કંગના રનૌતને વાય કેટેગરીની સુરક્ષા, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ફાળવી સુરક્ષા
સુંશાતસિંહ રાજપુત કેસમાં મુંબઈને પીઓકે ગણાવીને વિવાદસ્પદ નિવેદન કરનાર કંગના રનૌતને કેન્દ્રીય ગૃહમંત્રાલયે વાય કેટેગરીની સુરક્ષા પૂરી પાડી છે. કંગના રનૌતે મુંબઈને પીઓકે સાથે સરખાવતા કહ્યું હતું કે શા માટે તે મુંબઈ ના આવે. મુંબઈ પીઓકે થોડુ છે ? આ નિવેદન બાદ શિવસેનાના પ્રવકત્તા સંજય રાઉત સહીતના શીવસેનાના નેતાઓએ કંગનાને નિશાન બનાવી હતી. તો કંગનાએ […]
સુંશાતસિંહ રાજપુત કેસમાં મુંબઈને પીઓકે ગણાવીને વિવાદસ્પદ નિવેદન કરનાર કંગના રનૌતને કેન્દ્રીય ગૃહમંત્રાલયે વાય કેટેગરીની સુરક્ષા પૂરી પાડી છે. કંગના રનૌતે મુંબઈને પીઓકે સાથે સરખાવતા કહ્યું હતું કે શા માટે તે મુંબઈ ના આવે. મુંબઈ પીઓકે થોડુ છે ? આ નિવેદન બાદ શિવસેનાના પ્રવકત્તા સંજય રાઉત સહીતના શીવસેનાના નેતાઓએ કંગનાને નિશાન બનાવી હતી. તો કંગનાએ પણ મુંબઈ આવવાની શિવસેનાની ચેલેન્જ ઉપાડી લેતા કહ્યું છે કે નવમી સપ્ટેમ્બરે મુંબઈ આવશે.
છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોમાં કંગના રનૌત અને શિવસેના અંગેના પ્રસારીત થતા અહેવાલો જોઈને કેન્દ્રીય ગૃહમંત્રાલયે કંગના રનૌતને વાય કેટેગરીની સુરક્ષા પાડવાનો નિર્ણય કર્યો છે. જો કે કંગનાએ મુંબઈ પોલીસની સુરક્ષા લેવાનો ઈન્કાર કર્યો હતો. ત્યાર બાદ હિમાચલ પ્રદેશ પોલીસે પણ સુરક્ષા પૂરી પાડી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો