History: વીર સાવરકર કોણ હતા ? RSSમાં ન હોવા છતાં તેમને મળ્યો હતો સંઘ પરિવારમાં આદર

History: મહારાષ્ટ્રના નાસિક નજીક ભગુર ગામમાં જન્મેલા વીર સાવરકર ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ઉગ્ર રાષ્ટ્રવાદી નેતા હતા

History: વીર સાવરકર કોણ હતા ? RSSમાં ન હોવા છતાં તેમને મળ્યો હતો સંઘ પરિવારમાં આદર
વિનાયક દામોદર સાવરકરની આજે 138મી જન્મજયંતિ
Follow Us:
| Updated on: May 28, 2021 | 2:06 PM

History: મહારાષ્ટ્રના નાસિક નજીક ભગુર ગામમાં જન્મેલા વીર સાવરકર ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ઉગ્ર રાષ્ટ્રવાદી નેતા હતા.

ભારતીય સ્વતંત્રતા ચળવળના લડવૈયા અને રાષ્ટ્રવાદી નેતા વિનાયક દામોદર સાવરકરની આજે 138મી જન્મજયંતિ છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર સહિતના ઘણા લોકોએ સાવરકરને શ્રદ્ધાંજલિ આપી છે. પરંતુ શું તમે જાણો છો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનસંઘના સભ્ય ન હોવા છતાં, સંઘ પરિવારમાં વીર સાવરકરનું નામ ખૂબ જ આદર અને સન્માન સાથે લેવામાં આવે છે.

સમગ્ર વિશ્વમાં ભારતની “હિન્દુવાદી” ઓળખ બનાવવામાં મોટું યોગદાન

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મહારાષ્ટ્રના નાસિક નજીક ભગુર ગામમાં જન્મેલા વીર સાવરકર વકીલ, રાજકારણી, કવિ, લેખક અને નાટ્ય લેખક હતા. રાજકારણમાં હિન્દુ રાષ્ટ્રવાદની વિચારધારાના વિકાસમાં સાવરકરનો મોટો ફાળો માનવામાં આવે છે. વીર સાવરકર જ હતા કે જેમણે ભારતને આખા વિશ્વમાં હિન્દુ તરીકે ઓળખ આપવા માટે “હિન્દુત્વ” શબ્દ આપ્યો હતો.

વીર સાવરકરના મતે હિંદુ ધર્મની આ વ્યાખ્યા હતી

વીર સાવરકરે ‘હિન્દુત્વ-વુ ઇઝ હિન્દુ ?’ પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં, તેમણે પહેલા હિન્દુત્વનો રાજકીય વિચારધારા તરીકે ઉપયોગ કર્યો હતો. વરિષ્ઠ પત્રકાર નીલંજન મુખોપાધ્યાયે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સાવરકરના મતે ભારતમાં રહેતો વ્યક્તિ મૂળભૂત રીતે હિન્દુ છે અને આ-જ હિન્દુત્વ શબ્દની વ્યાખ્યા છે. જે વ્યક્તિની પિતૃ ભૂમિ, માતૃભૂમિ અને પૂણ્ય ભૂમિ ભારત છે તે આ દેશનો નાગરિક છે. જો કે આ દેશ કોઈપણ માટે પિતૃભૂમિ કે માતૃભૂમિ બની શકે છે. પરંતુ પુણ્યભૂમિ નહી.

વીર સાવરકર વિશે જાણો કેટલીક મહત્વની વાતો

1. કિશોર વયે, વીર સાવરકરે એક યુવા સંગઠનની રચના કરી, જેને મિત્રમેળો તરીકે ઓળખવામાં આવતું હતું. આ સંગઠન ક્રાંતિકારી વિચારોનું હિમાયત કરતું હતું.

2. તેઓ નાનપણથી હિન્દુત્વના હિમાયતી હતા. જ્યારે તે 12 વર્ષના હતા, ત્યારે મુસ્લિમો દ્વારા હિન્દુઓ પર કરવામાં આવતા ‘અત્યાચારો’ સામે બદલો લેવા સાવરકર તેના સ્કૂલના મિત્રોને એક મસ્જિદમાં તોડફોડ કરવાની પ્રેરણા આપી હતી. જ્યોતિર્મય શર્માના પુસ્તક “હિન્દુત્વ: હિન્દુ રાષ્ટ્રવાદની વિચારધારા” માં તેનો ઉલ્લેખ છે.

3. પુણેની ફર્ગ્યુસન કોલેજમાં બી.એ.ના અભ્યાસ દરમિયાન લોકમાન્ય ટિળકના વિદેશી કપડાંના બહિષ્કારની ચળવળથી તેઓ પ્રેરાયા હતા. 7 ઓક્ટોબર, 1905 ના રોજ, દશેરા દરમિયાન, સાવરકરે તમામ વિદેશી કપડાં અને માલ સળગાવી દીધો હતો.

4. સાવરકરની મોરલે-મિન્ટો સુધારણા વિરુદ્ધ સશસ્ત્ર બળવાના કાવતરાના આરોપસર 1909 માં ધરપકડ કરવામાં આવી હતી. તેમણે પાણીમાં ડૂબકી મારીને ભાગવાનો પ્રયાસ કર્યો પણ તેની ધરપકડ કરવામાં આવી. 1911 માં, તેમને બે આજીવન કેદની સજા કરાઇ હતી, એટલે કે, 50 વર્ષની ઉંમરે અંદમાન જેલમાં, તેમને કાલા પાનીની સજા ભોગવી હતી.

5. સાવરકરને જ્યારે અંદમાન જેલમાં હતા ત્યારે બ્રિટિશ સરકારે તેમને “દયાની અરજી કરવા” દબાણ કરવામાં આવતું હતું. પરંતુ, તેઓ ટસથી મસ ન થતા સરકારે “દેશદ્રોહી” પણ ઠેરવ્યા હતા.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">