AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કલંક સમાન કિસ્સો: કપૂત દિકરાઓએ જનેતાને તરછોડી, દિકરીઓએ ભારે હ્રદયે માતાના કર્યા અંતિમ સંસ્કાર

સિતામણી સાહુએ જણાવ્યુ હતુ કે અમારા ભાઈઓ છેલ્લા 10 વર્ષથી અમારી માતાથી દુર રહે છે. આટલા વર્ષો થયા હોવા છતાં ક્યારેય તેણે અમારી માતાના ખબર અંતર પણ પૂછ્યા નથી.

કલંક સમાન કિસ્સો: કપૂત દિકરાઓએ જનેતાને તરછોડી, દિકરીઓએ ભારે હ્રદયે માતાના કર્યા અંતિમ સંસ્કાર
Daughters perform mothers last rites
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 5:16 PM
Share

Odisha: દિકારાઓએ માતાને તરછોડી દેતા ચાર દિકરીઓએ (Daughters) સમાજના રિવાજોને પડતા મુકીને તેમની માતાના અંતિમ સંસ્કાર (Last Rites) કર્યા, એટલુ જ નહીં તેમને ખભા પર 4 કિલોમીટર સુધી સ્મશાનગૃહ સુધી લઈ ગયા. તમને જણાવી દઈએ કે આ ઘટના પુરી શહેરના (Puri District) મંગલાઘાટ વિસ્તારની છે. અહેવાલો મુજબ આ વિસ્તારના એક જાતિ નાયક નામની મહિલાનું રવિવારે નિધન થયું હતું.

કપૂતોએ માતાને તરછોડી….!

જાતિ નામની આ મહિલાને બે પુત્રો અને ચાર દિકરીઓ હતી. તેની બધી દિકરીઓના લગ્ન થઈ ગયા છે, જ્યારે તેના પુત્રો અને તેમના પરિવારો આ મહિલાથી વર્ષોથી અલગ રહે છે. મળતી માહિતી મુજબ આસપાસના પડોશીઓએ તેમના બે પુત્રોને તેમની માતાના અવસાન વિશે જાણ કરી હતી, પરંતુ તેમાંથી કોઈ પણ તેની માતાની અંતિમ વિધિ કરવા માટે ન આવ્યુ. જેથી આ ચાર દિકરીઓએ પોતાની માતાના અગ્નિસંસ્કાર કરવાની જવાબદારી પોતાના પર લીધી.

આ મહિલાની દિકરી સિતામણી સાહુએ જણાવ્યુ હતુ કે અમારા ભાઈઓ છેલ્લા 10 વર્ષથી અમારી માતાથી દુર રહે છે. આટલા વર્ષો થયા હોવા છતાં ક્યારેય તેણે અમારી માતાના ખબર અંતર પણ પૂછ્યા નથી. મૃત્યુ પહેલા જ્યારે તેઓ ખુબ બિમાર પડ્યા ત્યારે પણ તેઓ આવ્યા નહોતા.

તેથી અમે જ તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા. ઉપરાંત અમારી માતાનું નિધન થયુ હોવાની તેને ખબર હોવા છતાં પણ તેઓ અંતિમ સંસ્કાર માટે પણ આવ્યા નહીં. ત્યારે આ ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો : અનોખી દુલ્હન : દિવંગત પિતાને શ્રદ્ધાંજલિ આપવા આ દિકરીએ કર્યુ કંઈક આવુ, વીડિયો જોઈને યુઝર્સ થયા ભાવુક

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">