AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનથી ભારત પરત આવેલી અંજુ ક્યાં ગાયબ થઈ ગઈ? ના તો ઘરે પહોચીં ના બાળકોને મળી

અંજુ ક્યાં છે, તે કોની સાથે છે, કોના સંપર્કમાં છે તે અંગે હાલ કોઈ જાણકારી મળી રહી નથી. અંજુ ભારત આવી તે બાદથી હજુ સુધી તે ક્યા ગઈ કોને મળી શું કર્યું તે અંગે કંઈ જ બહાર આવ્યું નથી. અંજુનો કોઈ પત્તો મળ્યો નથી. આખરે અંજુ કેમ ભાગી રહી છે? સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે અંજુ એરપોર્ટથી નીકળી ત્યારે તે ઝજ્જર તરફ ગઈ હતી. અંજુ ઝજ્જરના કોઈ ગામમાં છે?

પાકિસ્તાનથી ભારત પરત આવેલી અંજુ ક્યાં ગાયબ થઈ ગઈ? ના તો ઘરે પહોચીં ના બાળકોને મળી
Where did Anju disappear after returning to India from Pakistan
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2023 | 8:59 AM
Share

ભારતથી ભાગેલી અંજુ લગભગ 4 મહિના પાકિસ્તાનમાં રહીને ભારત પરત ફરી છે. અંજુ અહીં વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશી હતી. જે બાદ સુરક્ષા એજન્સીઓએ તેની પૂછપરછ હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ બાદ અંજુ બુધવારે અમૃતસરથી ફ્લાઈટ લઈને દેશની રાજધાની દિલ્હી પહોંચી અને એરપોર્ટથી બહાર નીકળ્યા બાદ અંજુએ મીડિયા સાથે વાત કરી હતી જોકે તે બધા બાદ અંજુ ગાયબ થઈ ગઈ.

અંજુ ક્યાં છે, તે કોની સાથે છે, કોના સંપર્કમાં છે તે અંગે હાલ કોઈ જાણકારી મળી રહી નથી. અંજુ ભારત આવી તે બાદથી હજુ સુધી તે ક્યા ગઈ કોને મળી શું કર્યું તે અંગે કંઈ જ બહાર આવ્યું નથી. અંજુનો કોઈ પત્તો મળ્યો નથી. આખરે અંજુ કેમ ભાગી રહી છે? સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે અંજુ એરપોર્ટથી નીકળી ત્યારે તે ઝજ્જર તરફ ગઈ હતી. અંજુ ઝજ્જરના કોઈ ગામમાં છે?

જ્યારે અંજુનું ઠેકાણું જાણવા ઝજ્જર પહોંચ્યા હતા. જ્યારે તેણે અહીંના બહુ ગામમાં રહેતા લોકો સાથે વાત કરી તો તેઓએ કહ્યું કે ન તો તેઓ અંજુને ઓળખે છે અને ન તો તે અહીં આવી છે. આવી સ્થિતિમાં અંજુ ક્યાં છે… આ એક મોટો પ્રશ્ન છે.

અંજુ બુધવારે સાંજે ભારત પરત ફરી હતી

તમને જણાવી દઈએ કે રાજસ્થાનના અલવરની વતની અંજુ બુધવારે સાંજે ભારત પરત આવી હતી. પોલીસ અને એજન્સીઓ દ્વારા પૂછપરછ દરમિયાન તેણીએ જણાવ્યું કે તે તેના બાળકો માટે ભારત પરત આવી હતી. તે તેના ભારતીય પતિને છૂટાછેડા આપવા માંગે છે. આ પછી તે પોતાના બાળકોને પાકિસ્તાન લઈ જવા માંગે છે.

ફેસબુક પર નસરુલ્લાના પ્રેમમાં પડી

તમને જણાવી દઈએ કે બે બાળકોની માતા અંજુને ફેસબુક પર પાકિસ્તાનના નસરુલ્લા સાથે પ્રેમ થઈ ગયો હતો. નસરુલ્લાના પ્રેમમાં પડ્યા બાદ તે પાકિસ્તાન ગઈ હતી. આ દરમિયાન તેણીએ તેના પતિ સાથે ખોટું બોલી હતા.

ઈન્ટેલિજન્સ બ્યુરોની ટીમ અરવિંદના ફ્લેટ પર પહોંચી

ઈન્ટેલિજન્સ બ્યુરોની ટીમ તેના બાળકો સાથે વાત કરવા અરવિંદના ફ્લેટ પર પહોંચી અને અરવિંદ તેમજ તેની 15 વર્ષની પુત્રી અને છ વર્ષના પુત્ર સાથે વાત કરી. આ મામલે ભીવાડીના એડિશનલ એસપી દીપક સૈનીએ કહ્યું કે આ મામલે નોંધાયેલી FIR મુજબ તપાસ હાથ ધરવામાં આવી છે અને સંબંધિત લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. અંજુ ભિવડી આવશે તો અંજુની આ અંગે પૂછપરછ કરવામાં આવશે. નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડશે તો અંજુની ધરપકડ પણ થઈ શકે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">