સુરતમાં લોકોએ ઘરમા જ કર્યુ ગણપતિ વિસર્જન, કોરોના દુર કરવા વિધ્નહર્તાને કરી પ્રાર્થના
કોરોનાકાળમાં ગણેશ વિસર્જનનો સુરતમા માહોલ જ કઈક અલગ છે. સામાન્ય રીતે દર વર્ષે વાજતે ગાજતે ઢોલ નગારા સાથે લોકો ગણેશ પ્રતિમાનું નદી કે તળાવમાં કે પછી મનપા દ્વારા બનાવાતા કૃત્રિમ કુંડમાં વિસર્જન કરતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા બહાર પાડેલી ગાઈડલાઈનને કારણે લોકોએ, માટીની જ ગણેશ પ્રતિમાનું સ્થાપન કર્યુ અને એ […]
કોરોનાકાળમાં ગણેશ વિસર્જનનો સુરતમા માહોલ જ કઈક અલગ છે. સામાન્ય રીતે દર વર્ષે વાજતે ગાજતે ઢોલ નગારા સાથે લોકો ગણેશ પ્રતિમાનું નદી કે તળાવમાં કે પછી મનપા દ્વારા બનાવાતા કૃત્રિમ કુંડમાં વિસર્જન કરતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા બહાર પાડેલી ગાઈડલાઈનને કારણે લોકોએ, માટીની જ ગણેશ પ્રતિમાનું સ્થાપન કર્યુ અને એ પ્રતિમાનું પોતાના ઘરમાં જ ભક્તિભાવ ભાવપૂર્વક વિસર્જન કર્યું.
સુરતના એક પરિવારે માટીની 2 ફૂટની મૂર્તિની સ્થાપના કરી હતી. આ મૂર્તિમાં પહેલેથી એક છોડ હતો. આજે વિસર્જનના દિવસે ઘરના લોકોએ ઘરમાં જ પૂજા આરતી કરી કુંડમાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કર્યું. આ કુંડમાં જે છોડ ઉગશે તેની આ પરિવાર દરરોજ પૂજા કરશે. જેથી ઘરમાં અને ઘરના લોકો ઉપર ગણપતિ દાદાના આશીર્વાદ કાયમ બન્યા રહે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો