દેશની મહત્વની 6 યોજનાઓની વાત કરવામાં આવશે ત્યારે અરુણ જેટલીને યાદ કરાશે

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલી હવે નથી રહ્યા. 9 ઓગસ્ટે તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેટલી હંમેશાં તેમના શ્રેષ્ઠ કાર્યો માટે જાણીતા રહેશે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં અરુણ જેટલીની મોટી ભૂમિકા હતી. મોદી સરકારે પોતાની પ્રથમ કાર્યકાળમાં ઘણા મોટા નિર્ણયો લીધા હતા. સરકારમાં અરૂણ જેટલી વડા પ્રધાન નરેન્દ્ર […]

દેશની મહત્વની 6 યોજનાઓની વાત કરવામાં આવશે ત્યારે અરુણ જેટલીને યાદ કરાશે
Follow Us:
| Updated on: Aug 24, 2019 | 7:57 AM

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલી હવે નથી રહ્યા. 9 ઓગસ્ટે તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેટલી હંમેશાં તેમના શ્રેષ્ઠ કાર્યો માટે જાણીતા રહેશે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં અરુણ જેટલીની મોટી ભૂમિકા હતી. મોદી સરકારે પોતાની પ્રથમ કાર્યકાળમાં ઘણા મોટા નિર્ણયો લીધા હતા. સરકારમાં અરૂણ જેટલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી નજીકના અને વિશ્વસનીય હતા. નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયો માટે જેટલી હંમેશાં યાદ રહેશે.જેટલીના નાણાં પ્રધાન દરમિયાન આ 6 મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા જેનો સીધો સંબંધ સામાન્ય લોકો સાથે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

1. નોટબંધી ન તો આપણે ભૂલી ગયા, ન તમે ભૂલી શકશો, ન તો આખો દેશ ભૂલી શકે. 8 નવેમ્બર 2016 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની ઘોષણા કરી હતી અને 1000 અને 500 રૂપિયાની ચલણ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ જાહેરાતની સાથે જ દાવો કર્યો હતો કે આ પગલાથી કાળા નાણાં પર કાબૂ આવશે. તે બનાવટી ચલણ પકડવામાં મદદ કરશે. આ સમગ્ર રણનીતિ ગુપ્ત રીતે બનાવવામાં આવી હતી, જેમાં નાણાં પ્રધાન અરુણ જેટલીની મુખ્ય ભૂમિકા હતી.

2. જન ધન યોજના જન ધન યોજનાને કારણે આજે દેશમાં 35.39 કરોડથી વધુ લોકોના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. આજે જન ધન એકાઉન્ટ્સ એ સાક્ષી છે કે આ ખાતાઓએ સામાન્ય માણસને બચાવવા કેવી પ્રેરણા આપી છે. જન ધન યોજના મોદી સરકારે 2014 માં શરૂ કરી હતી. આ યોજનાને સફળ બનાવવામાં અરુણ જેટલીનો મોટો ફાળો છે. જેટલીની સફળ વ્યૂહરચનાને કારણે જ મોદી સરકાર આજે આ યોજનાને તેની સૌથી મોટી ઉપલબ્ધિ કહે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

3. જી.એસ.ટી. જીએસટી એટલે એક રાષ્ટ્ર, એક કર. પરંતુ તેનો અમલ કરવા માટે અંતિમ નિર્ણય લેવો સરળ નહોતું. તેની અગાઉની સરકારોમાં જ ચર્ચા થઈ હતી, પરંતુ અરુણ જેટલીએ હિંમત દર્શાવી હતી, તેથી શ્રેય અરુણ જેટલીને જાય છે. આ નવી કર પ્રણાલીમાં તમામ માલ માટે કોઈ અલગ કર ચૂકવવો પડતો નથી. આ પહેલા 1991 માં અર્થવ્યવસ્થાને ઉદાર બનાવવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. નાણાકીય ક્ષેત્રમાં સુધારા તરફ જીએસટી એ સૌથી મોટું પગલું છે, અરૂણ જેટલી તેને લાગુ કરવા માટે હંમેશા યાદ રહેશે.

4. આયુષ્માન ભારત મોદી સરકાર ‘આયુષ્માન ભારત યોજના’ ને એક મોટી સિદ્ધિ ગણાવી રહી છે. દુનિયાભરમાં તેની પ્રશંસા થઈ રહી છે. આયુષ્માન ભારત યોજના જન આરોગ્ય યોજના તરીકે પણ જાણીતી છે. અરુણ જેટલીએ આ યોજનાની રજૂઆત 2018-19નું સામાન્ય બજેટ રજૂ કરતી વખતે કરી હતી. આ યોજનાએ લોકસભા ચૂંટણી 2019 માં ભાજપ માટે કામ કર્યું હતું. દેશના 10 કરોડ પરિવારોના 50 કરોડ સભ્યોને આ યોજનાનો લાભ મળશે. આ યોજનાના અમલીકરણમાં જેટલીની મોટી ભૂમિકા હતી.

આ પણ વાંચો: પૂર્વ નાણા પ્રધાન અરુણ જેટલીનું 67 વર્ષે નિધન, જાણો વિદ્યાર્થી નેતા, વકીલ અને રાજનેતા તરીકે અરુણ જેટલી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

5. મુદ્રા યોજના ‘મુદ્રા યોજના’ એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. પરંતુ નાણાં મંત્રાલયે તેને લોકાર્પણથી સફળ બનાવવામાં મોટો ફાળો આપ્યો છે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં આ યોજના એપ્રિલ 2015 માં શરૂ કરવામાં આવી હતી અને અરુણ જેટલીએ નાણાં પ્રધાન તરીકેની કામગીરી લોકોને સુલભ બનાવવા માટે કરી હતી. મોટાભાગની મહિલાઓને આ યોજનાનો લાભ મળ્યો છે. લગભગ 73% લોન મહિલા ઉદ્યમીઓને આપવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ લોકોને સ્વરોજગાર તરફ વાળવાનો છે. આ લોન દેશની તમામ બેંકો દ્વારા આપવામાં આવી રહી છે.

6. સુકન્યા સમૃદ્ધિ યોજના અરુણ જેટલીએ 2018-19ના બજેટ ભાષણમાં કહ્યું હતું કે જાન્યુઆરી 2015 માં શરૂ કરાયેલ સુકન્યા સમૃદ્ધિ યોજના ખૂબ જ સફળ રહી છે. ગરીબ પરિવારોએ મોદી સરકારની આ યોજનાને હાથમાં લીધી, આજે પણ લોકો તેમના ભવિષ્યને સુધારવા માટે આ યોજનામાં જોડાઈ રહ્યા છે. આ યોજના અંતર્ગત 10 વર્ષથી ઓછી વયના બાળક માટે રોકાણ કરવામાં આવે છે. આ યોજના બેટી બચાવો-બેટી પઢાવો યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે. કોઈપણ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ માત્ર 250 રૂપિયા જમા કરીને 10 વર્ષથી ઓછી વયની પુત્રી માટે ખાતું ખોલાવી શકે છે. જ્યારે પણ સુકન્યા સમૃદ્ધિ યોજનાની વાત કરવામાં આવે ત્યારે અરુણ જેટલીને યાદ કરવામાં આવશે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">