AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કલંક સમાન કિસ્સો: કપૂત દિકરાઓએ જનેતાને તરછોડી, દિકરીઓએ ભારે હ્રદયે માતાના કર્યા અંતિમ સંસ્કાર

સિતામણી સાહુએ જણાવ્યુ હતુ કે અમારા ભાઈઓ છેલ્લા 10 વર્ષથી અમારી માતાથી દુર રહે છે. આટલા વર્ષો થયા હોવા છતાં ક્યારેય તેણે અમારી માતાના ખબર અંતર પણ પૂછ્યા નથી.

કલંક સમાન કિસ્સો: કપૂત દિકરાઓએ જનેતાને તરછોડી, દિકરીઓએ ભારે હ્રદયે માતાના કર્યા અંતિમ સંસ્કાર
Daughters perform mothers last rites
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 5:16 PM
Share

Odisha: દિકારાઓએ માતાને તરછોડી દેતા ચાર દિકરીઓએ (Daughters) સમાજના રિવાજોને પડતા મુકીને તેમની માતાના અંતિમ સંસ્કાર (Last Rites) કર્યા, એટલુ જ નહીં તેમને ખભા પર 4 કિલોમીટર સુધી સ્મશાનગૃહ સુધી લઈ ગયા. તમને જણાવી દઈએ કે આ ઘટના પુરી શહેરના (Puri District) મંગલાઘાટ વિસ્તારની છે. અહેવાલો મુજબ આ વિસ્તારના એક જાતિ નાયક નામની મહિલાનું રવિવારે નિધન થયું હતું.

કપૂતોએ માતાને તરછોડી….!

જાતિ નામની આ મહિલાને બે પુત્રો અને ચાર દિકરીઓ હતી. તેની બધી દિકરીઓના લગ્ન થઈ ગયા છે, જ્યારે તેના પુત્રો અને તેમના પરિવારો આ મહિલાથી વર્ષોથી અલગ રહે છે. મળતી માહિતી મુજબ આસપાસના પડોશીઓએ તેમના બે પુત્રોને તેમની માતાના અવસાન વિશે જાણ કરી હતી, પરંતુ તેમાંથી કોઈ પણ તેની માતાની અંતિમ વિધિ કરવા માટે ન આવ્યુ. જેથી આ ચાર દિકરીઓએ પોતાની માતાના અગ્નિસંસ્કાર કરવાની જવાબદારી પોતાના પર લીધી.

આ મહિલાની દિકરી સિતામણી સાહુએ જણાવ્યુ હતુ કે અમારા ભાઈઓ છેલ્લા 10 વર્ષથી અમારી માતાથી દુર રહે છે. આટલા વર્ષો થયા હોવા છતાં ક્યારેય તેણે અમારી માતાના ખબર અંતર પણ પૂછ્યા નથી. મૃત્યુ પહેલા જ્યારે તેઓ ખુબ બિમાર પડ્યા ત્યારે પણ તેઓ આવ્યા નહોતા.

તેથી અમે જ તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા. ઉપરાંત અમારી માતાનું નિધન થયુ હોવાની તેને ખબર હોવા છતાં પણ તેઓ અંતિમ સંસ્કાર માટે પણ આવ્યા નહીં. ત્યારે આ ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો : અનોખી દુલ્હન : દિવંગત પિતાને શ્રદ્ધાંજલિ આપવા આ દિકરીએ કર્યુ કંઈક આવુ, વીડિયો જોઈને યુઝર્સ થયા ભાવુક

Follow Us
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
g clip-path="url(#clip0_868_265)">