રાજ્યના મોટાભાગના ડેમમાં છલોછલ પાણી….જાણો સરકાર કોને કેટલું પાણી આપશે, શું ખેડૂતોનો હક નથી?

ગુજરાતમાં એક તરફ વરસાદનો આંકડો 100 ટકાને પાર કરી ગયો છે. તો બીજી તરફ રાજ્યમાં 100થી વધુ ડેમો હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. તો અલેર્ટ અને વોર્નિગની સ્થિતિમાં 24 ડેમો રાખવામાં આવ્યા છે. મહત્વની છે કે, રાજ્યના 203 નાના-મોટા ડેમો પૈંકી 72 ડેમ 100 ટકાના સ્તર પર પહોંચી ગયા છે. ત્યારે રાજ્ય સરકારે દાવો કર્યો […]

રાજ્યના મોટાભાગના ડેમમાં છલોછલ પાણી....જાણો સરકાર કોને કેટલું પાણી આપશે, શું ખેડૂતોનો હક નથી?
Follow Us:
Anil Kumar
| Edited By: | Updated on: Sep 09, 2019 | 10:54 AM

ગુજરાતમાં એક તરફ વરસાદનો આંકડો 100 ટકાને પાર કરી ગયો છે. તો બીજી તરફ રાજ્યમાં 100થી વધુ ડેમો હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. તો અલેર્ટ અને વોર્નિગની સ્થિતિમાં 24 ડેમો રાખવામાં આવ્યા છે. મહત્વની છે કે, રાજ્યના 203 નાના-મોટા ડેમો પૈંકી 72 ડેમ 100 ટકાના સ્તર પર પહોંચી ગયા છે. ત્યારે રાજ્ય સરકારે દાવો કર્યો છે કે, આગામી બે વરસ સુધી રાજ્યમાં પીવા કે સિંચાઈના પાણીની અછત સર્જાશે નહીં. સાથે રાજ્ય સરકાર છૂટથી પાણી આપવાનું પણ વિચારી રહી છે. જેના માટે યોજના તૈયાર કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રાજ્યનો કડાણા ડેમ હોય કે પાનમ, મચ્છુ ડેમ હોય કે આજી, સુખી ડેમ હોય કે ધોળી, તમામને હાઈએલર્ટમાં મૂકાયા છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, નર્મદાના નીર જે રીતે સૌની યોજના મારફતે સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચ્યા છે. તેનાથી આ વિસ્તારોમાં પાણીની તંગી નહી સર્જાઈ.

રાજ્યભરના ડેમોની વર્તમાન પરિસ્થિતિ

ઝોન ડેમોની સંખ્યા 100 ટકા ભરાયેલા ડેમ જળ સંગ્રહની સ્થિતિ
ઉત્તર ગુજરાત 15 2 48.66 ટકા
મધ્ય ગુજરાત 17 9 95.82 ટકા
દક્ષિણ ગુજરાત 13 9 87.15 ટકા
કચ્છ 20 9 75.37 ટકા
સરદાર સરોવર 1 91.26 ટકા
સૌરાષ્ટ્ર 139 43 75 ટકા

આ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હિસાબે આ વર્ષે રાજ્યમાં સારો વરસાદ થયો છે. પરિણામે નર્મદા કે કડાણા ડેમમાંથી ઉત્તરગુજરાતમાં સુજલામ-સુફલામ યોજના હેઠળ અને સૌરાષ્ટ્રમાં સૌની યોજના હેઠળ ડેમોમાં પાણી પહોંચી રહયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉદ્યોગોનો મળશે પૂરતું પાણીઃ CM વિજય રુપાણી

બીજી તરફ સરકારની નર્મદાના પાણી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના 100થી વધુ ડેમો ભરવાની કોશિશ છે. સરકારના દાવા પ્રમાણે ડેમોમાં જે રીતે પાણી આવ્યા તેનાથી કૂવાઓના જળસ્તર ઊંચા આવ્યા છે. સરકારી અધિકારીઓ માને છે કે, રાજ્યના 12 હજાર ગામડાઓમાં પીવાના પાણી સાથે પાંચ મિલિયન એકર ફીટ વિસ્તારમાં સિંચાઇનું પાણી આપી શકાશે. હાલ માત્ર સાત લાખ હેક્ટરમાં જ સિંચાઇનું પાણી સરકાર આપી શકતી હતી. સાથે 129 નગર પાલિકા અને આઠ મહાનગરપાલિકાને પાણી આપી શકાશે. સાથે રાજ્યના 3 કરોડની વસ્તીને તો 2 વરસ સુધી શહેરી વિસ્તારમા ઉનાળાના સમયમાં પાણી કાપની સ્થિતિ સર્જાશે નહીં. તે સિવાય સરપ્લસ પાણી રહેવાથી હવે ઉદ્યોગોને પણ પાણી અપાશે. આ દાવો ખૂદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ખેડૂત આગેવાનોનો વિરોધ

સરકાર ઉદ્યોગોને પણ પાણી આપવાની યોજના બનાવી રહી છે. ખેડૂત આગેવાન સાગર રબારીનો મત એવો છે કે, આ વર્ષે ખૂબ સારો વરસાદ થયો છે અને નર્મદા સહિતના ડેમોમાં પાણીનો સારો સંગ્રહ થયો છે. ત્યારે સરકારે હવે આ પાણીનું ખેડૂતોના હિતમાં ઉપયોગ કરવા માટે પ્રાથમિકતા આપવાની જરુર છે. 2017ની વિધાનસભા ચૂંટણીને જીતવા સરકારે સી-પ્લેન જેવી કાલ્પનિક યોજનાઓ માટે કરોડો લીટર પાણી વેડફી નાખ્યું હતું. ત્યારે આ વખતે પણ ઉદ્યોગો કરતા પીવાના પાણી અને ખેડૂતોને સિંચાઇનું પાણી આપવાની પ્રાથમિકતા સરકારની હોવી જોઇએ. સરકાર ઉદ્યોગોને કેટલુ પાણી આપે છે. તેના આંકડા કહેતી નથી. જેથી તેની નિયત ખેડૂતો માટે સ્પષ્ટ નથી.

ઉદ્યોગોની માગણી કે સસ્તી કિંમતે પાણી આપો

સાણંદ જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ અજીત શાહની માનીએ તો, સરકાર હાલ કેટલાક વિસ્તારોમાં ઉદ્યોગોને પાણી આપે છે. લગભગ 33 રુપિયામાં એક હજાર લીટર પાણી સરકાર પહોંચાડે છે. જેના કારણે ઉદ્યોગોની કોસ્ટમાં વધારો થાય છે. સરકાર કેટલાક વિસ્તારોમાં 12થી 15 રુપિયામાં એક હજાર લીટર પાણી આપે છે. જો તમામ ઉદ્યોગોને 15 રુપિયામાં હજાર લિટર પાણી આપે તો ફાયદો થશે. જ્યારે અમદાવાદ ટેક્ષટાઇલ એસેસિએશનના ઉપપ્રમુખ નરેશ શર્માનું કહેવું છે કે, અમદાવાદ GIDCમાં ટેક્ષટાઇલ માટે પાણી અપાતું નથી. અમે બોરમાંથી પણ પાણી મેળવીએ છીએ. જો સરકાર સસ્તા દરે પાણી આપે તો ઉદ્યોગોને રાહત મળી શકે છે.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">