AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zydus Cadilaએ શરુ કરી નીડલ-ફ્રી કોરોના વેક્સિનની સપ્લાય, ZyCoV-D વિશે જાણો કેટલીક ખાસ વાતો

ભારતની ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ (Zydus Cadila) કોરોનાની રસી ZycoV-Dની સપ્લાય શરૂ કરી દીધી છે. કંપનીએ બુધવારે તેની રસીના પ્રથમ બેચનો સપ્લાય સરકારને મોકલી આપ્યો હતો.

Zydus Cadilaએ શરુ કરી નીડલ-ફ્રી કોરોના વેક્સિનની સપ્લાય, ZyCoV-D વિશે જાણો કેટલીક ખાસ વાતો
Zycov-D Vaccine
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 5:49 PM
Share

ભારતની ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ (Zydus Cadila) કોરોનાની રસી ZycoV-Dની સપ્લાય શરૂ કરી દીધી છે. કંપનીએ બુધવારે તેની રસીના પ્રથમ બેચનો સપ્લાય સરકારને મોકલી આપ્યો હતો. Zydus Cadila દ્વારા ઉત્પાદિત Zycov-D એ સોય-મુક્ત (Needle-Free) રસી છે, જેને લાગુ કરવા માટે સોયની જરૂર નથી. આ રસી સોય-મુક્ત ઇન્જેક્ટર દ્વારા આપવામાં આવશે. જણાવી દઈએ કે Zycov-D કોરોના રસી 12 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આપી શકાય છે. આ રસીના ત્રણ ડોઝ લાગુ કરવામાં આવશે. બીજો ડોઝ પ્રથમ ડોઝના 28 દિવસ પછી અને ત્રીજો ડોઝ 56 દિવસ પછી આપવામાં આવશે. ઝાયડસ કેડિલાની આ કોરોના રસી પ્લાઝમિડ ડીએનએ પર આધારિત છે.

Zycov-Dના એક ડોઝની કિંમત 358 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

ઝાયડસ કેડિલાની આ રસી ગયા વર્ષે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી હતી. કંપનીએ કહ્યું કે Zycov-Dના એક ડોઝની કિંમત 265 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ સાથે, સોય-મુક્ત ઇન્જેક્ટર ખરીદવા માટે 93 રૂપિયા અલગથી ચૂકવવા પડશે. આમ, Zycov-D ના એક ડોઝની કુલ કિંમત 358 રૂપિયા થશે. રસીના આ સિંગલ ડોઝની કિંમતમાં GST સામેલ નથી. ગયા વર્ષે નવેમ્બરમાં સરકારે કંપનીને એક કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો હતો. કંપનીએ સરકારનો આ આદેશ પ્રતિ ડોઝ 358 રૂપિયાના દરે લીધો હતો. તમને જણાવી દઈએ કે કંપનીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં જ આ રસી સપ્લાય કરવાની હતી, પરંતુ અમદાવાદના પ્લાન્ટમાં કેટલીક સમસ્યાના કારણે સપ્લાયમાં વિલંબ થયો હતો.

ભારતમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ અભિયાન શરૂ થયું

જણાવી દઈએ કે, ભારતમાં 16 જાન્યુઆરી 2021થી રસીકરણ શરૂ થયું હતું. શરૂઆતમાં આ રસી માત્ર હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને વૃદ્ધોને આપવામાં આવતી હતી. ત્યારબાદ 1 મે, 2021થી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ રસી આપવામાં આવી હતી. વર્ષ 2022 શરૂ થતાં જ દેશમાં બાળકોનું રસીકરણ શરૂ થઈ ગયું છે. 3 જાન્યુઆરી 2022 થી, દેશભરમાં 15 વર્ષથી વધુ ઉંમરના તમામ બાળકોને રસી આપવામાં આવી રહી છે. હાલમાં, કોવેક્સિન, કોવિશિલ્ડ અને સ્પુટનિક-વી રસીઓ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી રહી છે. જો કે, માત્ર 15 થી 18 વર્ષની વયના બાળકોને જ કોવેક્સિન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કોરોના રસીના 168 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: CTET 2021 Answer key: CBSE CTET આન્સર કી થઈ જાહેર, જાણો કેવી રીતે નોંધાવાશે ઓબ્જેક્શન

આ પણ વાંચો: GATE 2022 પરીક્ષા મોકૂફ રાખવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ દાખલ, ટૂંક સમયમાં થશે સુનાવણી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">