AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: Apple ને સેવ તો Beer ને હિન્દીમાં શું કહેવાય ? 99 ટકા લોકો નહીં આપી શકે જવાબ

કોઈપણ આલ્કોહોલિક પીણામાં બીયર સૌથી વધુ પસંદ (Beer Beverage) કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે હિન્દી (Beer Name In Hindi) માં બિયરને શું કહેવામાં આવે છે? જો નહીં, તો કેવી રીતે માનવું કે તમે સાચા બીયર પ્રેમી છો.

Knowledge: Apple ને સેવ તો Beer ને હિન્દીમાં શું કહેવાય ? 99 ટકા લોકો નહીં આપી શકે જવાબ
Beer (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 2:08 PM
Share

સમગ્ર વિશ્વમાં બીયરને ઘણા લોકો પસંદ કરે છે. ઘણી જગ્યાએ બિયર પાણીની જેમ પીવામાં આવે છે. એક સર્વેમાં સામે આવ્યું છે કે પાણી, કોફી અને ચા પછી સૌથી પ્રિય પીણું બીયર છે. લોકોને તે ખૂબ ગમે છે. કોઈપણ આલ્કોહોલિક પીણામાં બીયર સૌથી વધુ પસંદ (Beer Beverage) કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે હિન્દી (Beer Name In Hindi)માં બિયરને શું કહેવાયમાં આવે છે? જો નહીં, તો કેવી રીતે માનવું કે તમે સાચા બીયર પ્રેમી છો.

જો આપણે બીયરના ઇતિહાસ (History Of Beer) વિશે વાત કરીએ, તો તે આજથી નહીં, પરંતુ ઘણી સદીઓથી લોકોમાં પ્રખ્યાત છે. મિસોપોટેમિયાની સુમેરિયન સંસ્કૃતિના સમયથી બીયરનો ઉપયોગ થતો હોવાનું કહેવાય છે. ભારતમાં પણ લાંબા સમયથી રાજા-મહારાજા દ્વારા તેનું સેવન કરવામાં આવે છે. જો આજના સમયની વાત કરીએ તો તેનો બિઝનેસ પણ ઘણો વિશાળ થઈ ગયો છે. દુકાનોમાં, તે કાચની બોટલોથી લઈને કેન સુધી પણ ઉપલબ્ધ છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે હિન્દીમાં બિયર કોને કહેવાય છે?

બીયરનું હિન્દી નામ તેને બનાવવા માટે વપરાતી સામગ્રીમાં છુપાયેલું છે. બીયર ખાંડ અને જવમાંથી બનાવવામાં આવે છે. આ બંનેને મિશ્રિત કર્યા પછી, તેના ઉત્પાદનની પ્રક્રિયા શરૂ થાય છે. આ પછી તેમાં કેટલાક ફ્લેવર અને કેટલાક પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે. જવને સંસ્કૃતમાં યવ કહે છે. બીયરનું હિન્દી નામ આના પરથી પડ્યું છે, જે ‘યવસુરા’ છે. હા, બિયરને હિન્દીમાં યવસુરા કહે છે. આ સિવાય ઘણી જગ્યાએ તેને અબ-જવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

બીયરને તમામ આલ્કોહોલમાંથી સૌથી આરોગ્યપ્રદ માનવામાં આવે છે. તેમાં વિટામિન, પ્રોટીન અને અનેક પ્રકારના મિનરલ્સ હોય છે. ભારતમાં સૌથી વધુ વેચાતી બીયર બ્રોકોડ છે. તેમાં 15 ટકા આલ્કોહોલ હોય છે. જ્યારે વિશ્વની સૌથી મજબૂત બીયરમાં 67.5 ટકા આલ્કોહોલ હોય છે. તેને સ્નેક વેનમ કહેવામાં આવે છે. આ બ્રિટિશ બીયર છે. કહેવાય છે કે બીયર પીવાથી મેદસ્વિતા વધે છે. તેનું કારણ એ છે કે બીયર એ ઉચ્ચ કેલરીવાળું પીણું છે.

નોંધ: આ લેખનો હેતું માત્ર માહિતીનો છે, આલ્કોહોલ યુક્ત કોઈ પણ પદાર્થ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, માટે અહીં આપવામાં આવેલી માહિતીથી આલ્કોહોલ પીણાને પ્રોત્સાહન આપવો કોઈ ઉદેશ્ય નથી માત્ર માહિતીનો છે.

આ પણ વાંચો: આ ડિવાઈસ લગાવવાથી તમારી સાઈકલ બની જશે ઈલેક્ટ્રીક સાયકલ, આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો

આ પણ વાંચો: Slow Internet Boost Tips: કાચબાની ગતિએ ચાલે છે ફોનનું ઈન્ટરનેટ તો આ 5 ટિપ્સથી થઈ જશે સુપરફાસ્ટ

Follow Us
સુરેન્દ્રનગરમાં મેગા ચેકિંગ દરમિયાન 1.25 કરોડની વીજચોરીનો પર્દાફાશ
સુરેન્દ્રનગરમાં મેગા ચેકિંગ દરમિયાન 1.25 કરોડની વીજચોરીનો પર્દાફાશ
ધ્રોલમાં ડીઝલની અછતથી ખેડૂતોનો આક્રોશ, પેટ્રોલ પંપ પર હોબાળો
ધ્રોલમાં ડીઝલની અછતથી ખેડૂતોનો આક્રોશ, પેટ્રોલ પંપ પર હોબાળો
સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">