AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajab Gajab News: 100 વર્ષોથી ખાલી પડ્યું છે આ ઘર, જાણો શા માટે નથી જતું અહી કોઈ રહેવા ?

અહીં સુધી પહોંચવાનો રસ્તો પણ ઘણો મુશ્કેલ છે. આ ઘર સુધી પહોંચવા માટે એક જૂનો લાકડાનો પુલ પાર કરવો પડતો હતો, જે અહીં પહોંચવાનો એકમાત્ર રસ્તો છે.

Ajab Gajab News: 100 વર્ષોથી ખાલી પડ્યું છે આ ઘર, જાણો શા માટે નથી જતું અહી કોઈ રહેવા ?
World Loneliest House
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 8:22 PM
Share

Ajab Gajab News: આ પૃથ્વી પર ઘણી એવી જગ્યાઓ છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. કેટલાક સ્થળોએ મોટી સંખ્યામાં લોકો ફરવા જાય છે, પરંતુ કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં જવું કોઈ જોખમથી કમ નથી. આવી જ એક જગ્યા ઈટાલી (Italy)માં પણ છે, જે દુનિયાભરના લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. આ જગ્યા વાસ્તવમાં એક ઘર છે, જે વિશાળ ડોલોમાઈટ પર્વતોની વચ્ચે બનેલ છે. આ ઘરની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ ઘર લગભગ 100 વર્ષથી ખાલી છે. તેને ‘દુનિયાનું સૌથી એકલું ઘર’ પણ કહેવામાં આવે છે (The loneliest house in the world) .

તમને જાણીને નવાઈ લાગશે કે આ ઘર દરિયાની સપાટીથી લગભગ 9,000 ફૂટની ઉંચાઈ પર બનેલું છે. આ જોઈને લોકો વિચારે છે કે આટલી ઉંચાઈ પર ઘર કેવી રીતે બન્યું હશે, કેમ બનાવ્યું હશે અને અહીં કોણ રહેતું હશે? એવું કહેવાય છે કે આ ઘર પ્રથમ વિશ્વ યુદ્ધ (First World War) દરમિયાન બનાવવામાં આવ્યું હતું.

ઓસ્ટ્રો-હંગેરિયન સૈન્ય (The Austro-Hungarian army) સાથેના યુદ્ધ દરમિયાન, ઈટાલિયન સૈનિકોએ આરામ કરવા માટે આટલી ઊંચાઈએ આ ઘર બનાવ્યું હતું. તેઓ આ ઘરનો સ્ટોર રૂમ તરીકે પણ ઉપયોગ કરતા હતા, જ્યાં સૈનિકો માટે લાવવામાં આવતી જરૂરી વસ્તુઓ સુરક્ષિત રાખવામાં આવતી હતી.

આ ઘર બિલકુલ અલગ રીતે બનાવવામાં આવ્યું છે. તેના બાંધકામમાં લાકડા, દોરડા અને કેબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે આ ઘર હજુ પણ ઊભું છે, જો કે તેને બનાવ્યાને 100 વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને આ ઘર પહાડની બરાબર વચ્ચોવચ હોય તે પણ ખૂબ જ આશ્ચર્યજનક છે.

આ ઘરની આસપાસના પહાડો સિવાય બીજું કશું દેખાતું નથી. જેના કારણે લોકો અહીં આવતા-જતા નથી. અહીં સુધી પહોંચવાનો રસ્તો પણ ઘણો મુશ્કેલ છે. આ ઘર સુધી પહોંચવા માટે એક જૂનો લાકડાનો પુલ પાર કરવો પડતો હતો, જે અહીં પહોંચવાનો એકમાત્ર રસ્તો છે.

સૌથી સારી વાત એ છે કે આ ઘરમાં આવ્યા પછી તમને બીજી દુનિયામાં આવ્યાનો અહેસાસ થશે. જો કે સામાન્ય રીતે લોકોને જોખમને કારણે અહીં આવવાની મનાઈ હોય છે, પરંતુ જો એડવેન્ચરના શોખીન લોકો અહીં જવાનું વિચારતા હોય તો તેમને પોતાના જોખમે જવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો: Helicopter Crash: એરફોર્સ ઓફિસરનો મૃતદેહ ઓડિશા પહોંચ્યો, મુખ્યમંત્રી પટનાયકે આપી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો: Da-Bangg Tour : સલમાન ખાનના પરફોર્મન્સે રિયાધમાં મચાવી ધમાલ, ફેન્સે સોશિયલ મીડિયામાં શેર કર્યા વીડિયો

Follow Us
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">