AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સરકારનો માસ્ટરસ્ટ્રોક, શું 8મા પગાર પંચના અમલ પહેલા કર્મચારીઓને ‘DA મર્જર’ ની ભેટ મળશે?

5મા પગાર પંચ દરમિયાન, નિયમ હતો કે જ્યારે DA 50 સુધી પહોંચે, ત્યારે તેને મૂળ પગારમાં ઉમેરવામાં આવે છે. તેના આધારે, 2004 માં 50% DA ને મૂળ પગારમાં મર્જ કરવામાં આવ્યો હતો, 6ઠ્ઠા પગાર પંચ આ અભિગમ સાથે અસંમત હતા.

Breaking News : સરકારનો માસ્ટરસ્ટ્રોક, શું 8મા પગાર પંચના અમલ પહેલા કર્મચારીઓને 'DA મર્જર' ની ભેટ મળશે?
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2026 | 8:10 AM
Share

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં હાલમાં એક પ્રશ્ન વ્યાપકપણે ચર્ચાઈ રહ્યો છે કે શું સરકાર 8મા પગાર પંચના અમલ પહેલા વર્તમાન મોંઘવારી ભથ્થા (DA) ને મૂળ પગારમાં ઉમેરશે કે નહીં ? આ પ્રશ્ન એટલા માટે પુછાઈ રહ્યો છે કે, 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2025 ના રોજ સમાપ્ત થયો હતો. જાન્યુઆરી-જૂન 2026 માટે DA વધારો એ 8માં પગારપંચનો પહેલો સુધારો હશે. જે 7મા પગાર પંચના કાર્યક્ષેત્રની બહાર હશે. જ્યારે 8મા પગાર પંચનું કામ શરૂ થઈ ગયું છે, તેના અમલીકરણમાં હજુ થોડો સમય લાગી શકે છે.

8મા પગાર પંચના અમલમાં વિલંબ કેમ?

સામાન્ય રીતે, કોઈપણ પગાર પંચ પોતાનો અહેવાલ રજૂ કરવામાં લગભગ 18 મહિનાનો સમય લે છે. ત્યાર બાદ તેના પર સંબધિત વિભાગની વિચારણા- ટિપ્પણી કરાય, મંત્રીમંડળની મંજૂરી મળે અને તેના અમલીકરણની પ્રક્રિયામાં ઓછામાં ઓછા છ મહિનાનો સમય લાગે છે. પરિણામે, એવું માનવામાં આવે છે કે 8મા પગાર પંચની ભલામણો 2027 ના અંત પહેલા લાગુ થવાની શક્યતા ઓછી છે. દરમિયાન, કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા છે કે ત્યાં સુધી રાહત તરીકે વર્તમાન 58% DA ને મૂળ પગારમાં મર્જ કરવામાં આવે.

સરકારનો સ્પષ્ટ જવાબ

DA ને મર્જ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. જોકે, સરકાર આ માંગ પર સ્પષ્ટ છે. ડિસેમ્બર 2025 માં સંસદમાં એક લેખિત જવાબમાં, સરકારે જણાવ્યું હતું કે, વર્તમાન DA ને મૂળ પગારમાં મર્જ કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. સરકારનો દાવો છે કે ફુગાવાની અસર ઘટાડવા માટે AICPI-IW (ફુગાવા સૂચકાંક) ના આધારે દર છ મહિને DA / DR વધારવામાં આવે છે, અને આ હાલ પૂરતું છે.

કર્મચારી સંગઠનો DA મર્જર કેમ ઇચ્છે છે?

  • મૂળભૂત પગારમાં DA ઉમેરવાથી મૂળ પગારમાં વધારો થાય.
  • આનાથી HRA, TA અને અન્ય ભથ્થાઓમાં પણ આપમેળે વધારો થતો હોય છે.
  • આનાથી પેન્શન ગણતરીમાં પણ સીધો લાભ મળશે.
  • વર્તમાન DA ફુગાવાને સચોટ રીતે પ્રતિબિંબિત કરતું નથી.
  • તેથી જ તેઓ વચગાળાની રાહત તરીકે તેનો અમલ કરવાની માંગ કરી રહ્યા છે.

પહેલા શું થયું?

5મા પગાર પંચ દરમિયાન, નિયમ હતો કે, જ્યારે DA 50% સુધી પહોંચે છે, ત્યારે તેને મૂળ પગારમાં ઉમેરવામાં આવે. તેના આધારે, 2004 માં 50% DA ને મૂળ પગારમાં મર્જ કરવામાં આવ્યું હતું. જોકે, 6ઠ્ઠુ પગાર પંચ, ડીએને મૂળ પગારમાં જોડી દેવાના અગાઉના અભિગમ સાથે અસંમત હતુ. 6ઠ્ઠુ પગાર પંચ કમિશને જણાવ્યું હતું કે DA ને મૂળ પગારમાં મર્જ કરવા માટે ફુગાવાના સૂચકાંકના આધારમાં ફેરફારની જરૂર પડશે, જેના કારણે ભવિષ્યમાં DA દરમાં ઘટાડો થઈ શકે છે. તેથી, કમિશને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે DA ને મૂળ પગારમાં મર્જ કરવાની ભલામણ કરવામાં આવશે નહીં.

આગળ હવે શું?

વર્તમાન પરિસ્થિતિઓમાં, DA ને મૂળ પગારમાં મર્જ કરવાની શક્યતા ખૂબ જ ઓછી દેખાય છે. સરકારનું વલણ સ્પષ્ટ છે. જ્યાં સુધી 8મું પગાર પંચ લાગુ ના થાય ત્યાં સુધી, કર્મચારીઓ અને પેન્શનરો દર છ મહિને મળતા DA વધારાથી જ રાહતની અપેક્ષા રાખી શકે છે.

દેશ વિદેશના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
g clip-path="url(#clip0_868_265)">