પાકિસ્તાનથી ભારત પરત આવેલી અંજુ ક્યાં ગાયબ થઈ ગઈ? ના તો ઘરે પહોચીં ના બાળકોને મળી
અંજુ ક્યાં છે, તે કોની સાથે છે, કોના સંપર્કમાં છે તે અંગે હાલ કોઈ જાણકારી મળી રહી નથી. અંજુ ભારત આવી તે બાદથી હજુ સુધી તે ક્યા ગઈ કોને મળી શું કર્યું તે અંગે કંઈ જ બહાર આવ્યું નથી. અંજુનો કોઈ પત્તો મળ્યો નથી. આખરે અંજુ કેમ ભાગી રહી છે? સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે અંજુ એરપોર્ટથી નીકળી ત્યારે તે ઝજ્જર તરફ ગઈ હતી. અંજુ ઝજ્જરના કોઈ ગામમાં છે?

ભારતથી ભાગેલી અંજુ લગભગ 4 મહિના પાકિસ્તાનમાં રહીને ભારત પરત ફરી છે. અંજુ અહીં વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશી હતી. જે બાદ સુરક્ષા એજન્સીઓએ તેની પૂછપરછ હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ બાદ અંજુ બુધવારે અમૃતસરથી ફ્લાઈટ લઈને દેશની રાજધાની દિલ્હી પહોંચી અને એરપોર્ટથી બહાર નીકળ્યા બાદ અંજુએ મીડિયા સાથે વાત કરી હતી જોકે તે બધા બાદ અંજુ ગાયબ થઈ ગઈ.
અંજુ ક્યાં છે, તે કોની સાથે છે, કોના સંપર્કમાં છે તે અંગે હાલ કોઈ જાણકારી મળી રહી નથી. અંજુ ભારત આવી તે બાદથી હજુ સુધી તે ક્યા ગઈ કોને મળી શું કર્યું તે અંગે કંઈ જ બહાર આવ્યું નથી. અંજુનો કોઈ પત્તો મળ્યો નથી. આખરે અંજુ કેમ ભાગી રહી છે? સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે અંજુ એરપોર્ટથી નીકળી ત્યારે તે ઝજ્જર તરફ ગઈ હતી. અંજુ ઝજ્જરના કોઈ ગામમાં છે?
જ્યારે અંજુનું ઠેકાણું જાણવા ઝજ્જર પહોંચ્યા હતા. જ્યારે તેણે અહીંના બહુ ગામમાં રહેતા લોકો સાથે વાત કરી તો તેઓએ કહ્યું કે ન તો તેઓ અંજુને ઓળખે છે અને ન તો તે અહીં આવી છે. આવી સ્થિતિમાં અંજુ ક્યાં છે… આ એક મોટો પ્રશ્ન છે.
અંજુ બુધવારે સાંજે ભારત પરત ફરી હતી
તમને જણાવી દઈએ કે રાજસ્થાનના અલવરની વતની અંજુ બુધવારે સાંજે ભારત પરત આવી હતી. પોલીસ અને એજન્સીઓ દ્વારા પૂછપરછ દરમિયાન તેણીએ જણાવ્યું કે તે તેના બાળકો માટે ભારત પરત આવી હતી. તે તેના ભારતીય પતિને છૂટાછેડા આપવા માંગે છે. આ પછી તે પોતાના બાળકોને પાકિસ્તાન લઈ જવા માંગે છે.
ફેસબુક પર નસરુલ્લાના પ્રેમમાં પડી
તમને જણાવી દઈએ કે બે બાળકોની માતા અંજુને ફેસબુક પર પાકિસ્તાનના નસરુલ્લા સાથે પ્રેમ થઈ ગયો હતો. નસરુલ્લાના પ્રેમમાં પડ્યા બાદ તે પાકિસ્તાન ગઈ હતી. આ દરમિયાન તેણીએ તેના પતિ સાથે ખોટું બોલી હતા.
ઈન્ટેલિજન્સ બ્યુરોની ટીમ અરવિંદના ફ્લેટ પર પહોંચી
ઈન્ટેલિજન્સ બ્યુરોની ટીમ તેના બાળકો સાથે વાત કરવા અરવિંદના ફ્લેટ પર પહોંચી અને અરવિંદ તેમજ તેની 15 વર્ષની પુત્રી અને છ વર્ષના પુત્ર સાથે વાત કરી. આ મામલે ભીવાડીના એડિશનલ એસપી દીપક સૈનીએ કહ્યું કે આ મામલે નોંધાયેલી FIR મુજબ તપાસ હાથ ધરવામાં આવી છે અને સંબંધિત લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. અંજુ ભિવડી આવશે તો અંજુની આ અંગે પૂછપરછ કરવામાં આવશે. નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડશે તો અંજુની ધરપકડ પણ થઈ શકે છે.