ઇથેનોલ નહીં હોત તો ? શું કહ્યું આ અંગે નિતિન ગડકરીએ, જુઓ Video
હવે સરકાર અને ખાંડ મિલો અન્ય સંસાધનો પર પણ કામ કરી રહી છે. મિલોમાં ઇથેનોલ પ્લાન્ટનો સમાવેશ થાય તે દિશામાં કામગીરી ચાલી રહી છે. જ્યારે ઇથેનોલ બંધ થવા બાબતે ગડકરીનું કહેવું છે કે જો ઇથેનોલ નહીં આવ્યું હોત તો કેટલીય સુગર મિલો અત્યારે બંધ થઈ ગઈ હોત.
દેશમાં ડીઝલ-પેટ્રોલની માંગને પહોંચી વળવા અને દુનિયામાં પ્રદૂષણ ઓછું કરવા માટે ઇથેનોલ તરફ વાળવાની કામગીરી ચાલી રહી છે. મહત્વનુ છે કે ઇથેનોલ આવ્યા બાદ દેશમાં કેટલીય સુગરમિલોને સાહારો મળ્યો છે. ગડકરીનું કહેવું છે કે જો ઇથેનોલ નહીં આવ્યું હોત તો કેટલીય સુગર મિલો અત્યારે બંધ થઈ ગઈ હોત. જોકે આની સીધી અસર ખેડૂતો પર પડે તે પહેલા સરકારે જરુરી પગલાં લીધા.
આ પણ વાંચો : દુનિયામાં ફરી વાગ્યો ભારતનો ડંકો, સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતામાં PM મોદી પ્રથમ સ્થાને
જરૂરી એ પણ છે કે માત્ર ખાંડ બનાવીને સુગર મિલોનો નફો વધારી શકાતો નથી. આ જ કારણ છે કે હવે સરકાર અને ખાંડ મિલો અન્ય સંસાધનો પર પણ કામ કરી રહી છે. મિલોમાં ઇથેનોલ પ્લાન્ટનો સમાવેશ થાય તે દિશામાં કામગીરી ચાલી રહી છે. જેનાથી દેશની તમામ સુગર મિલને ફાયદો થશે નહીં પરંતુ ગોળ અને ખાંડ બનાવવાથી વધારાની આવક પણ મળશે. એટલેકે સીધો ફાયદો આ ઇથેનોલનો શેરડી પકવતા ખેડૂતોને છે.





