Ahmedabad : આગામી ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે : કેજરીવાલ
Ahmedabad : આમ આદમી પાર્ટી (આપ) 2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીની તમામ 182 બેઠકો પર ચૂંટણી લડશે, એમ આપના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી (સીએમ) અરવિંદ કેજરીવાલે સોમવારે અમદાવાદમાં જણાવ્યું હતું.
Ahmedabad : આમ આદમી પાર્ટી (આપ) 2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીની તમામ 182 બેઠકો પર ચૂંટણી લડશે, એમ આપના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી (સીએમ) અરવિંદ કેજરીવાલે સોમવારે અમદાવાદમાં જણાવ્યું હતું. આવતા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ‘આપ’ ચૂંટણી લડશે તે વિશે કેજરીવાલને પૂછવામાં આવ્યું. ત્યારે ‘અમારા ઉમેદવારો તમામ બેઠકો પર લડશે,’ એવી જાહેરાત કરી હતી.
નવરંગપુરા સ્થિત પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવા રાજ્યના આપ એકમના આમંત્રણ પર દિલ્હીના મુખ્યપ્રધાન અમદાવાદ આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે અમદાવાદમાં કેજરીવાલની હાજરીમાં AAP માં જોડાયેલા પત્રકાર ઇસુદાન ગઢવીનું સ્વાગત કર્યું હતું.
ગુજરાતમાં ભાજપના વિકલ્પ તરીકે ઉભરી આવે તેવી આશા રાખનાર AAP મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તેમની પાર્ટી ભાજપનો સખત વિરોધ તરીકે ઉભરી આવ્યા બાદ ફેબ્રુઆરીમાં આપ પાર્ટીના વડાએ સુરતની મુલાકાત લીધી હતી.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાર્ટીએ 120 માંથી 27 બેઠકો જીતી હતી. દાયકાઓથી ભાજપનું વર્ચસ્વ ધરાવતા રાજ્યને વિકલ્પ પૂરો પાડવાની પાર્ટી આશા રાખી રહી છે. આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે કોંગ્રેસ પાર્ટી ભાજપ સામે નજીવી બની ગઈ છે અને સ્થાનિક બૉડીની ચૂંટણીમાં અનેક રણનીતિ અને પરાજયનો સામનો કરવો પડ્યો છે. નોંધનીય છેકે ડિસેમ્બર 2022માં 182 સીટવાળી ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે હતા. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલના ભવ્ય સ્વાગત બાદ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. નવરંગપુરા ખાતે નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ બપોરે સર્કિટ હાઉસ પહોંચ્યાં હતા. સર્કિટ હાઉસમાં તેઓએ ગુજરાત પ્રદેશના નેતાઓ સાથે સાદું ભોજન લીધું હતું. બાદમાં તેઓએ ગુજરાત પ્રદેશ અને સંગઠનની ટીમ સાથે બેઠક કરી હતી.
કેજરીવાલના આગમનને પગલે આપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરમાં આપ પાર્ટીના ઠેરઠેર બેનર પણ લગાવ્યા હતા. જોકે અમદાવાદ એરપોર્ટ પર આપ પાર્ટીના કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી હતી.
કેજરીવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ગુજરાતની ખરાબ હાલત માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જવાબદાર છે. 27 વર્ષથી બંને પાર્ટી વચ્ચે મિત્રતા છે અને કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે. ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરે છે અને સરકારી સ્કૂલોની હાલત ખરાબ છે. દિલ્લીમાં જો વીજળી ફ્રી છે તો ગુજરાતમાં વીજળી મોંઘી કેમ છે ? સાથે જ કેજરીવાલે કહ્યું કે ગુજરાતની રાજનીતિ ખરાબ છે, બંને પાર્ટીઓ એકમેક સાથે મળીને ચૂંટણી લડે છે.
આઝાદીની લડતમાં ગુજરાતીઓના યોગદાનમાં ‘સરદાર’નું જ નામ લીધું
કેજરીવાલે દેશની આઝાદી અને ત્યારબાદ દેશના નિર્માણમાં ગુજરાતીઓના યોગદાનને યાદ કર્યું. જોકે, કેજરીવાલે વ્યૂહાત્મક રીતે ફક્ત સરદાર વલ્લભભાઈ પટેલનું જ નામ લીધું હતું. બાકી, મહાત્મા ગાંધી સહિત અન્ય કોઈ ગુજરાતી નેતાઓના નામ લીધા ન હતા.