AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્કૂલ જતા 75% બાળકોને માથાના દુઃખાવાની સમસ્યા, બાળકોનાં માથાના દુઃખાવાને અવગણશો નહિં, જાણો કયા કારણો છે જવાબદાર

પુખ્તવયના લોકોની જેમ ટીનેજર્સને પણ માથામાં દુઃખાવાની સમસ્યા હોય શકે છે. એક રિસર્ચ પ્રમાણે સ્કૂલ જતા 75% બાળકોને માથાના દુઃખાવાની સમસ્યા હોય છે. સ્ટડીઝમાં જણાવ્યા પ્રમાણે સ્કૂલ જતા 58.4 % બાળકોને માનસિક તણાવના કારણે માથામાં દુઃખાવો થાય છે. આવો જાણીએ તેના શું કારણ હોય શકે છે. અભ્યાસમાં નબળા હોવું, સારા પર્ફોમન્સ કરવાનું દબાણ અને શારીરિક […]

સ્કૂલ જતા 75% બાળકોને માથાના દુઃખાવાની સમસ્યા, બાળકોનાં માથાના દુઃખાવાને અવગણશો નહિં, જાણો કયા કારણો છે જવાબદાર
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 01, 2020 | 8:42 AM
Share

પુખ્તવયના લોકોની જેમ ટીનેજર્સને પણ માથામાં દુઃખાવાની સમસ્યા હોય શકે છે. એક રિસર્ચ પ્રમાણે સ્કૂલ જતા 75% બાળકોને માથાના દુઃખાવાની સમસ્યા હોય છે. સ્ટડીઝમાં જણાવ્યા પ્રમાણે સ્કૂલ જતા 58.4 % બાળકોને માનસિક તણાવના કારણે માથામાં દુઃખાવો થાય છે. આવો જાણીએ તેના શું કારણ હોય શકે છે.

અભ્યાસમાં નબળા હોવું, સારા પર્ફોમન્સ કરવાનું દબાણ અને શારીરિક એક્ટિવિટી ઓછી હોવી માથાના દુઃખાવાનું કારણ હોય શકે છે. બાળકની તબિયત કેવી છે, તેને પહેલા કોઈ બીમારી હતી કે નહીં, તેના પરથી માથાના દુઃખાવાનું કારણ જાણી શકાય છે.

ટેંશનના કારણથી પણ માથામાં બંને તરફ દુઃખાવો થાય છે. તેના કારણે માથા અને ગરદનની માંસપેશીઓ ખેંચાય છે. વધુ પડતા થાકને કારણે પણ આ થાય છે.

કેટલાક બાળકોમાં રહી રહીને પણ માથાનો દુઃખાવો ઉપડે છે. એકવાર શરૂ થયા પછી આ દુઃખાવો 15 મિનિટ સુધી રહે છે. તેમાં માથાની એક તરફ બહુ વધારે દર્દ થાય છે. તેના કારણે બેચેની, આંખમાં પાણી આવવું, નાક બંધ થવું જેવા લક્ષણ પણ દેખાય છે.

કેટલાક બાળકોને માઈગ્રેનનો દુઃખાવો પણ હોય છે. જેમાં માંસપેશીઓ ખેંચાય છે. આ દુઃખાવામાં ઉલટી બેચેની પણ થાય છે. સારી રીતે ઊંઘ ન મળવાને કારણે પણ બાળકોમાં માથાનો દુઃખાવો થાય છે. જો તમારું બાળક માથામાં દુઃખાવાની વધારે ફરિયાદ કરે તો રાહ જોયા વગર તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">