AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખે બાપુને આ રીતે આપી શ્રદ્ધાંજલિ, હાથથી બનાવેલો દેશનો સૌથી મોટો તિરંગો જોઈને તમે પણ દંગ રહી જશો !

કેન્દ્રશાશિત પ્રદેશ લદ્દાખના કારગિલ જિલ્લામાં ઝાંસ્કર ઘાટી આવેલી છે.આ ઘાટી કારગિલથી 250 કિલોમીટર દુર આવેલી છે.

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખે બાપુને આ રીતે આપી શ્રદ્ધાંજલિ, હાથથી બનાવેલો દેશનો સૌથી મોટો તિરંગો જોઈને તમે પણ દંગ રહી જશો !
Gandhi Jayanti 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 12:24 PM
Share

Gandhi Jayanti 2021 : આજે દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152 મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. દરેક વ્યક્તિ આ પ્રસંગે બાપુને પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં (Ladakh) બાપુને અનોખી રીતે શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આ ખાસ દિવસે લેહમાં હાથથી બનાવવામાં આવેલો સૌથી મોટો તિરંગો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.ખાદીમાંથી બનાવવામાં આવેલો આ તિરંગો મુંબઈની એક પ્રિન્ટિંગ કંપનીના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે.

આ કંપનીની સહાય દ્વારા રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો

મુંબઈમાં આલેલી KVIC કંપનીએ ખાદીમાંથી વિશ્વનો (World) સૌથી મોટો રાષ્ટ્રધ્વજ તૈયાર કર્યો છે. KVIC એ “આઝાદી કા અમૃત મહોત્સવ” ના ભાગરૂપે આ રાષ્ટ્રધ્વજ બનાવ્યો છે. આ ધ્વજ 225 ફૂટ લાંબો, 150 ફૂટ પહોળો અને આશરે 1400 કિલો વજન ધરાવે છે. સુરક્ષા દળોએ દેશભરના ઐતિહાસિક સ્મારકો અને વ્યૂહાત્મક સ્થળો પર ધ્વજ પ્રદર્શિત કરવાની યોજના બનાવી છે.

ખાદીમાંથી વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ તૈયાર કરવામાં આવ્યો

તમને જણાવી દઈએ કે, આ ત્રિરંગાને પ્રદર્શિત કરવા માટે ધ્વજ ભારતીય સેનાને (Indian Army) સોંપવામાં આવ્યો હતો. આ તિરંગો બનાવવા માટે 4500 મીટર ખાદી કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તિરંગો કુલ 37,500 ચોરસ ફૂટ વિસ્તારને આવરી લે છે. ઉલ્લેખનીય છે કે, 70 કારીગરોને આ રાષ્ટ્રધ્વજ તૈયાર કરવામાં લગભગ 49 દિવસ લાગ્યા હતા.

એરફોર્સ ડેના દિવસે હિન્ડનમાં આ તિરંગો ફરકાવવામાં આવશે

સૌથી મોટા તિરંગાના અનાવરણ અને ગાંધી જયંતિના કાર્યક્રમમાં આર્મી ચીફ એમએમ નરવાણે અને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, 8 ઓક્ટોબરના રોજ એરફોર્સ ડે (Airforce Day) નિમિત્તે હિન્ડનમાં પણ આ તિરંગો ફરકાવવામાં આવશે. ઝાંસ્કાર કારગિલ જિલ્લાની એક વેલી છે જે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં આવેલી છે અને કારગિલથી લગભગ 250 કિમી દૂર છે. આ ખીણ લદ્દાખથી લગભગ 105 કિમી દૂર છે. તે જ સમયે, ઝાંસ્કર રેન્જ લદ્દાખની પર્વતમાળા છે.

આ પણ વાંચો : TV9 EXCLUSIVE : 35 વર્ષ પહેલા, આ દિવસે રાજઘાટ પર, રાષ્ટ્રપતિ, ગૃહ મંત્રીની સામે, વડા પ્રધાન પર ગોળીનો વરસાદ થયો હતો

આ પણ વાંચો :  Jal Jivan Mission App Launched: PM મોદીએ લોન્ચ કરી જલ જીવન મિશન એપ, પાણી સમિતિઓ અને ગ્રામ પંચાયતો સાથે કર્યો વર્ચ્યુયલ વાર્તાલાપ

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">