સાર્વત્રીક વરસાદ બાદ પાટણનું સરસ્વતી જળાશય પાણીથી છલકાયું, 3 વર્ષે જળાશયમાં નવા નીરની આવક થતા પાટણવાસીઓમાં આનંદ
ઉપરવાસ અને ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને ઉતર ગુજરાતના જળાશયોમાં નવા નીરની આવક શરુ થઇ છે. વરસાદને લઈને પાટણનું સરસ્વતી જળાશય પણ પાણીથી છલકાઈ ગયું છે. જળાશય છલકાતા આસપાસના નજારો આહલાદક બન્યો છે. જેને લઇને પાટણવાસીઓ પણ જળાશયનો નયનરમ્ય વાતાવરણનો આનંદ લેવા માટે સરસ્વતી જળાશય પર પહોંચી રહ્યાં છે. આ પણ […]
ઉપરવાસ અને ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને ઉતર ગુજરાતના જળાશયોમાં નવા નીરની આવક શરુ થઇ છે. વરસાદને લઈને પાટણનું સરસ્વતી જળાશય પણ પાણીથી છલકાઈ ગયું છે. જળાશય છલકાતા આસપાસના નજારો આહલાદક બન્યો છે. જેને લઇને પાટણવાસીઓ પણ જળાશયનો નયનરમ્ય વાતાવરણનો આનંદ લેવા માટે સરસ્વતી જળાશય પર પહોંચી રહ્યાં છે.
આ પણ વાંચો: નર્મદા નદીમાં આવ્યા નવા નીર, જોવા મળ્યું નર્મદાનું નયનરમ્ય સ્વરૂપ, જુઓ VIDEO
2017 ના પુર બાદ આજે 3 વર્ષે જળાશયમાં નવા નીરની આવક થઇ છે. જળાશયના તમામ દરવાજાના ઉપર લેવલ સુઘી પાણી પહોંચી ચૂક્યા છે. અંદાજીત 600 ક્યુસેકથી વઘુ પાણીની આવક સરસ્વતી જળાશયમાં થઇ છે. જેને લઇને સરસ્વતી જળાશય આસપાસના ૨૩ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જળાશયમાં નવા નીરથી જળાશય છલકાતા જળાશયની સ્થિતિ પર તંત્ર દ્વારા સતત નજર રાખવાનાં આવી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો