઓએ કર્યો હતો અને ટિયર ગેસના સેલ પણ છોડ્યા હતા. વિદ્યાર્થી સંગઠનની વિવિધ પાંખ આ આંદોલનમાં જ જોડાઈ છે અને તેઓએ સચિવાલયનો ઘેરાવો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ પત્થરમારો કરી રહ્યાં છે અને તેમાં એક પત્રકારને પણ ઈજા પહોંચી છે. વિશાળ મોટર સાઈકલ રેલીઓ નિકાળવામાં આવી રહી છે અને અસમમાં નાગરિકતા સંશોધન વિધેયકને લઈને ભારે આગચંપી જોવા મળી રહી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]