ડીઆરડીઓની દવા 2-DG લોન્ચ, જાણો કોરોનાના દર્દીઓ માટે કેટલી છે પ્રભાવી

કોરોના વાયરસ સામે ભારતની જંગ સતત ચાલુ છે. જેમાં ડીઆરડીઓ ના નવા સંશોધનથી કોરોના સામેના યુદ્ધમાં આશાની નવી કિરણ લાવવામાં આવી છે. જેમાં ડીઆરડીઓદ્વારા વિકસિત કોરોનાની 2-ડીજી ડ્રગની પ્રથમ બેચને આજે લોન્ચ કરવામાં આવી છે

ડીઆરડીઓની દવા 2-DG લોન્ચ, જાણો કોરોનાના દર્દીઓ માટે કેટલી છે પ્રભાવી
ડીઆરડીઓની દવા 2-DG લોન્ચ
Follow Us:
| Updated on: May 17, 2021 | 5:38 PM

કોરોના વાયરસ સામે ભારતની જંગ સતત ચાલુ છે. જેમાં ડીઆરડીઓ ના નવા સંશોધનથી કોરોના સામેના યુદ્ધમાં આશાની નવી કિરણ લાવવામાં આવી છે. જેમાં ડીઆરડીઓદ્વારા વિકસિત કોરોનાની 2-ડીજી ડ્રગની પ્રથમ બેચને આજે લોન્ચ કરવામાં આવી છે. જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન દ્વારા દવાને લોન્ચ કરી હતી. સરકારના દાવા અનુસાર, આ દવા હોસ્પિટલમાં દાખલ કોવિડ દર્દીઓની ઝડપથી રિકવરીમાં મદદ કરશે.

આ દવાને ડીસીજીઆઈ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ દવાથી ઓક્સિજન આધારિત કોરોના દર્દીઓ 2-3 દિવસમાં ઓક્સિજન સપોર્ટ મુક્ત થશે અને તે જલ્દી સ્વસ્થ થઈ જશે. ડીઆરડીઓએ કહ્યું છે કે  દર્દીઓએ આ દવા ડોક્ટરની સલાહના આધારે જ લેવી જોઈએ.

ક્લિનિકલ પરીક્ષણો દર્શાવે છે કે આ દવા હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ઝડપથી રિકવરીમાં મદદ કરે છે અને બહારથી ઓક્સિજન આપવાની નિર્ભરતા ઘટાડે છે.2-DG સાથે સારવાર કરાયેલા કોવિડ દર્દીઓની માત્રામાં આરટી-પીસીઆર નેગેટિવ જોવા મળ્યો છે. આ દવા કોવિડથી પીડિત લોકો માટે ખૂબ ફાયદાકારક રહેશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આ રીતે કામ કરે છે 2-DG  દવા 

કોરોના વાયરસ પોતાની એનર્જી માટે દર્દીના શરીરમાંથી ગ્લુકોઝ લે છે. જ્યારે આ દવા માત્ર સંક્રમિત કોષોમાં જમા થઈ જાય છે. કોરોના વાયરસ ગ્લુકોઝ સમજીને આ દવાનો ઉપયોગ કરવા લાગે છે. આ રીતે વાયરસને એનર્જી મળવાનું બંધ થઈ જાય છે. અને, કોરોના વાયરસ સિન્થેસિસ બંધ થઈ જાય છે. એટલે કે નવો વાયરસ બનવાનું બંધ થઈ જાય છે અને, બાકીના વાયરસ મરી જાય છે. આ દવાને હાલ પાવડર સ્વરૂપે આપવામાં આવશે, દવાને સેચેટને   પાણીમાં નાંખીને પી જવાની છે.

2-DG  ના ટ્રાયલ ક્યારે ક્યારે થયા

ચાલો તમને જણાવી દઈએ કે, એપ્રિલ 2020 માં રોગચાળાની  પ્રથમ લહેર દરમિયાન, INMAS-DRDOના સાયનટીસોએ સેન્ટર ફોર સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજી (સીસીએમબી) હૈદરાબાદની મદદથી પ્રયોગશાળામાં પરીક્ષણો કર્યા હતા. તેઓએ શોધ્યું કે આ દવા સાર્સ-સીઓવી -2 વાયરસ સામે અસરકારક રીતે કાર્ય કરે છે અને વાયરલ વિકાસને અટકાવે છે. આ પરિણામોના આધારે, મે 2020 માં ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઈ) સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસકો) એ કોવિડ દર્દીઓમાં 2-ડીજી ફેઝ -2 ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપી હતી.

મે 20 થી ઓક્ટોબર 2020 દરમિયાન હાથ ધરવામાં આવેલા બીજા તબક્કાના પરીક્ષણોમાં, દવા દર્દીઓમાં સલામત મળી હતી અને તેમની રિકવરીમાં નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો. બીજો તબક્કો દેશની 11 હોસ્પિટલોમાં છ હોસ્પિટલોમાં કરવામાં આવ્યો હતો અને તબક્કો 2 બી ક્લિનિકલ ટ્રાયલ લેવામાં આવી હતી. ફેઝ -2 માં 110 દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવી હતી.

સફળ પરિણામોના આધારે, ડીસીજીઆઈએ નવેમ્બર 2020 માં ફેઝ -3 ક્લિનિકલ ટ્રાયલ્સની મંજૂરી આપી. દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુની 27 કોવિડ હોસ્પિટલોમાં ડિસેમ્બર 2020 થી માર્ચ 2021 દરમિયાન 220 દર્દીઓ પર ફેઝ -3 ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યો હતો.

આ તબક્કો III ના ક્લિનિકલ ટ્રાયલનો ડેટા ડીસીજીઆઈને રજૂ કરવામાં આવ્યો હતો. 2-ડીજીના કિસ્સામાં, દર્દીઓના લક્ષણોમાં નોંધપાત્ર પ્રમાણમાં સુધાર જોવા મળ્યો હતો. ત્રીજા દિવસે દર્દીઓને પૂરક ઓક્સિજન અવલંબન (42 ટકા વિ. 31 ટકા) થી રાહત મળી હતી. જે ઓક્સિજન ઉપચારમાં પ્રારંભિક રાહત સૂચવે છે. 65 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓમાં સમાન વલણ જોવા મળ્યું હતું. 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">