સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા 5 મીટર ખોલ્યા, નર્મદા, ભરૂચ, વડોદરાના 52 ગામને એલર્ટ કરાયા
મધ્યપ્રદેશમાં વરસેલા ભારે વરસાદ અને ઈન્દિરા સાગર ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં 10 લાખ 15 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની ભારે આવકને જોતા નર્મદા ડેમના 23 દરવાજા પાંચ મીટર સુધી ખોલીને નર્મદા નદીમાં 8 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં છોડાતા પાણીને કારણે નર્મદા, ભરૂચ, […]
મધ્યપ્રદેશમાં વરસેલા ભારે વરસાદ અને ઈન્દિરા સાગર ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં 10 લાખ 15 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની ભારે આવકને જોતા નર્મદા ડેમના 23 દરવાજા પાંચ મીટર સુધી ખોલીને નર્મદા નદીમાં 8 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
નર્મદા નદીમાં છોડાતા પાણીને કારણે નર્મદા, ભરૂચ, અને વડોદરા જિલ્લાના નદી કાંઠે આવેલા 52 ગામને એલર્ટ કરાયા છે. ભરૂચ જિલ્લાના 21, નર્મદાના 19 અને વડોદરાના 12 ગામનો સમાવેશ થાય છે. તો ગરુડેશ્વરના ગામમાથી કેટલાક લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.
ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે, ચાણોદના મલ્હાર ધાટના 80 પગથીયા નર્મદાના પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. તો ગોરા પૂલ પણ નર્મદાના પાણીમાં ગરકાવ થઈ જતા તેના ઉપરથી આવ જા બંધ કરાવવી પડી છે. ભરૂચ અને ડભોઈમાં NDRFની એક એક ટીમને તહેનાત કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો