શ્રદ્ધાળુઓ માટે ખુશખબર : 118 વર્ષ બાદ ખુલશે કોણાર્ક મંદિરનું ગર્ભગૃહ, જાણો આ ગર્ભગૃહનો રસપ્રદ ઈતિહાસ

કોણાર્ક મંદિર ફરી એકવાર મંદિરમાં રાખવામાં આવેલી માટીને લઈને ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ આ માટીને મંદિરમાંથી દુર કરવામાં આવશે.

શ્રદ્ધાળુઓ માટે ખુશખબર : 118 વર્ષ  બાદ ખુલશે કોણાર્ક મંદિરનું ગર્ભગૃહ, જાણો આ ગર્ભગૃહનો રસપ્રદ ઈતિહાસ
Konark Temple (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 3:14 PM

Konark Temple History: ઓડિશાનું પ્રખ્યાત કોણાર્ક સૂર્ય મંદિર (Konark Sun Temple) ફરી એકવાર ચર્ચામાં આવ્યુ છે. મળતા અહેવાલ અનુસાર, હવે કોણાર્ક સૂર્ય મંદિરના ગર્ભગૃહ પરિસરમાં દટાયેલી માટીને સુરક્ષિત રીતે કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (Archaeological Survey of India)આ મંદિરમાંથી માટી કાઢવાનું આયોજન કરી રહ્યુ છે, તેથી 118 વર્ષ બાદ આ મંદિરનુ ગર્ભગૃહ ખુલશે.

અહેવાલો અનુસાર, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે અને હાલમા આ મંદિર પુરાતત્વ વિભાગ હેઠળ છે. આ માટે કેટલીક સમિતિઓની પણ રચના કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જગમોહન કેમ્પસની અંદર ફસાયેલી માટીને હટાવવાનું કામ શરૂ કરવામાં આવશે. આવી સ્થિતિમાં જાણો કયા કારણોસર આ માટી દબાઈ હતી અને આટલા વર્ષો સુધી મંદિરનુ ગર્ભગૃહ કેમ બંઘ રહ્યુ ?

શું છે સમગ્ર મામલો ?

અહેવાલ મુજબ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ઓડિશામાં સૂર્ય મંદિરના આંતરિક ભાગોમાંથી માટીને સુરક્ષિત રીતે દૂર કરવા માટે રોડમેપ તૈયાર કરી રહ્યું છે. આ ભાગને ગર્ભગૃહ કહેવામાં આવી રહ્યુ છે, જે આ મંદિરનો મધ્ય ભાગ છે. તમે પણ વિચારી રહ્યા હશો કે મંદિરમાંથી માટી કાઢવાનો મામલો આટલો ગંભીર કેમ છે. ત્યારે તમને જણાવી દઈએ કે, ઘણા વર્ષો પહેલા મંદિરની હાલત જર્જરિત થઈ ગઈ હતી અને એવું લાગતું હતું કે મંદિર તૂટી ન જાય, તેથી તે માટે તેને બચાવવા માટે માટી ભરવામાં આવી હતી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

માટીનો રસપ્રદ ઈતિહાસ

આ અહેવાલ અનુસાર, 13મી સદીમાં બનેલું આ મંદિર વર્ષ 1903માં માટીથી ભરવામા આવ્યુ હતુ. આ પહેલા વર્ષ 1900માં લેફ્ટનન્ટ ગવર્નર સર જોન વુડબર્ન પણ અહીં આવ્યા હતા. તે સમયે પણ આ મંદિરની ભવ્યતા ખૂબ જ પ્રખ્યાત હતી. તે સમયગાળામાં પણ તેને ભારતની સૌથી ભવ્ય ઇમારતોમાંની એક જાહેર કરવામાં આવી હતી અને આ ભવ્યતાનું વર્ણન કરવામાં આવ્યું હતું.

મંદિર વર્લ્ડ હેરિટેજમાં સામેલ

જો મંદિરની વાત કરીએ તો વર્ષ 1884માં તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં (World Heritage Sight) સામેલ કરવામાં આવ્યુ હતુ. આ મંદિરની બંને બાજુ 12 પૈડાની લાઇન છે. એવું કહેવાય છે કે આ 24 પૈડા કલાકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ મંદિરનું નિર્માણ રાજા નરસિંહદેવે કરાવ્યું હતું. આ મંદિર તેની કારીગરી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

આ પણ વાંચો : Lord Vishnu Famous Temples: ભગવાન વિષ્ણુના પાંચ પ્રસિદ્ધ મંદિરો, જ્યાં માત્ર દર્શન કરવાથી જ પૂર્ણ થાય છે બધી મનોકામનાઓ

આ પણ વાંચો : Uttarayan 2022 : ખીચડા વગર કેમ અધૂરો માનવામાં આવે છે મકરસંક્રાંતિનો તહેવાર, જાણો તેનું મહત્વ

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">