AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું છે સૌરાષ્ટ્ર તમિલ સંગમ? જેનો PM મોદીએ મન કી બાતમાં કર્યો હતો ઉલ્લેખ, જાણો તમામ વિગતો

સૌરાષ્ટ્ર-તમિલ સંગમ એ સાંસ્કૃતિક ઉત્સવ છે. જેના દ્વારા દેશના બંને રાજ્યો વચ્ચે વાતચિત વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ 10 દિવસીય સંગમમાં ભાગ લેનાર તમિલનાડુમાં રહેતા ગુજરાતીઓ અને સ્થાનિક લોકોને કેવડિયા સહિત વિવિધ સ્થળોની મુલાકાત લેવા મળશે.

શું છે સૌરાષ્ટ્ર તમિલ સંગમ? જેનો PM મોદીએ મન કી બાતમાં કર્યો હતો ઉલ્લેખ, જાણો તમામ વિગતો
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 1:15 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમના 99માં એપિસોડમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આગામી મહિને ગુજરાતના વિવિધ ભાગોમાં એકતા અને ભાવના સાથે સૌરાષ્ટ્ર તમિલ સંગમ યોજાવા જઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ 17થી 30 એપ્રિલ સુધી ચાલશે. વડાપ્રધાને કહ્યું કે મન કી બાતના કેટલાક શ્રોતાઓ વિચારતા હશે કે ગુજરાતના સૌરાષ્ટ્રનો તામિલનાડુ સાથે શું સંબંધ છે? હકીકતમાં, સદીઓ પહેલા સૌરાષ્ટ્રમાંથી ઘણા લોકો તમિલનાડુના જુદા જુદા ભાગોમાં સ્થાયી થયા હતા. આ લોકો આજે પણ સૌરાષ્ટ્રી તમિલ તરીકે ઓળખાય છે.

આ પણ વાચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, સોમનાથ દાદાના દર્શન કરી સૌરાષ્ટ્ર તમિલ સંગમનો કરાવશે પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તમિલનાડુના ઘણા લોકોએ આ પ્રસંગને લઈને પ્રશંસાના પત્રો લખ્યા છે. મુદરાઈમાં રહેતા જયચંદ્રનજીએ ખૂબ જ ભાવનાત્મક વાત લખી છે. તેમણે કહ્યું કે હજાર વર્ષ પછી સૌપ્રથમવાર કોઈએ સૌરાષ્ટ્ર-તામિલ સંબંધો વિશે વિચાર્યું છે. સૌરાષ્ટ્રમાંથી તમિલનાડુ આવેલા લોકોને પૂછવામાં આવ્યું છે. જયચંદ્રનજીના શબ્દો હજારો તમિલ ભાઈ-બહેનોની અભિવ્યક્તિ છે.

શું છે સૌરાષ્ટ્ર તમિલ સંગમ?

સૌરાષ્ટ્ર તમિલ સંગમની જેમ ગુજરાતમાં સોમનાથ, કેવડિયા સહિત ચાર મોટા શહેરોમાં કાર્યક્રમો યોજાશે. તમિલનાડુમાં રહેતા ગુજરાતીઓને આ કાર્યક્રમોમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાત સરકારના 8 મંત્રીઓ હાલ તમિલનાડુમાં પ્રવાસ પર છે. આ મંત્રીઓ તમિલનાડુના આઠ મોટા શહેરોમાં રોડ શો પણ કરશે. આ કાર્યક્રમના માધ્યમથી તમિલનાડુ અને ગુજરાત વચ્ચે સંપર્ક વધારવાનો મુખ્ય હેતુ છે.

કાર્યક્રમનો લોગો અને વેબસાઈટ લોન્ચ કરી હતી

સોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમના વધુ કાર્યક્રમો યોજાશે. આ સંગમના પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવે તેવી સંભાવના છે. તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી અનુરાગ ઠાકુરે ગુજરાતના બે મંત્રીઓની હાજરીમાં આ કાર્યક્રમનો લોગો અને વેબસાઈટ લોન્ચ કરી હતી. આ સંગમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેબસાઈટ લોન્ચ થયા બાદ 10 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

ગુજરાત સરકાર દ્વારા વ્યાપક તૈયારીઓ

સૌરાષ્ટ્ર-તમિલ સંગમએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વન ઈન્ડિયા, બેસ્ટ ઈન્ડિયાના વિઝનનો એક ભાગ છે. કાશી-તમિલ સંગમ બાદ હવે સૌરાષ્ટ્ર તમિલ સંગમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત 8 મંત્રીઓ તમિલનાડુમાં છે.

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">