ખિસ્સામાં પૈસા નથી અને દેવામાં ડૂબેલા છો ? તો આ કાયદાની મદદ તમે લઇ શકો છો, જાણો સમગ્ર પ્રક્રિયા
જો તમે 500 રૂપિયા કરતા વધુનું દેવું ભરી નથી શકતા તો તમે આ કાયદાઓ અંતર્ગત ઇનસૉલ્વેંસી ફાઇલિંગ કરી શકો છો
કોરોના વાયરસ રોગચાળાની બીજી લહેર પહેલા કરતાં વધુ જોખમી ગણાવી રહી છે. સંકટની આ ઘડીમાં, સૌથી મોટી સમસ્યા વેતન મેળવતા વર્ગને થઈ રહી છે. લોકોને જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે ઉધાર લેવું પડે છે. આવી સ્થિતિમાં લોકો પે-ડે લોન સ્કીમ, પર્સનલ લોન અને ફિન્ટેક એપ દ્વારા ઉધાર લે છે. આ રીતે, તેઓએ વધુ પૈસા પણ ચૂકવવા પડશે. આવી સ્થિતિમાં, જો તમારી આવકના સ્ત્રોત લગભગ ખતમ થઈ ગયા છે, તો તમારા માટે દેવાનું ભાર સહન કરવું મુશ્કેલ થઈ શકે છે.
આવી સ્થિતિમાં કંપનીઓમાં પગારદાર વ્યક્તિ પણ નાદારી પ્રક્રિયાનો આશરો લઈ શકે છે. આજે અમે તમને આ વિશે માહિતી આપીશું. અમે તમને જણાવીશું કે ભારતમાં આના માટે શું કાયદા છે, લોકોને તેનો લાભ કેવી રીતે મળે છે. તેની પ્રક્રિયા શું છે અને આ કાયદાની ખામીઓ શું છે
500 રૂપિયાથી વધુનું દેવુ નથી ચૂકવી શકતા તો કામ આવશે આ કાયદો
જો તમે મુંબઇ, ચેન્નઇ અથવા તો કોલકત્તા જેવા મહાનગરોમાં રહો છો તો તમે પ્રેસિડેંસી ટાઉન્સ ઇનસૉલ્વેંસી એક્ટ (Insolvency Act), 1909 અંતર્ગત દેવાળીયા થવા માટે ફાઇલિંગ કરી શકો છો. અને જો તમે અન્ય શહેરમાં રહેતા હોવ તો તમે પ્રોવિંશિયલ ઇનસૉલ્વેંસી એક્ટ, 1920 ના અંતર્ગત દેવાળીયા થવા માટે ફાઇલિંગ કરી શકો છો. બંને કાયદાઓ એક સમાન છે. જો તમે 500 રૂપિયા કરતા વધુનું દેવું ભરી નથી શકતા તો તમે આ કાયદાઓ અંતર્ગત ઇનસૉલ્વેંસી ફાઇલિંગ કરી શકો છો
શું છે પ્રક્રિયા ?
દરેક ઇન્સોલ્વન્સી (Insolvency) પિટિશનની રજૂઆત હાઈકોર્ટ અથવા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરવામાં આવે છે. અરજી દાખલ કર્યા પછી, કોર્ટ તેનું વિશ્લેષણ કરશે અને તમારી અરજી સ્વીકારી આગળની કાર્યવાહી કરવી કે નકારવી તેનો નિર્ણય લેશે. ઇન્સોલ્વન્સી પ્રક્રિયા શરૂ કરવા માટે તૈયાર થયા પછી કોર્ટ પર નિર્ભર રહેશે કે તમારી સંપત્તિ પર કાયદાકીય પ્રતિબંધ લગાવશે કે નહીં. તેવું જો કરવામાં આવશે તો તમે કોર્ટની પરવાનગી વગર પોતાની પ્રોપર્ટી વેચી નહી શકો
આ અરજી સ્વીકાર્યા પછી, કોર્ટ દેવાદારની સંપત્તિ માટે રીસીવરની નિમણૂક કરે છે. તે રીસીવર જ દેવાદારની સંપત્તિનું વિતરણ કરે છે. જો કે, આ પગલું ત્યારે જ લેવામાં આવે છે જ્યારે તમામ પક્ષો એક કરાર પર સંમત થાય છે. અદાલત દ્વારા માન્ય ચુકવણી પૂર્ણ કર્યા પછી, તમે નાદારી પ્રક્રિયામાંથી બહાર નીકળવાની માંગ કરી શકો છો.
નવા યુગમાં આ કાયદાઓ કેટલા અસરકારક છે ?
તમને તમારી ફાઇનાન્સને સંપૂર્ણપણે નવી રીતે શરૂ કરવાની તક મળશે. હવે કોઈ જુનો લેણદાર તમને લોનની ભરપાઈ કરવા કહેશે નહીં. જો કે, વ્યક્તિગત નાદારીનો કાયદો નવા યુગ અનુસાર નથી. આમાં હજી પણ ઘણી ભૂલો છે, જેને સુધારવાની જરૂર છે. આ જૂના કાયદાઓમાં પારદર્શિતા કે નિયત સમય મર્યાદા નથી. જો કે, ઇન્સોલ્વન્સી અને બેંકરપ્સી કોડ, 2016 એ વ્યક્તિગત નાદારી કાર્યવાહી માટે હજી સુધી સૂચિત કરવામાં આવ્યું નથી
આઇબીસીના આવવાથી શું બદલાઇ જશે ?
કાયદાના નિષ્ણાંતો કહે છે કે જૂની સિસ્ટમ અરજદાર અને લેણદારો માટે ફાયદાકારક નથી. જૂની સિસ્ટમનો લાભ લઈને, કોઈપણ પણ લેણદારને ઠગી શકે છે. એ જ રીતે, કાયદાની મદદ લઈને, આ લેણદારો લોકોને દેવું વસૂલ કરવા માટે ધમકાવી પણ શકે છે. આ જ કારણ છે કે કાયદાના જાણકારો તેના બદલે આઇબીસી લાગુ કરવાના પક્ષમાં છે. નવા કાયદા હેઠળ આ પ્રક્રિયા પણ ખૂબ જ સરળ અને પારદર્શક છે. ઉપરાંત, આ પ્રક્રિયાઓ નિર્ધારિત સમયમાં પૂર્ણ થશે