વલસાડની જલારામ જ્વેલર્સમાં ગણતરીની મિનિટમાં તસ્કરોએ કરોડો રૂપિયાના દાગીનાની કરી ચોરી
વલસાડમાં તસ્કરોએ એક જ્વલર્સની દુકાનને નિશાન બનાવી છે અને કરોડો રૂપિયાના દાગીના ગણતરીની મીનીટોમાં લઈ રફૂચક્કર થઈ ગયા છે. તસ્કરોના આ તરખાટથી વેપારીઓમાં ફળડાટ ફેલાયો છે. સાથે રોષની લાગણી પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. આ પણ વાંચોઃ CAA મુદ્દે યુવાનોમાં નારાજગી, ચિંતિત બન્યું ભાજપ અને ઘડ્યો આ માસ્ટર પ્લાન Web Stories View more IPL […]
વલસાડમાં તસ્કરોએ એક જ્વલર્સની દુકાનને નિશાન બનાવી છે અને કરોડો રૂપિયાના દાગીના ગણતરીની મીનીટોમાં લઈ રફૂચક્કર થઈ ગયા છે. તસ્કરોના આ તરખાટથી વેપારીઓમાં ફળડાટ ફેલાયો છે. સાથે રોષની લાગણી પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ CAA મુદ્દે યુવાનોમાં નારાજગી, ચિંતિત બન્યું ભાજપ અને ઘડ્યો આ માસ્ટર પ્લાન
મહત્વનું છે કે, પારડીના પારસી સ્ટ્રીટમાં જય જલારામ જ્વેલર્સની દુકાન આવેલી છે. જેમાં સિક્યોરિટી કોડવાળી તિજોરીને તોડી અજાણ્યા શખ્સો દોઢ કરોડ રૂપિયાના સોના અને ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગયા છે. આરોપીઓ એટલા શાતીર હતા કે, તીજોરીમાં રહેલા 5.5 કિલોના દાગીનામાં હાથફેરો કર્યા બાદ, CCTVનું DVR પણ સાથે લઈ ગયા છે.હાલ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે જોવું એ રહ્યું કે આરોપીઓ ક્યારે સકંજામાં આવે છે ?