AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કૃષિ કાયદા : કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર, મૂકી આ શરત

દેશમાં કૃષિ કાયદા અંગે વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે કેન્દ્ર સરકાર(Government) મંત્રતા માટે તૈયાર છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે સરકાર કૃષિ કાયદા(Farm laws) તેમજ અન્ય મુદ્દાઓ પર મંત્રણા માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે જો ખેડુતો કૃષિ કાયદા(Farm laws)પર તેમની ચિંતાઓને તાર્કિક ધોરણે લાવે છે તો તે અંગે વાત કરવામાં આવશે.

કૃષિ કાયદા :  કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર, મૂકી આ શરત
કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર
| Updated on: Jun 09, 2021 | 7:47 PM
Share

દેશમાં કૃષિ કાયદા અંગે વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે કેન્દ્ર સરકાર(Government) મંત્રતા માટે તૈયાર છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે સરકાર કૃષિ કાયદા(Farm laws) તેમજ અન્ય મુદ્દાઓ પર મંત્રણા માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે જો ખેડુતો કૃષિ કાયદા(Farm laws)પર તેમની ચિંતાઓને તાર્કિક ધોરણે લાવે છે તો તે અંગે વાત કરવામાં આવશે.

જ્યારે નીતિ આયોગના સભ્ય રમેશ ચંદે કહ્યું છે કે ત્રણેય કાયદાને પાછા ખેંચવાની માંગ કરવાને બદલે તેમણે સરકાર(Government)સાથે વાતચીતમાં કાયદામાં રહેલી ભૂલો જણાવવી જોઈએ.

કૃષિ કાયદાઓની ચર્ચા કરવાની ઇચ્છા વ્યક્ત કરે

ચંદે કહ્યું, “જો કોઈ પણ બે બાબતો ખોટી છે તો અમને કહો, જો કોઈ એવી પાંચ બાબતો છે કે જેની સાથે તમે અસહમત છો તો અમને એ પણ જણાવો. હું માનું છું કે ખેડૂત યુનિયન કૃષિ કાયદા (Farm laws)ઓની ચર્ચા કરવાની ઇચ્છા વ્યક્ત કરે તો તે ખેડૂત નેતા રાકેશ ટીકૈતે (Rakesh Tikait)તરફથી એક મોટું નિવેદન હશે. રાકેશ ટીકૈતે (Rakesh Tikait)29 એપ્રિલે કહ્યું હતું કે ખેડૂત કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. પરંતુ તેમણે કાયદા પરત લેવાની ચર્ચાનું સમર્થન કર્યું હતું.

કેન્દ્ર સરકારે લધુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો

આ દરમ્યાન કેન્દ્ર સરકારે(Government) લધુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે આને મંજૂરી આપી હતી. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે આ માહિતી આપી હતી. તોમરે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 7 વર્ષમાં કૃષિ ક્ષેત્રે ઘણું બધું કામ કરવામાં આવ્યું છે જેનો લાભ ખેડૂતોને મળ્યો છે.

ખેડુત આંદોલન માટે મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસેથી સમર્થન માંગ્યું

ઉલ્લેખનીય છે કે , આજે ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના નેતા રાકેશ ટીકૈતે(Rakesh Tikait) કૃષિ પેદાશો માટેના ન્યૂનતમ ટેકાના ભાવ અને નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડુતોના આંદોલન માટે મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસેથી સમર્થન માંગ્યું હતું. તેમણે મમતા બેનર્જીને સ્થાનિક ખેડૂતોની સમસ્યાઓ વિશે પણ જણાવ્યું હતું.

પશ્ચિમ બંગાળને એક મોડેલ રાજ્ય તરીકે કામ કરવું જોઈએ

સી એમ Mamata Banerjee ને મળ્યા બાદ ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટીકૈતે(Rakesh Tikait) કહ્યું કે, “મુખ્યમંત્રીએ અમને ખાતરી આપી હતી કે તે ખેડૂત આંદોલનને ટેકો આપશે. આ ખાતરી માટે અમે તેમનો આભાર માનીએ છીએ. પશ્ચિમ બંગાળને એક મોડેલ રાજ્ય તરીકે કામ કરવું જોઈએ અને ખેડૂતોને વધુ લાભ આપવો જોઈએ.

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">