કોરોના બાબતે રહેજો ગંભીર.તમે સૌ-કોઇ જાણો છો કે, કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં લાખો લોકોના જીવ લીધા છે. પણ, કદાચ તમને ખબર નહીં હોય કે કોરોનાથી આંખોની દ્રષ્ટિ પણ ગુમાવવી પડી શકે છે. આ ચોંકાવનારી વાત સામે આવી છે આંખોના તબીબો પાસેથી. રાજયમાં આંખોના નિષ્ણાત તબીબો પાસે એવા ઘણા કેસ આવ્યા છે. જેમાં કોરોના વાઈરસના સંક્રમણ બાદ સ્વસ્થ થયેલા દર્દીઓને સંપૂર્ણ દેખાવાનું બંધ થઇ ગયું હોય અથવા, આંખોની રોશની 50 ટકાથી વધારે ગુમાવી શક્યા હોય. કોરોના વાયરસ બાબતે આ અંત્યત ગંભીર અને ચોંકાવનારું તથ્ય છે. સૌથી પહેલા જૂન મહિનામાં આવા કેસ તબીબો પાસે આવ્યા હતા. જોકે, તે સમયે કોરોના અને આંખોની દ્રષ્ટિ ગુમાવવાને કોઇ કો-રિલેશન છેકે નહીં તે બાબતે કોઇ સ્પષ્ટીકરણ થયું ન હતું.પરંતુ એ પછી એક જ મહિનામાં આવા કેસ ઉપરાછાપરી સામે આવ્યા હતા. ત્યારે તબીબોને સમજાયું કે કોરોના વાઈરસ આંખોને પણ ગંભીર નુક્સાન પહોંચાડી રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો