શું છે સૌરાષ્ટ્ર તમિલ સંગમ? જેનો PM મોદીએ મન કી બાતમાં કર્યો હતો ઉલ્લેખ, જાણો તમામ વિગતો

સૌરાષ્ટ્ર-તમિલ સંગમ એ સાંસ્કૃતિક ઉત્સવ છે. જેના દ્વારા દેશના બંને રાજ્યો વચ્ચે વાતચિત વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ 10 દિવસીય સંગમમાં ભાગ લેનાર તમિલનાડુમાં રહેતા ગુજરાતીઓ અને સ્થાનિક લોકોને કેવડિયા સહિત વિવિધ સ્થળોની મુલાકાત લેવા મળશે.

શું છે સૌરાષ્ટ્ર તમિલ સંગમ? જેનો PM મોદીએ મન કી બાતમાં કર્યો હતો ઉલ્લેખ, જાણો તમામ વિગતો
Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 1:15 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમના 99માં એપિસોડમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આગામી મહિને ગુજરાતના વિવિધ ભાગોમાં એકતા અને ભાવના સાથે સૌરાષ્ટ્ર તમિલ સંગમ યોજાવા જઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ 17થી 30 એપ્રિલ સુધી ચાલશે. વડાપ્રધાને કહ્યું કે મન કી બાતના કેટલાક શ્રોતાઓ વિચારતા હશે કે ગુજરાતના સૌરાષ્ટ્રનો તામિલનાડુ સાથે શું સંબંધ છે? હકીકતમાં, સદીઓ પહેલા સૌરાષ્ટ્રમાંથી ઘણા લોકો તમિલનાડુના જુદા જુદા ભાગોમાં સ્થાયી થયા હતા. આ લોકો આજે પણ સૌરાષ્ટ્રી તમિલ તરીકે ઓળખાય છે.

આ પણ વાચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, સોમનાથ દાદાના દર્શન કરી સૌરાષ્ટ્ર તમિલ સંગમનો કરાવશે પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તમિલનાડુના ઘણા લોકોએ આ પ્રસંગને લઈને પ્રશંસાના પત્રો લખ્યા છે. મુદરાઈમાં રહેતા જયચંદ્રનજીએ ખૂબ જ ભાવનાત્મક વાત લખી છે. તેમણે કહ્યું કે હજાર વર્ષ પછી સૌપ્રથમવાર કોઈએ સૌરાષ્ટ્ર-તામિલ સંબંધો વિશે વિચાર્યું છે. સૌરાષ્ટ્રમાંથી તમિલનાડુ આવેલા લોકોને પૂછવામાં આવ્યું છે. જયચંદ્રનજીના શબ્દો હજારો તમિલ ભાઈ-બહેનોની અભિવ્યક્તિ છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

શું છે સૌરાષ્ટ્ર તમિલ સંગમ?

સૌરાષ્ટ્ર તમિલ સંગમની જેમ ગુજરાતમાં સોમનાથ, કેવડિયા સહિત ચાર મોટા શહેરોમાં કાર્યક્રમો યોજાશે. તમિલનાડુમાં રહેતા ગુજરાતીઓને આ કાર્યક્રમોમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાત સરકારના 8 મંત્રીઓ હાલ તમિલનાડુમાં પ્રવાસ પર છે. આ મંત્રીઓ તમિલનાડુના આઠ મોટા શહેરોમાં રોડ શો પણ કરશે. આ કાર્યક્રમના માધ્યમથી તમિલનાડુ અને ગુજરાત વચ્ચે સંપર્ક વધારવાનો મુખ્ય હેતુ છે.

કાર્યક્રમનો લોગો અને વેબસાઈટ લોન્ચ કરી હતી

સોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમના વધુ કાર્યક્રમો યોજાશે. આ સંગમના પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવે તેવી સંભાવના છે. તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી અનુરાગ ઠાકુરે ગુજરાતના બે મંત્રીઓની હાજરીમાં આ કાર્યક્રમનો લોગો અને વેબસાઈટ લોન્ચ કરી હતી. આ સંગમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેબસાઈટ લોન્ચ થયા બાદ 10 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

ગુજરાત સરકાર દ્વારા વ્યાપક તૈયારીઓ

સૌરાષ્ટ્ર-તમિલ સંગમએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વન ઈન્ડિયા, બેસ્ટ ઈન્ડિયાના વિઝનનો એક ભાગ છે. કાશી-તમિલ સંગમ બાદ હવે સૌરાષ્ટ્ર તમિલ સંગમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત 8 મંત્રીઓ તમિલનાડુમાં છે.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">