AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોસ્ટ ઓફિસ ખાતામાં તરત જ મોબાઈલ નંબર અને PAN કરો અપડેટ, નહિતર તમે નહીં કરી શકો 20 હજારથી વધુના ટ્રાન્ઝેક્શન

20,000 રૂપિયાથી વધુના વ્યવહારો માટે પોસ્ટ ઓફિસ ખાતામાં PAN અને મોબાઈલ નંબર અપડેટ કરવો જોઈએ. છેતરપિંડીના વધતા જતા બનાવોને જોતા ટપાલ વિભાગે આ પગલું ભર્યું છે.

પોસ્ટ ઓફિસ ખાતામાં તરત જ મોબાઈલ નંબર અને PAN કરો અપડેટ, નહિતર તમે નહીં કરી શકો 20 હજારથી વધુના ટ્રાન્ઝેક્શન
પોસ્ટ ઓફિસની પ્રતિકાત્મક ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 6:53 PM
Share

પોસ્ટ ઓફિસ (Post Office) ખાતાધારકો (Account Holder) માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. જો તમે હજુ સુધી તમારા ખાતામાં મોબાઈલ નંબર (Mobile Number) અને PAN અપડેટ (Update)  નથી કર્યું તો આ કામ તરત જ કરો. નહિંતર, પછીથી તમે મોટી રકમનો વ્યવહાર કરી શકશો નહીં. પોસ્ટ ઓફિસે છેતરપિંડી (Fraud) થી બચવા માટે આ પગલું જાહેર કર્યું છે. મોબાઈલ નંબર રાખવાથી OTP આધારિત વ્યવહારો સરળ બનશે જે સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. પોસ્ટ ઓફિસના જણાવ્યા અનુસાર, જો ખાતામાં (Post Bank) મોબાઈલ નંબર અને PAN અપડેટ નહીં થાય, તો ટ્રાન્ઝેક્શન મર્યાદિત રેન્જમાં જ થઈ શકશે. પોસ્ટ ઓફિસ ડિપાર્ટમેન્ટે 13 જાન્યુઆરીએ આ સંબંધમાં એક પરિપત્ર જાહેર કરીને નવા નિયમોની જાણકારી આપી હતી. છેતરપિંડીની વધતી ઘટનાઓને ટાળવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

પોસ્ટ ઓફિસના જણાવ્યા અનુસાર ખાતામાં પૈસા જમા કરાવવા, પૈસા ઉપાડવા, લોનના પૈસા લેવા, લોનની ચુકવણી, ખાતું બંધ કરાવવું, ખાતું પ્રીમેચ્યોર છે કે મેચ્યોર, તેના માટે ખાસ નિયમનું ધ્યાન રાખવું પડશે. આ નિયમ અનુસાર, જો 20,000 રૂપિયાથી વધુનું ટ્રાન્ઝેક્શન કરવું હોય તો ખાતામાં મોબાઈલ નંબર અને પાન નંબર અપડેટ કરવો જોઈએ. જો બંને વસ્તુઓ અપડેટ નહીં થાય તો ટ્રાન્ઝેક્શન થઈ શકશે નહીં. જો રૂ. 50,000 થી વધુની લેવડ-દેવડ હોય, તો તમારે PAN ચેક કરવું જોઈએ અને જો જરૂરી હોય તો ટ્રાન્ઝેક્શન કરતા પહેલા તેને અપડેટ કરવું જોઈએ.

શું કહે છે નિયમ ?

નિયમ જણાવે છે કે જો પોસ્ટ ઓફિસ ખાતામાં મોબાઈલ નંબર અને PAN અપડેટ કરવામાં ન આવે તો પોસ્ટ ઓફિસ કર્મચારી ગ્રાહકને ટ્રાન્ઝેક્શન પહેલા આ બંને બાબતો અપડેટ કરાવશે. ત્યાર બાદ જ ટ્રાન્ઝેક્શનને મંજૂરી આપવામાં આવશે. આ માટે ગ્રાહકે SB 103 અથવા SB 7/7A/7B/7C ભરવાનું રહેશે. જો પોસ્ટ ઓફિસ ખાતામાં KYC પૂર્ણ ન થયું હોય, તો પહેલા તેના દસ્તાવેજો સબમિટ કરીને આ કાર્યનું સમાધાન કરવું પડશે.

આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે વ્યવહારમાં સમસ્યાઓ આવશે. જો ખાતાધારક પોતાનો મોબાઈલ નંબર બદલવા માંગે છે, જો તે પહેલાથી નોંધાયેલ નંબર બદલવા માંગે છે, તો તેણે પણ ફોર્મ ભરવું પડશે. તે ગ્રાહકની સહી પોસ્ટ ઓફિસમાં જોવામાં આવશે, તેની ખરાઈ કર્યા પછી જ મોબાઈલ નંબર બદલાશે.

મોબાઈ નંબર અને PAN

ખાતામાં મોબાઈલ નંબર અને PAN અપડેટ કર્યા પછી, નિર્ધારિત રકમનું ટ્રાન્ઝેક્શન સરળતાથી કરી શકાય છે. જો કોઈ વ્યક્તિએ પોસ્ટ ઓફિસ ખાતામાં પોતાનો PAN આપ્યો નથી, તો હવે તે આપવો જરૂરી રહેશે. આ નોટિફિકેશન જાહેર થયા પહેલા, જો કોઈએ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવ્યું હોય અને તેણે PAN ન આપ્યું હોય, તો હવે PAN અપડેટ કરવું જરૂરી બનશે. ખાતું ખોલ્યાના 6 મહિના પછી PAN વિગતો સબમિટ કરવી ફરજિયાત છે. જો તમે હજી સુધી PAN જમા કરાવ્યું નથી, તો આ કામ જલ્દી પૂર્ણ કરો કારણ કે પછીથી 20,000 રૂપિયાથી વધુની લેવડદેવડ શક્ય નહીં હોય.

છેતરપિંડી (Online Fraud) રોકવાનો પ્રયાસ

તાજેતરના સમયમાં ઓનલાઈન છેતરપિંડી અને બેંકિંગ છેતરપિંડીની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને મોબાઈલ નંબર અને PAN ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. છેતરપિંડી રોકવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા SMS એલર્ટ, ઇ-બેંકિંગ, એમ-બેંકિંગ, IVR સુવિધા અને CBS-CTS એકીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. મોબાઈલ નંબરથી છેતરપિંડી અટકાવવા અને PAN વિગતોમાંથી મની લોન્ડરિંગ પર નજર રાખવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. આ સાથે ગ્રાહકોની ડિપોઝીટની રકમ સુરક્ષિત રહેશે અને કરચોરી કરનારાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: Kam ni Vaat : શું છે આયુષ્માન ભારત ડિજિટલ મિશન ? તમને આનાથી કેવી રીતે થશે ફાયદો ? જાણો યોજના વિશે

આ પણ વાંચો: બિલ્ડિંગ બનાવતા પહેલા કોની પાસેથી અને કેવી રીતે લેવી પડે છે મંજુરી ? જાણો સમગ્ર પ્રક્રિયા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">