AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GATE 2022 પરીક્ષા મોકૂફ રાખવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ દાખલ, ટૂંક સમયમાં થશે સુનાવણી

સર્વોચ્ચ અદાલત (Supreme Court) ગુરુવારે દેશવ્યાપી કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (GATE) પરીક્ષા 2022 સ્થગિત કરવાની માંગ કરતી અરજીઓ પર સુનાવણી કરવા સંમત થઈ હતી.

GATE 2022 પરીક્ષા મોકૂફ રાખવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ દાખલ, ટૂંક સમયમાં થશે સુનાવણી
ફાઈલ ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 2:04 PM
Share

સર્વોચ્ચ અદાલત (Supreme Court) ગુરુવારે દેશવ્યાપી કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (GATE) પરીક્ષા 2022 સ્થગિત કરવાની માંગ કરતી અરજીઓ પર સુનાવણી કરવા સંમત થઈ હતી. જેમાં 5-6 ફેબ્રુઆરીએ યોજાનારી ગેટની પરીક્ષા મોકૂફ રાખવાની માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો (Teachers and students) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓને એડવોકેટ પલ્લવ મોંગિયા દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેંચના ધ્યાન પર લાવવામાં આવી હતી અને આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. ખંડપીઠે ગુરુવાર, 3 ફેબ્રુઆરીએ આ મામલે સુનાવણી કરવા સંમતિ આપી છે.

વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા અરજીઓની બે બેચ દાખલ કરવામાં આવી છે, જેમાં માંગ કરવામાં આવી છે કે, એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (GATE), જે 5 થી 6 ફેબ્રુઆરી દરમિયાન ઑફલાઇન મોડમાં યોજાનાર છે. આ પરીક્ષા સમગ્ર દેશમાં 200 થી વધુ કેન્દ્રો પર લેવામાં આવશે અને તે ભારતીય વિજ્ઞાન સંસ્થાન (IISc) બેંગ્લોર અને સાત ભારતીય ટેકનોલોજી સંસ્થાન (IITs) દ્વારા બોમ્બે, દિલ્હી, ગુવાહાટી, કાનપુર, ખડગપુર, મદ્રાસ અને રૂરકી દ્વારા હાથ ધરવામાં આવનાર છે.

‘ઓફલાઇન પરીક્ષા સુપર સ્પ્રેડર ઇવેન્ટમાં ફેરવાશે’

આ વર્ષે 8 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષામાં ભાગ લે તેવી અપેક્ષા છે અને આ પરીક્ષાના સ્કોર્સનો ઉપયોગ વિજ્ઞાન અને એન્જિનિયરિંગના વિવિધ અનુસ્નાતક અભ્યાસક્રમો અને તેમની ભરતી પ્રક્રિયામાં ઘણા PSUsમાં પ્રવેશ મેળવવા માટે થાય છે. અરજીઓમાં એવી દલીલ કરવામાં આવી છે કે, દેશમાં હાલની કોવિડ-19ની સ્થિતિને જોતા જો પરીક્ષા ઓફલાઈન મોડમાં લેવામાં આવશે તો તે સુપર સ્પ્રેડર ઈવેન્ટમાં ફેરવાઈ જશે.

અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે, જો પરીક્ષાની તારીખો મુલતવી રાખવામાં ન આવે, તો GATE 2022 માટે હાજર રહેલા ઉમેદવારોને ચેપ લાગવાનું અને તે ફેલાવવાનું જોખમ રહેલું છે, જે તેમના તેમજ તેમના પરિવારના સભ્યોના જીવનને જોખમમાં મૂકી શકે છે. જીવનું જોખમ હોઈ શકે છે. અરજીઓમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પરીક્ષા માટે જાહેર કરાયેલ એડમિટ કાર્ડ પરની સૂચનાઓ ખૂબ જ ગૂંચવણભરી છે અને કહે છે કે, માત્ર એસિમ્પટમેટિક વિદ્યાર્થીઓને જ પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચો: NLC India Ltd Recruitment 2022: સ્નાતકો માટે એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી, અરજી પ્રક્રિયા આજથી શરૂ

આ પણ વાંચો: Budget 2022: બજેટમાં ડિજિટલ યુનિવર્સિટી અને 60 લાખ નવી નોકરીઓનું વચન આપવામાં આવ્યું છે, જુઓ કેવી છે વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">