AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check : ‘RBI એ લોકોને બેંક એકાઉન્ટ બ્લોક કરવાની ચેતવણી આપી’ ! ક્રેડિટ કાર્ડ સંબંધિત વોઇસ મેઇલ્સ પાછળનું રહસ્ય શું છે ?

દેશના સામાન્ય નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા "RBI કહેતા હૈ" નામનું જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. વધુમાં RBI દ્વારા WhatsApp પર મેસેજ કરીને લોકોને કહેવામાં આવી રહ્યું છે કે, તેમનું બેંક ખાતું જલ્દી જ બ્લોક કરી દેવામાં આવશે. હવે આ વાત કેટલી સાચી?

Fact Check : 'RBI એ લોકોને બેંક એકાઉન્ટ બ્લોક કરવાની ચેતવણી આપી' ! ક્રેડિટ કાર્ડ સંબંધિત વોઇસ મેઇલ્સ પાછળનું રહસ્ય શું છે ?
| Updated on: Nov 19, 2025 | 7:43 PM
Share

દેશના સામાન્ય નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા “RBI કહેતા હૈ” નામનું જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન હેઠળ, RBI દેશના બેંક ખાતાધારકોને જાગૃત કરવા માટે WhatsApp પર મેસેજ મોકલતી રહે છે.

આ દરમિયાન, લોકોના મોબાઇલ ફોન પર RBI ના નામે વૉઇસમેલ્સ આવી રહ્યા છે. આ વૉઇસમેલ્સમાં લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે કે, તેમનું બેંક ખાતું બ્લોક કરવામાં આવશે. વૉઇસમેલ્સમાં કહેવામાં આવ્યું છે કે, તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં કરવામાં આવ્યો છે, જેના કારણે તમારું બેંક ખાતું બ્લોક કરવામાં આવશે.

RBI ક્યારેય ખાતાધારકો પાસેથી ગુપ્ત માહિતી માંગતી નથી

જો તમને પણ RBI ના નામે આવા વોઇસમેઇલ, વોટ્સએપ મેસેજ, મેસેજ, ફોન કોલ્સ કે ઇમેઇલ મળે છે, તો તમારે ખૂબ કાળજી રાખવી પડશે. વાત એમ છે કે, આ નકલી વોઇસમેઇલ RBI ના નામે મોકલવામાં આવી રહ્યા છે અને આ એક કૌભાંડનો ભાગ છે.

PIB ફેક્ટ ચેકે આ સમગ્ર મામલાની નોંધ લીધી છે અને દેશના સામાન્ય લોકોને આવા વોઇસમેઇલ, વોટ્સએપ મેસેજ, મેસેજ, ફોન કોલ્સ કે ઇમેઇલથી સાવધ રહેવાની અપીલ કરી છે. PIB ફેક્ટ ચેકે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, આ એક નવું કૌભાંડ છે.

ભારતીય રિઝર્વ બેંક આવા કોઈ વોઇસમેઇલ મોકલતી નથી. RBI ફક્ત લોકોને જાગૃત કરવા માટે મેસેજ મોકલે છે અને તેમાં તમારી પાસેથી કોઈ ખાસ માહિતી માંગવામાં આવતી નથી. નોંધનીય છે કે, RBI, સરકાર અને બેંકોના પ્રયાસો છતાં દેશમાં સાયબર છેતરપિંડીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે.

જુલાઈ 2025 થી ડિજિટલ છેતરપિંડીના કેસમાં વધારો

સાયબર છેતરપિંડીનો સામનો હવે ફક્ત સામાન્ય લોકો જ નહીં પરંતુ શિક્ષિત અધિકારીઓ અને મોટી કંપનીઓ પણ કરી રહી છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, સાયબર છેતરપિંડી દ્વારા વ્યક્તિઓ સાથે હવે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ રહી છે અને આ અત્યંત ચિંતાજનક છે. RBI ના ડેપ્યુટી ગવર્નર ટી. રવિશંકરે તાજેતરમાં જણાવ્યું હતું કે, જુલાઈ 2025 થી ડિજિટલ છેતરપિંડીના કિસ્સાઓ ફરી એકવાર વધવા લાગ્યા છે.

આ પણ વાંચો: Breaking News : ચીને ચૂપચાપ ભરી કાઢ્યું મોટું પગલું ! વૈશ્વિક બજારમાં ખળભળાટ, સોનું મોંઘું થશે અને શેરબજારમાં ઘટાડાનો ભય

ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
g clip-path="url(#clip0_868_265)">